એવા સમાચાર છે કે રિઝર્વ બેંકે કેટલાક વિલફુલ ડિફોલ્ટરોના 68,000 કરોડ માંડી વાળ્યા છે. એમાં મેહુલ ચોકસીના 5,492 કરોડ સહિત 50 જેટલાં નામો છે. કોઈ એવોર્ડ જાહેર કર્યા હોય તેમ આ માંડી વાળવાની રિઝર્વ બેંકની ટેવ ઘાતક છે. આની ભરપાઈ કોણ કરશે? તો કે બેંકોના ગ્રાહકો ક્યારે કામ આવશે?
રિઝર્વ બેન્ક કરતી આવી છે તેમ વળી રેપો રેટમાં ઘટાડો કરશે ને વ્યાજ દર ઘટાડશે તેથી લોન સસ્તી થશે. આ લોન લેનારા જ બેન્કોને ડુબાડતા આવ્યા છે. નાની લોન લેનારા પર બેંક ડોળા લાલ કરતી રહે છે ને મોટી લોનવાળા પર અમી નજર રાખી લોન માંડવાળ કરતી રહે છે. વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી જેવાને એ મામલે યાદ કરી શકાય.
અત્યારનો એન.પી.એ.નો આંકડો 19 લાખ કરોડ સંભળાય છે. આ આંકડો આનાથી વધારે પણ હોઈ શકે છે. રિઝર્વ બેંક અત્યારે બે મોટાં કામો કરી રહી છે. રેપોરેટ ઘટાડીને લોન સસ્તી કરવાનું. એમાં ડિપોઝિટર્સની તો એણે પથારી ફેરવી નાખી છે. તેમાં પણ જે લોકો વ્યાજ પર જીવે છે એવા સિનિઅર્સને તો મરવા વાંકે જ જીવવાની તેણે ફરજ પાડી છે. બીજું કામ તે હજારો કરોડની માંડવાળીનું. કેટલા ય માલેતુજારોને આવી નીતિને કારણે તેણે હરામી બનાવ્યા છે. જે પ્રમાણિક છે તે મરવા માટે જ છે. તેને અનેક નાના મોટા ચાર્જીસ લગાવીને લૂંટી શકાય એમ છે ને એ રીતે માંડવાળીની વસૂલાત કરવાનું બેંકોને ફાવતું આવ્યું છે ને આવશે. એવા દિવસ આવે તો આઘાત ન લાગવો જોઈએ કે બેલેન્સ પૂછવાનો ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલાય.
એક બીજું કામ રિઝર્વ બેંકે કર્યું છે તે મરેલી બેંકોને જીવતી કરવાનું. યસ બેંક પડી. તેને સ્ટેટ બેંકે બેઠી કરવા ટેકો કર્યો. એ સારું થયું કે ખરાબ, તે તો સમય કહેશે. બીજી કેટલીક નબળી બેંકો ને કેટલીક સક્ષમ બેંકો સાથે મર્જ કરવામાં આવી. એનાથી નબળી બેંકો કેટલી ઊભી થશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે, પણ સક્ષમ બેંકો પર તો બોજ વધ્યો જ છે. તેના મર્જ થયેલ બેંકો સાથેના પ્રશ્નો વધ્યા છે. સ્ટાફની વ્યવસ્થાના, ખાતેદારોના ખાતાના સવાલો સામે આવ્યા છે. એમાં જતે દિવસે સક્ષમ બેંકો નબળી ન જ પડે એવી આગાહી કોઈ કરી શકે એમ નથી. એ સંજોગોમાં મર્જર, મર્ડરની ગરજ સારે તો નવાઈ નહીં. ખરેખર તો મર્જરના આ વેપલા બંધ કરવા જેવા છે. આમે ય કેટલીક બેંકો બંધ પડી જ છે ને પોતાનો બોજ ઉપાડી શકી નથી તેમાં જે તે બેંકોની જવાબદારી બને જ છે. તેને થોડોઘણો ટેકો કરવાથી બેન્ક બેઠી થતી હોય તો તેવા પ્રયત્નોની ના જ નથી, પણ સારી કેરી પાસે સડેલી કેરી મૂકવાથી સારી પણ સડે તે આપણે સૌ જાણીએ છીએ. રિઝર્વ બેંકને એની ખબર હોય તો આનંદ થાય.વધારે શું કહેવું?
![]()


વસંતની શરૂઆતમાં પાડોશમાં એક મોટું વૃક્ષ મરી ગયું. એ મરી ગયું એવું કહેવું કે ન કહેવું એની ખાતરી નથી મને, કે પછી એને મારી નાખ્યું કે એને કાપી નાખવામાં આવ્યું એમ કહેવું ઠીક ગણાશે. મારા માટે એ મોટી ઘટના હતી. થોડા વખત સુધી હું એ વિશે વાત કરવાની સ્થિતિમાં નહોતી. પરન્તુ હવે એના વિશે વાત કરી શકીશ એવું મને લાગે છે.
