પુસ્તક વાંચીને –
પેટ નથી ભરાતું!
કવિતા લખીને –
પેટ નથી ભરાતું!
વાર્તા ઘડીને –
પેટ નથી ભરાતું!
નાટકનો અભિન્ન અંગ બનીને –
પેટ નથી ભરાતું!
પ્રેમ કરીને, મેળવીને –
પેટ નથી ભરાતું!
કોઈની માટે રડીને, હસીને –
પેટ નથી ભરાતું!
કોઈને યાદ કરીને –
પેટ નથી ભરાતું!
કોઈને બહુ દિવસે મળીને –
પેટ નથી ભરાતું!
મળીને છૂટા પડીને –
પેટ નથી ભરાતું!
સાથે બેસીને –
પેટ નથી ભરાતું!
એકલા ચાલીને –
પેટ નથી ભરાતું!
ચાલ્યા પછી થોભીને –
પેટ નથી ભરાતું!
થોભ્યા પછી કશું શોધીને –
પેટ નથી ભરાતું!
તમે પેટ ભરાઇ ગયું, કોને કહો છો?
ખાવાથી ભરાય કે પીવાથી ભરાય એને?
કે પછી …
બાજુના ઘરમાં કોઈ ભૂખ્યું હોય અને
તમારા ગળેથી કોળિયો
નીચે ના ઊતરે –
એને!
Email: panchalbrijesh02@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 10
![]()


દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂતોને વિખેરવાના પ્રયાસો નિષ્ફળ જતાં, સ્થાનિક દમનને ન્યાયી ઠેરવવાવાળી આંતરરાષ્ટ્રીય ષડયંત્ર વિશેની માન્યતાઓનો રાફડો ફાટ્યો છે. તો હવે પછીના સમયમાં આ માન્યતાઓ આ પૃથ્વીની બહારના પરિબળોનો હાથ પણ આમાં જોશે કે શું?
મને ખાતરી છે કે મારી આ કોલમના ૯૦ ટકા વાચકોએ પ્રતાપ ભાનુ મહેતાનું નામ નહીં સાંભળ્યું હોય. તેઓ ભારતના અવ્વલ દરજ્જાના રાજકીય વિચારક છે અને જગતમાં એ રીતની પ્રતિષ્ઠા ધરાવે છે એ છતાં ય. આનું કારણ એ છે કે તેઓ અંગ્રેજીમાં લખે છે અને એ પણ સામાન્ય વાચક માટે થોડું અઘરું પડે એ રીતનું લખે છે. પ્રતાપ ભાનુ મહેતા ટી.વી.ની રીડિયારમણ કરનારી ડિબેટોમાં ભાગ લેવા નથી જતા એટલે કેટલાક વાચકોને તો તેમનું નામ સાંભળીને તેમનો ચહેરો પણ નજર સમક્ષ નહીં આવતો હોય. પ્રતાપ ભાનુ મહેતા અરુણ શૌરી કે યોગેન્દ્ર યાદવની માફક વિદ્વાન હોવા છતાં જાહેરજીવનમાં સક્રિય પણ નથી. તેઓ પુસ્તકો, યુનિવર્સિટીના કેમ્પસ અને વિદ્યાર્થીઓની વચ્ચે જીવનારા માણસ છે. ટૂંકમાં તેઓ એકેડેમિક દુનિયાના માણસ છે.