જણાવું કે આ મેં સવાલોના જવાબ રૂપે નથી લખ્યું બલકે મને એટલું જ લખવામાં રસ છે. આશા છે, સૌ આ મુદ્દાને ધ્યાનમાં લેશે.
કોઈ માણસ મને એમ કહે કે તમે નવા શ્હૅરમાં અથવા નવા બંગલામાં ગયા ને જુદી રીતે જીવવા લાગ્યા, એ સાહસ છે, પણ તમારા જીવનમાં એ એક નવોન્મેષ છે, તો મારે ખુશ થવું જોઈએ – એટલા માટે કે એણે મારા સાહસને નવોન્મેષ કહીને બિરદાવ્યું. સાથે એ એમ કહે કે તમારું એ સાહસ સાહસ ખરું પણ કુણ્ઠિત છે – રૂંધાયેલું, અટકી પડેલું, તો પણ મારે ખુશ થવું જોઈએ – એટલા માટે કે મારા સાહસ પ્રત્યે એ વ્યક્તિને લાગણી છે, માન છે; અને મને સન્માને છે. એટલું જ નહીં, વધારે ખુશ થઉં – એટલા માટે કે એ ઇચ્છે છે કે હું એ સાહસને વિશે વધુ-ને-વધુ વિમર્શ કરું, એને વિકસાવીને પ્રફુલ્લ કરું.
જો સુરેશભાઈએ એ શબ્દપ્રયોગને વ્યાખ્યાયિત નથી કર્યો, સ્પષ્ટ નથી કર્યો, તો એ, એ જ કારણે એક લાગણી, એક અભિપ્રાય કે મન્તવ્ય ઠરે છે, ચુકાદો નહીં. બે સામસામા મત પ્રવર્તતા હોય અને ત્રીજી તટસ્થ વ્યક્તિ જે નિર્ણય આપે તેને ચુકાદો કહેવાય. બાકી, આ એક લાગણી છે.
તેમ છતાં એવા કોઈ પણ શબ્દગુચ્છને ભલે ને આપણે ચુકાદો ગણીએ ! પણ એને વડીલશાહી ને મુરબ્બીવટ સાથે જોડીએ ત્યારે વ્યક્તિની પ્રતિષ્ઠાને ઠેસ પ્હૉંચે છે, એટલા માટે કે એમ કહેવું તે તર્કદોષ છે. તર્કદોષ એટલા માટે છે કે એ એક વ્યાપક વિધાન છે -એવું કે જેનો આધાર અલ્પતમ છે, અવ્યાપ્ત છે, સીમિત છે.
વળી, રમૂજ તો એ થાય છે કે સુરેશ જોષીએ ચુકાદો આપ્યો છે એમ કહીએ ત્યારે એવું કહીને આપણે પણ એવો એક ચુકાદો જ આપીએ છીએ !
પણ એ બધાને સરવાળે, મૂળ પરિસ્થતિમાં કશો જ ફર્ક નથી પડતો. ઊહાપોહ શબ્દ પ્રયોજીએ ત્યારે પણ યાદ રાખીએ કે એમાં ઊહ છે અને અપોહ છે. આપણે તારવવું રહે કે ઊહ શું છે ને અપોહ શું છે. ’નવોન્મેષ’-નાં એ કાવ્યોની એમણે કરેલી સમ્ ઇક્ષાને ઊહ કહીએ તો એ ઊહની સમ્ ઇક્ષા કરીને કોણે અપોહ સરજ્યો? એ સમ્પાદન સુરેશ જોષી જેવા કલામર્મજ્ઞે કર્યું છે એ મહિમાની પણ સમ્ ઇક્ષા કોણે કરી?
કોઈ પણ સમીક્ષા સમ્ ઇક્ષા હોવી જોઈએ. એ માટે એમાં પક્ષાપક્ષીની નહીં પણ સાહિત્ય-સિદ્ધાન્તોની ભૂમિકા જોઈશે, એ તાર્કિક અને વસ્તુલક્ષી ધોરણે થવી જોઈશે. દાખલા તરીકે, આ મુદ્દો ‘નવોન્મેષ’-નાં સમ્પાદિત કાવ્યો સાથે જોડાયેલો છે. એને આપણા આધુનિક કે અનુ-આધુનિક સાહિત્યયુગ સાથે અત્યારે આ ચર્ચામાં ન જોડાય, જો જોડીએ તો તર્કછળ થાય. સાથે, એ સમીક્ષામાં, પોતાની માન્યતાને નહીં પણ મૂળ સમીક્ષ્ય વસ્તુને વળગી રહેવું જોઈશે. બાકી તો, મૂળ ભૂલીને એકમેક સામે મૉઢાં ચડાવવાનું થાય, આલતુફાલતુ વાતો જોડીને એકમેકનો સમય બગાડવાનું થાય ! જેમણે ગુજરાતી ભાષા અને સાહિત્યના વિકાસ માટે જીવનભર વેઠ્યું હોય એઓનાં વચનોમાં કંઈક દમ હોય, એ દમની સમ્ ઇક્ષા થવી જોઈએ. આ બધાં માટે આપણે મહાન સાહિત્યકારોના વિચારો સાથે પહેલાં તો સંગત કરવી જોઈશે ને પછી એની પણ સમ્ ઇક્ષા કરવી જોઈશે.
