આગ હૈયે ને જાત ખોડી દે,
એવી ધીરજ મનેય થોડી દે.
વાંક ના હોય ને વખોડી દે,
એવી હાલત ન કો' કફોડી દે.
હોઉં નિર્દોષ, પણ ન માને તો,
બે તમાચા ભલે તું ચોડી દે.
તાંતણા પર ટકેલ છું તારા,
ના ગમે તો તું એય તોડી દે.
ભાગ્યમાં ડૂબવું જ નક્કી હો,
રાખ સાગરને, નાવ છોડી દે.
કોઈ ચ્હેરો બીજો નહીં આપે,
એમ કર, આયનો જ ફોડી દે !
કેમ, ખૂટે છે શ્વાસ તારા પણ?
લે, આ મારાય તું જ જોડી દે.
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


આજે [10 ઑક્ટોબર 2021] વિશ્વ માનસિક આરોગ્ય દિવસ છે. ૨૦૧૭માં, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના કોન્વોકેશનમાં કહ્યું હતું કે ભારતમાં માનસિક આરોગ્યની મહામારીનો ખતરો છે. વિશ્વ આરોગ્ય સંગઠને ભારતને વિશ્વનો ‘સૌથી ડિપ્રેસ દેશ’ ઘોષિત કરેલો છે. તેણે અંદાજ આપેલો છે કે ભારતમાં સાતમાંથી એક વ્યક્તિનું માનસિક આરોગ્ય નબળું છે. અનેક અભ્યાસ પરથી આવેલા તારણ અનુસાર, ભારતમાં ૧૦ ટકા વસ્તી એવી બીમારીઓથી પીડાય છે જેને નિષ્ણાતની મદદની જરૂર છે. ભારતમાં માનસિક આરોગ્યને લઈને જાગૃતિની એટલી અછત છે કે ૧૩૬ કરોડ લોકોના દેશમાં ૯,૦૦૦ સાઈકિયાટ્રીસ્ટ અને ૨,૦૦૦ ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ છે, જ્યારે જરૂર છે ૩૦,૦૦૦ સાઈકિયાટ્રીસ્ટ અને ૩૮,૦૦૦ સાઇકોલોજિસ્ટની.
સમજદાર મનુષ્યો સમજે છે કે આ કોરોનાકાળ ખરેખર મુશ્કેલ છે. હું એમની આગળ મારું એક નમ્ર મન્તવ્ય મૂકું છું કે મુશ્કેલ છે એ તો બરાબર પણ માણસજાત એક એવા સમયમાંથી ગુજરી રહી છે જેને પરિવર્તનકાળ કહેવો જોઈશે. એટલું જ નહીં, એને આવી રહેલા બહુ મોટા બદલાવનો સમય કહેવો જોઈશે. સૂચવાય છે એમ કે કોરોના છે ત્યાં લગી અને જાય પછી તો ખાસ, માણસે બદલાઈને જુદી જ રીતે જીવતાં શીખવું પડશે.