મળ્યો ઘણાને, પોતાને મળવાનું જ ભૂલી ગયો,
કોણ છે તું? શું ચાહે છે, એ પૂછવાનું ભૂલી ગયો.
હંમેશાં પુરુષાર્થ કરી મેં કર્યું મેં કર્યું કરતો રહ્યો,
પણ પ્રારબ્ધમા શું લખ્યું છે, એ જોવાનું ભૂલી ગયો.
સાચું સુખ શું ? શોધવા ચારેકોર ભટકતો રહ્યો,
મનમાં જે સંતાયું છે, એને બહાર શોધતો રહ્યો,
લાગણીઓ ઘણી છે, દિલમાં છુપાવાનું ભૂલી ગયો.
લોકો રુઠતા રહ્યા અને હું હંમેશાં મનાવતો રહ્યો
ઈશ્વર મનમા જ છે ગુરુએ સમજાવ્યું એ ભૂલી ગયો
હંમેશાં મંદિર – મસ્જિદમાં એને શોધતો રહ્યો.
હર માનવીનાં લોહીનો રંગ લાલ છે ભૂલી ગયો.
મજહબના નામ પર, લોકોને લડતા હું જોતો રહ્યો.
મૃદુલ મન લખવા બેઠું તો શબ્દો ભૂલી ગયો.
ઉપમાઓથી ગઝલ બની ગઈ ને હું જોતો રહ્યો.
સમય બહુ ઓછો રહ્યો છે હવે હાથમાં ત્યારે.
ઇશ્ચર પાસે જવાની તૈયારી કરવાનું ભૂલી ગયો.
e.mail : mruduls.ms@gmail.com
![]()


હું ૨૧ વર્ષની વયે જાની પરિવારમાં ચોથા નંબરની પુત્રવધૂ તરીકે આવી. આજથી ૪૦ વર્ષ પહેલાં … મનીષી સાથે મારાં પ્રેમ લગ્ન અને સહજ રીતે જ અજાણ્યા કુટુંબમાં સ્વીકાર ને નવાં વાતાવરણમાં કેવી રીતે ગોઠવાઈશ તેની મૂંઝવણ! વળી, વિભક્ત કુટુંબમાંથી ને તેમાં ય અમે માત્ર બહેનો જ એટલે પાંચ ભાઈઓ, ત્રણ જેઠાણીઓ ને સાસુ-સસરાવાળાં કુટુંબમાં શું થશે? એમાં ય રસોઇ બિલકુલ આવડે નહીં … ને આપણા સમાજમાં સાસુને તો હંમેશાં વિલન તરીકે જ ચિતરવામાં આવી છે. .. …વળી, લગ્ન પણ કોઈ જાતનાં વિધિ-વિધાન વગર કમુરતાંમાં કરેલાં … ને તે પણ બ્રાહ્મણ કુટુંબમાં …. એટલે શું થશે એવી બધી જ મથામણ … પણ પહેલાં જ દિવસે મારાં સાસુ સહનબહેને મારું બહુ જ ઉમળકાભેર સ્વાગત કર્યું ને બધી જ દુવિધાઓ દૂર થઈ ગઈ. ને હંમેશ માટે હું આ પરિવાર સાથે ગોઠવાઈ ગઈ. મારી મમ્મીને પણ આશ્ચર્ય થતું કે આ છોકરી કોઈ દિવસ સાસુની ફરિયાદ કેમ નથી કરતી!
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરિણામોની ઓપિનિયન પોલ અને એકઝિટ પોલ સાથે તુલના કરતાં અનેક સવાલો ઊઠે છે .. પાંચેય રાજ્યોના એકઝિટ પોલ આમ તો કંઈક અંશે જ ખોટા પડ્યા છે. છતાં જે રીતનાં પરિણામો આવ્યાં છે તેનું કોઈ જ અનુમાન એકઝિટ પોલમાં જોવા મળ્યું નથી. પશ્ચિમ બંગાળનાં પરિણામને રસાકસીભર્યું કે કાંટે કી ટક્કરનું ગણાવવામાં આવ્યું હતું. પણ એકેય એકઝિટ પોલમાં મમતા બેનરજી બસો કરતાં વધુ બેઠકો મેળવશે કે બી.જે.પી.ની બેઠકો ડબલ ડિજિટથી આગળ નહીં વધે એમ કહેવામાં આવ્યું નહોતું. બંગાળમાં કૉન્ગ્રેસ અને ડાબેરીઓનું ખાતું નહીં ખૂલે અને તમિલનાડુમાં સ્ટાલિનનો વિજ્ય ભવ્ય નહીં હોય એમ પણ ખોંખારીને કોઈ એકઝિટ પોલમાં કહેવાયું નહોતું. જ્યાં સુધી પરિણામોની દિશાનો સવાલ છે, એકઝિટ પોલ સાચાં છે પણ બેઠકોનાં અનુમાન સંપૂર્ણ ખોટાં છે.