સરમુખત્યારશાહીમાં પ્રજાને વિના વિરોધે સરમુખત્યાર શાસકના આદેશોનું કેવળ પાલન કરવાનું – કહો કે ત્રાસ અને પીડા વેઠવાના હોય છે.
રાજાશાહીમાં શાસક રાજાના મનના તરંગોને કાયદા-કાનૂન ને ફરમાન બનતા સહેજે વાર લાગતી નથી; અને એને પરિણામે રૈયત તો રાંક જ બની રહે છે; ફરમાનના વિરોધ કરનારને ભાગ્યે શૂળીએ ચડવાનું અથવા કેદખાનામાં ચાબૂકના મીઠામાં બોળેલા કોરડાના માર અથવા ચાબખા જ ખાવાના રહેતા એ વૈશ્વિક ઐતિહાસિક સત્ય છે.
લોકશાહીમાં નાગરિક અને પ્રજા નામથી ઓળખાતો નાગરિક સમૂહ આ બાબતમાં ભાગ્યશાળી છે; કારણ કે એને એ જે બાબતમાં અસંમત હોય એમાં અસંમતિ દર્શાવવાની અને અયોગ્ય-અનુચિતનો વિરોધ કરી એની સામે પડવાની પણ છૂટ મળે છે; પણ આ છૂટ મેળવવા એણે જવાબદાર નાગરિકની હેસિયતથી આ બધું કરવાનું છે. દેશમાં બનતી નાની-મોટી ઘટનાઓ, ઘડાતા કાયદા-કાનૂનો, લોકોની રોજ બ રોજની સમસ્યાઓ વગેરેનો ઝીણવટભર્યો અભ્યાસ કરી – એ વિષયક ચિંતન-મનન કરી, કોઈ નક્કર નિષ્કર્ષ પર પહોંચી, આ નિષ્કર્ષને સહુ માટે પ્રતીતિકર અનુભવાય એ રીતે રજૂ કરી, એ સર્વગ્રાહ્ય બને એ માટે ઝૂંબેશ-અભિયાન આદરવાનું છે. પોતાના હકથી વંચિતોને આ અભિયાનમાં સામેલ કરવાના છે. બિનજવાબદાર બનતા જતા શાસકોની સામે આ રીતે દબાણ ઊભું કરવાનું છે. લોકશાહીનો મોટો ફાયદો એ છે કે એમાં કાયદા-કાનૂન અને અદાલતોનું મોટું બળ અદનામાં અદના નાગરિક પાસે હોય છે.
લોકશાહીમાં, જેમને વિચારવાની બિલકુલ તસ્દી નથી લેવી અથવા ડર કે ધાકધમકીના કારણે કે એના ભયના કારણે અન્યના ખોટા નિર્ણયમાં કમને-અનિચ્છાએ સામેલ થવાનું બને છે, એને કારણે લોકશાહીને નિષ્ફળ બનાવતી ટોળાંશાહી જન્મે છે. આવી ટોળાંશાહી બિનજવાબદાર શાસકને મોટો ફાયદો કરાવે છે; કારણ કે એને કારણે એના રાજપાટ ખૂબ લાંબા સમય સુધી નિર્વિઘ્નપણે ટકી રહે છે.
આપણને આશ્વાસનરૂપ એ બાબત છે કે દરેક લોકશાહી દેશમાં કેટલાક જાગૃત અને નિર્ભીક અને આત્મવાન નાગરિકો પણ જીવે છે. એમની સક્રિયતાને કારણે જ શાસકો અસ્વસ્થ રહે છે – અકળામણ અનુભવે છે.
આપણે આશા રાખીએ અને ઈચ્છીએ કે આવા જાગૃત, નિર્ભીક અને આત્મવાન નાગરિકોની સક્રિયતા સદૈવ રહે.
વંદે માતરમ્
તા. ૦૧-૧૨-૨૦૨૨
![]()


પ્રોફેસરે તો પછી સુંદરલાલ સાથે વર્ષો સુધી નિયમિત વાતો કરી હતી. એમાંથી 2013માં એક સુંદર પુસ્તક આવ્યું, જેનું નામ હતું; ઇકોલોજી ઈઝ પર્મેનન્ટ ઈકોનોમી (પર્યાવરણ કાયમી અર્થતંત્ર છે). સુંદરલાલ વર્ષોથી કહેતાં આવ્યા હતા કે પર્યાવરણનું તંત્ર દેશના અર્થતંત્રથી ઓછું મહત્ત્વનું નથી, બલકે પર્યાવરણ હશે તો અર્થતંત્ર હશે. આજે દુનિયાને ભાન થવા લાગ્યું છે કે વધતું તાપમાન, દરિયાઓની વધતી સપાટી અને આન્ત્યાંતિક હવામાન વિશ્વના દેશોની સંપત્તિઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ, માનવીય સ્વાસ્થ્ય અને ઉત્પાદન ક્ષમતાને હાનિ પહોંચાડી રહ્યું છે. પરિણામે તેની અસર અર્થતંત્ર પર પડી રહી છે.
દિવાળી પહેલાં એક સમાચાર આવ્યા હતા. 2022ના ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 101(2021)થી ઘટીને 107 પર આવી ગયું. આયરલેંડ અને જર્મનીની એક બિન-સરકારી સંસ્થા, વેલ્ટ હંગર હિલ્ફે, 2006થી કુપોષણ, બાળકોમાં કુપોષણ, બાળકોના વિકાસમાં અવરોધ અને બાળ મૃત્યદર, એમ ચાર સંકેતોના આધારે 121 દેશોની ભૂખમરીબી સ્થિતિ નોંધે છે અને તે પ્રમાણે રેન્કિંગ આપે છે. ચાલુ વર્ષના રિપોર્ટમાં, ભારતને એ 31 દેશોની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે જ્યાં ભૂખમરીની સમસ્યા ગંભીર માનવામાં આવે છે.
તેવી જ રીતે, આપણી સાથે સારું થાય તો તે આપણું અને ખરાબ થાય તે બીજાનું. દાખલા તરીકે, પરીક્ષામાં સારા માર્ક્સ આવે, તો તેનું શ્રેય આપણી મહેનત અને આવડતને આપીએ છીએ, પણ માર્ક્સ ઓછા આવે તો તેને પરીક્ષકની ભૂલ કે અણઆવડત ગણીએ છીએ. 1956માં, ‘ધ સાઈકોલોજી ઓફ ઇન્ટરપર્સનલ રીલેશન્સ’ નામના પુસ્તકમાં, ફ્રીત્ત્ઝ હેઈડર નામના મનોવિજ્ઞાનીએ કહ્યું હતું માણસો બીજા લોકોના વ્યવહારનું નિરીક્ષણ કરીને તેમની દાનતનો અંદાજ લગાવે છે, જ્યારે પોતાના વ્યવહાર માટે સંજોગોનો અંદાજ લગાવે છે. મતલબ કે મેં જે કર્યું એ અકસ્માત હતો પણ તમે જે કર્યું તે દાનત હતી!