એવી બહુપરિમાણી વસ્તુલક્ષીતા નથી હોતી ત્યારે ખાલી કાલયાપન થાય છે. ઘણી વાર તો ગાલિપ્રદાન; મન:દુખ ને કાયમી વેરઝેર પણ જન્મે છે. દુનિયાને લાગે કે વિદ્વદચર્ચા ચાલી રહી છે !
સુરેશ જોષી સમા જનની સામે બોલીને પોતે ચડિયાતા છે એમ ઠેરવવાની કોશિશ ભૂતકાળમાં અનેકોએ કરી છે. ગુજરાતી સાહિત્યની ચર્ચાઓ વસ્તુલક્ષીતાના અભાવમાં અધઝાઝેરું ચાલી છે, એ સત્ય છે.
એ સત્યને પારખીને જો નવી પેઢી વસ્તુલક્ષી માર્ગે નહીં ચાલે તો અત્ર લુપ્તા સરસ્વતી કહેવાનો વારો આવશે. આમ મેં આગળના વાક્યમાં કહ્યું તે કોઈ ગિરિપ્રવચન નથી, દાઝ છે, બળાપો છે.
= = =
(February 25, 2021: USA)
![]()



સમય જતાં રાજાશાહીના બેનમૂન સ્થાપત્યને માનવ પ્રવૃત્તિઓ અને કાળની ઊધઈએ કદરૂપા બનાવી દીધા. એવો જ એક કિલ્લો કચ્છના પાટનગર ભુજની શોભા સમો ભુજિયો કિલ્લો છે. ભુજિયા કિલ્લાનું નિર્માણ કચ્છના રાજવીઓએ બહુ જ વિચારીને કરેલ છે. આ કિલ્લાનું બાંધકામ જાડેજા રાજવી રાવ ગોડજી (પહેલા ઈ.સ. ૧૭૧૫-૧૭૧૮)એ શરૂ કરાવ્યું હતું. અલ્પ સમયના શાસક રહેલા ગોડજીના પુત્ર રાવ દેશળજી(પહેલા ઈ.સ.૧૭૧૮-૧૭૪૧)એ ભુજિયા કિલ્લાનું બાકીનું બાંધાક્મ સંપન્ન કરાવ્યું. તે વખતે કચ્છ રાજનું પાટનગર ભુજ હતું. ભુજના રક્ષણ માટે બંધાયેલા આ કિલ્લાની દીવાલો પહોળી અને લશ્કરી વ્યૂહરચના મુજબની હતી. રાવ દેશળજી ઉપરાંત તેમના પહેલા દીવાન શેઠ દેવકરણે પણ આ કિલ્લાના નિર્માણમાં મહત્ત્વનો રસ લીધો હતો. ૧૬૦ મીટર જેટલી ઊંચાઈ ઉપર બંધાયેલો આ કિલ્લામાં પ્રવેશવા માટે બે દરવાજા હતા. આ દરવાજા ઉપર બહારની બાજુએ લોખંડના શૂળ જડેલા હતા. સૈનિકોને કિલ્લાની અંદર જ પાણીનો પુરવઠો મળી રહે તે માટે કૂવાઓ પણ ખોદાવેલા હતા. દીવાલોની અંદર રચના એવી રીતની હતી કે સૈનિક દૂર દૂર સુધી જોઈ શકે અને જરૂર પડે વાર કરી શકે. આજે પણ ભુજિયા કિલ્લાના એરિયલ વ્યુ ચીનની દીવાલની યાદ અપાવે છે.
દેશના રાજકારણમાં છેલ્લા અમુક સમયથી એક શબ્દ પ્રચલિત બન્યો છે; નેરેટિવ. ગુજરાતીમાં તેના માટે કોઈ ઉચિત શબ્દ નથી. નેરેટિવ માટે નજીકનો શબ્દ વાર્તા છે, પરંતુ વાર્તા તો કાલ્પનિક હોય છે, જ્યારે નેરેટિવમાં વાસ્તવિકતાનું અર્થઘટન હોય છે. શબ્દકોશના અર્થ પ્રમાણે નેરેટિવ એટલે સંબંધિત ઘટનાઓ કે અનુભવોનું વર્ણન. એ અર્થમાં નેરેટિવને અંદાજે-બયાન કહી શકાય; કોઈ ઘટનાને અમુક ચોક્કસ અંદાજથી બયાન કરવી તે.