‘બોલ, ભાઈ ! તું શેને માટે આવ્યો છે?’ રાજાએ પૂછ્યું.
‘મહારાજ ! હું પ્રધાન થવા આવ્યો છું.’
‘મને મહારાજ ન કહેવો. હું રસોઇયો નથી.’
‘ભલે મહા- રાજજી. મારામાં પ્રધાન થવાની લાયકાત …’
‘મને ખબર છે, તું પીએચ.ડી. છે ને તારો થિસિસ તેં જ લખ્યો છે …’
‘મને પ્રધાન બનાવવા …’
‘તું યોગ્ય છે, પણ પ્રધાનમાં ન ચાલે. ‘
‘હું ન ચાલું? ‘
‘હા. પ્રધાન તો અભણ જ હોવો જોઈએ. એ ગરબડ ન કરે તો બધું બરાબર ચાલે ને બધું બરાબર ચાલે તો રાજમાં ચલાવવા જેવું શું રહે?’
‘ભલે, તમે રાજ કરો.’
‘તું શું કરીશ?’
‘હું થિસિસ લખી આપીને તારાજ કરીશ.’
‘સરસ. અયોગ્ય જગ્યાએ યોગ્ય અને યોગ્ય જગ્યાએ અયોગ્ય હોય એ રાજકારણની તાસીર છે.’
‘હું આજે નષ્ટાચાર શીખ્યો …’
000
e.mail : ravindra21111946@gmail.com
![]()



તમે કરેલ સંશોધન અને અભ્યાસના આધારે, વેપારી તેમ જ સાહસવૃત્તિને ઉત્તેજન આપતા ટ્રેકિંગ પ્રોજેક્ટનાં કામનો હવાલો તમને સોંપવામાં આવ્યો છે. તમે આ દૂરંદેશીવાળા અને નવતર પ્રોજેક્ટમાં ગળા ડૂબ ખૂંપી ગયા છો. સાથે સાથે સાડા ત્રણ વર્ષના આ પ્રદેશના વસવાટે તમને અહીંનાં બાળકોનાં શિક્ષણ માટે પણ સજાગ બની ગયા છો.


અમદાવાદની હીરલ શાહે એકલા હાથે આવાં કામને માટે જરૂરી સામગ્રી તૈયાર કરવાના યજ્ઞની નોંધ લેવા, નીચેની વેબ સાઈટની મુલાકાત લેવા વિનંતી, તેને મદદ કરવા કોઈ વાચક તૈયાર થાય તો સોનામાં સુગંધ ભળે.
માતૃભાષાની મીઠાશથી મહેકતો ‘વિશ્વ ગુજરાતી દિવસ’ ત્રણ દિવસ પહેલા જ ગયો. મુનશીએ જેને ‘અર્વાચીનોમાં આદ્ય’ કહ્યો, સુન્દરમ્ જેને ‘પ્રાણવંતો પૂર્વજ’ કહેતા, રા.વિ. પાઠક જેને ‘અર્વાચીન ગદ્યપદ્યનો પ્રહરી’ કહે છે અને ઉમાશંકર જોશી જેને ‘નવા યુગનો નાંદી’ ગણે છે; નવયુગનો પ્રહરી, યુગવિધાયક સર્જક, નિર્ભય પત્રકાર, પ્રેમશૌર્યનો કવિ, સુધારાનો સેનાની એવાં એવાં વિશેષણોથી જેને નવાજવામાં આવે છે એ વીર કવિ નર્મદનો એ દિવસે જન્મદિન હતો. પણ આ બધાં બિરુદ ઓછાં પડી જાય એવી પ્રેરણાદાયક અને તેજસ્વી એમની કલમ હતી, એમની જિંદગી હતી. કહેતા, ‘ઝટ્ટ ડોળી નાખો રે મનજળ થંભ થયેલું’ સાહિત્ય, સમાજ, શિક્ષણ, ધર્મ, જીવન તમામ ક્ષેત્રે સ્થગિતતા અને બંધિયારપણાનો સતત વિરોધ કરનાર નર્મદ, અર્વાચીન ગુજરાતી ભાષા આમ તો દલપતરામથી પ્રગટી ગણાય, છતાં અર્વાચીનોમાં આદ્ય ગણાય છે, કેમ કે નર્મદના સાહિત્યમાં અર્વાચીનતા તેના સાચા અને પૂર્ણ અર્થમાં પ્રગટી છે.
સુધારાના વિચારોને વાચા આપવા નર્મદે 1864માં ‘ડાંડિયો’ નામનું પાક્ષિક શરૂ કર્યું. ડાંડિયો એટલે પ્રહરી. પહેલા અંકના પહેલા પાને ડાંડિયો એટલે શું તે સમજાવતી પંક્તિઓ મૂકી હતી: અમારા નિશ ઘનઘોરમાં ચોરીધાડનો ભોય, ઘરમાં વસ્તી દીપકની ને બહાર ડાંડિયો હોય; ડાંડીની મહેનતથી ધજાડાંડી સોહાય, દેશતણો ડંકો વળી બધે ગાજતો થાય …’ કુરિવાજોના અંધકારમાં ઘેરાયેલા સમાજને જગાડવા માટે લખાતા ‘ડાંડિયા’ના લેખોએ જ નર્મદને ‘સુધારાના સેનાની’નું બિરુદ અપાવ્યું. નર્મદ એના સમય કરતાં ઘણા આગળ હતા. દેશાભિમાન, સ્વતંત્રતા, સ્વરાજ જેવી ભાવનાઓ ગાંધીયુગમાં પ્રચલિત બની તે નર્મદે એનાથી વર્ષો પહેલાં સેવી હતી.
હકીકત’ લખી નર્મદ મહાત્મા ગાંધીના સમર્થ પુરોગામી બન્યા છે. ‘આ તો બસ એક ખરડો છે જે હું લોકો સમક્ષ મૂકું છું.’ એવી નમ્રતા દાખવનાર નર્મદ ગુજરાતી ભાષાના માનસન્માન માટે અત્યંત જાગૃત હતા અને એને માટે બેધડક લડતા. પોતાની કવિતાની યોગ્યતા દર્શાવવા દલપતરામ સાથે સ્પર્ધામાં ઊતર્યા પણ તેને અંગત માનસન્માનનો વિષય ન બનાવવા સજાગ રહ્યા. એમના ઘરનું નામ ‘સરસ્વતીમંદિર’ હતું.
‘યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી, વીર સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી …’ પોતાના વીરત્વ, સત્ય, રસિકતા, સર્જન અને ટેક વિશે કેટલો સાચો આત્મવિશ્વાસ! એથી જ તો નર્મદનો જન્મદિવસ વિશ્વ ગુજરાતી દિવસ તરીકે ઊજવાય છે.