જહાજે જહાજે કિનારા બદલાય છે,
કિનારે કિનારે વાટ જોનારા બદલાય છે.
ચેતનવંત દેહ એક લાશ બંને છે,
જનાજે જનાજે સહારા બદલાય છે.
નાટક તો એકનું એક જ હોય છે,
સમયાંતરે ભજવનારા બદલાય છે.
મીરાં-નરસિંહ લખી ગયાં ભજનો,
પેઢી દર પેઢી ગાનારાં બદલાય છે.
ઠેરઠેર મંદિર, મસ્જિદ, દેવળ છે,
ટોચે ટોચે બસ મિનારા બદલાય છે.
દ્રશ્યો પણ એ, કલાકાર પણ એ જ છે,
રોજે રોજ હવે તો જોનારા બદલાય છે.
જામ પણ એ ‘મૂકેશ’ સાકી પણ એ જ છે,
દિવસ ઢળતા અહીં પીનારા બદલાય છે.
ન્યુ જર્સી, યુ.એસ.એ.
e.mail : mparikh@usa.com
![]()


સ્તનોના ભારને લીધે થોડુંક નમેલી – સ્તોકનમ્રા સ્તનાભ્યામ્. કવિ કાલિદાસે શકુન્તલા માટે કહ્યું છે. કવિ કાલિદાસે દુષ્યન્ત પાસે બોલાવરાવ્યું છે – વયમ્ તત્ત્વાન્વેષી, અમે (આપણે) તત્ત્વના અન્વેષક છીએ.
ગયા વરસે ગાલ્વાનની ઘટનાને હાથ ધરવામાં કરેલા છબરડા પછી અને ચીન સામે નાક કપાયા પછી આબરૂ બચાવવા કેન્દ્ર સરકારે (વડા પ્રધાને વાંચો) કોરોનાપ્રતિકારક રસી તરફ નજર દોડાવી હતી. જો એમાં સફળતા મળી હોત તો વડા પ્રધાન ઊંચક્યા ઉંચકાતા ન હોત. દેશમાં અને વિદેશમાં તેમનો જયજયકાર થયો હોત. જગતની વસ્તીના દર પાંચમાં માણસને એક વરસમાં રસી આપી દેવી એ કોઈ જેવીતેવી સિદ્ધિ ન ગણાત. તેમના દુશ્મનોએ પણ એની કબૂલાત કરવી પડત. આ ઉપરાંત ભારતના પાડોશી દેશોને અને જગતના ગરીબ પછાત દેશોને પણ મદદ કરવાના મનોરથ હતા કે જેથી ભારતની અને વડા પ્રધાનની પ્રતિષ્ઠા વધત. અંગ્રેજીમાં કહીએ તો એ માસ્ટર સ્ટ્રોક હતો.