તમારી સૂંઢને દૂધ પાઈને
સાપ તો અમે ઉછેર્યો
એ તો છંછેડાયો
અને જે વિફર્યો
અને સરક્યો ખૂણે ખૂણે,
પ્રસરાવ્યું ઝેર ગામેગામે
અને ચંપાવી આગ દેશભરમાં –
ઘણાં વર્ષો પછી
જ્યારે સૂક્ષ્મ જીવાણુ થઈ
ઘેરઘેર પહોંચ્યો એ જ સાપ યમદૂતનો ખેપિયો બની
અને આપ્યો અમને સૌને મૃત્યુદંડ
ત્યારે ક્યાં ખોવાઈ ગયા હતા તમે?
ગાંધીના ત્રણ વાંદરાની જેમ
ન કંઈ બોલવું, ન કંઈ સાંભળવું, ન કશું જોવું?
બુકાની પાછળ હોઠ સીવી તમે તો
બેસી રહ્યા ચુપચાપ –
તમારા પેટનું પાણી ય ન હલ્યું?
આજે જ કેમ મૌનવ્રત?
અમારા ઘંટારવ શંખનાદ અને તાળીઓના ગડગડાટથી
થઈ ગયા શું બહેરા?
તમારી આંખે ગાંધારીના પાટા?
સાપ ગયા?
લિસોટા રહ્યા?
કોણ કરશે હવે કાલિયમર્દન?
E-mail : salil.tripathi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2020; પૃ. 02
![]()



Sapien અને Homo Deus જેવાં સરસ અને સુપરહિટ પુસ્તકોના લેખક યુવાલ નોઆ હરારી / Yuval Noah Harariનો આ લેખ ૨૦ માર્ચના રોજ Financial Timesમાં છપાયો હતો. તેનો વાંચવા-વિચારવાના આનંદ ખાતર કરેલો અનુવાદ.
વર્તમાન આપત્તિ માટે લેવાયેલાં ઘણાં પગલાં કાયમી બની જશે. આપત્તિઓની એ જ પ્રકૃતિ હોય છે. તે ઐતિહાસિક પ્રક્રિયાઓની ઝડપને એકદમ વધારી મૂકે છે. સામાન્ય સંજોગોમાં જે નિર્ણય લાંબી વિચારણા પછી લેવાય, તે આવા સંજોગોમાં કલાકોમાં થઈ જાય છે. કાચીપાકી અને ખતરનાક ટેકનોલોજી પણ વપરાવા લાગે છે. કેમ કે, કશું નહીં કરવાનું જોખમ ઘણું મોટું હોય છે. વિશાળ સ્તરના સામાજિક પ્રયોગોમાં આખેઆખા દેશો પ્રયોગનું સાધન બની જાય છે.