જડ સમાજવ્યવસ્થા અને તેની રુઢિઓ સામે બંડખોર ફુલે દંપતી ભારોભાર કરુણા અને માનવીય સંવેદનાથી સભર હતું. ૧૮૯૦માં મહાત્મા ફુલેના અવસાન પછી તેમણે સ્થાપેલ “સત્યશોધક સમાજ” મારફત સાવિત્રી ફુલેએ તેમના સમાજસુધારણાના કાર્યોને આગળ વધાર્યા હતા. ૧૮૯૭માં મુંબઈ અને પુણેમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. અનેક લોકો તેમાં ટપોટપ મરવા માંડયાં હતાં. સાવિત્રીબાઈ ફુલેએ પ્લેગગ્રસ્તોની સારવાર અને સેવાનું કામ આરંભ્યું. તેમના ડોકટર દીકરા યશવંતે પુણેમાં દવાખાનું શરૂ કરી મરકીના ચેપગ્રસ્તોની સારવાર શરૂ કરી હતી. ચેપ લાગવાની પૂરેપૂરી શક્યતા છતાં પ્લેગગ્રસ્તોને શોધી શોધીને સાવિત્રીબાઈ તેમને પુત્રના દવાખાને લઈ આવતાં હતાં. તેમની સેવાશુશ્રૂષાથી દરદી સાજા પણ થતાં હતાં. પુણેની સડક પર પડેલા એક પ્લેગગ્રસ્ત અસ્પૃશ્ય બાળકનો ઈલાજ કરવો તો દૂર, કોઈ તેની નજીક પણ ફરકતું નહોતું. સાવિત્રીબાઈને તેની ભાળ મળતાં તેઓ તે બાળકને ખભે ઊંચકી દવાખાને લાવ્યા. ઘણા વખતથી મરકીગ્રસ્તોની સેવા કરતાં સાવિત્રીબાઈને આખરે ચેપ લાગ્યો અને ૧૦મી માર્ચ ૧૮૯૭ના રોજ પ્લેગને કારણે તેમનું અવસાન થયું હતું. તે પછી સેનામાં ડોકટર તરીકે જોડાયેલા યશવંત ફુલેએ ૧૯૦૫ના પ્લેગ વખતે પુણે આવી ફરી પ્લેગગ્રસ્તોની સારવાર કરી હતી. એક દિવસ તેમને પણ ચેપ લાગ્યો અને મૃત્યુ પામ્યા. આજના કોરોના વોરિયર્સના સમયમાં ફુલે માતા-પુત્રનું આ બલિદાન પણ સંભારવાની જરૂર છે.
ગાંધીજીના જીવનમાં આવેલા મરકીના મુકાબલાના એકાધિક પ્રસંગો પણ આજે પ્રાસંગિક છે. વિલાયતમાં બેરિસ્ટર થઈ સ્વદેશ આવેલા મોહનદાસ કરમચંદ ગાંધીનું પ્રામાણિકતાથી સત્યની વકીલાત કરવાનું વલણ રોટલા રળી આપે તેવું નહોતું. એ દરમિયાન દક્ષિણ આફ્રિકાથી દાદા અબ્દુલાનું કહેણ આવ્યું એટલે તે દક્ષિણ આફિકા ગયા. ત્યાં કુલીપણાનો અનુભવ થયો, તો ગિરમીટિયાની સમસ્યા સમજાઈ, તેની વિરુદ્ધમાં સત્યાગ્રહ કર્યો અને સફળતા મેળવી. મોહનદાસ ગાંધી દક્ષિણ આફ્રિકામાં ન માત્ર વકીલ રહ્યા, જાહેર કામ કરતા પણ થયા હતા. દક્ષિણ આફ્રિકામાં ગરીબ ગિરમીટમુક્ત હિંદીઓને ત્યાંના લોકો ‘કુલી’ તરીકે ઓળખતા અને તેમને શહેરોમાં નોખા રાખવામાં આવતા હતા. આવી જગ્યા “કુલી લોકેશન” કહેવાતી હતી. જોહાનિસબર્ગના હિદીઓ નવ્વાણું વરસના જમીનના ભાડાપટ્ટે ગંદકી અને ગીચતાથી ભરેલા કુલી લોકેશનમાં રહેતા હતા. એ વસાહતમાં ન સડક હતી, ન વીજળી હતી અને ગંદકીથી ભરેલાં પાયખાનાં હતાં. આ વસાહતમાં ગંદકી અને ખરાબી વધી તો સ્થાનિક મ્યુનિસિપાલિટીએ તેનો કબજો મેળવવાની તજવીજ હાથ ધરી. બેરિસ્ટર મોહનદાસ ગાંધી તેમાં વસતા હિંદીઓનો માલિકી હક અને વળતરનો કેસ “હાર થાય કે જીત, પટ્ટાદીઠ દસ પાઉન્ડ”ના હિસાબે લડ્યા અને જીત્યા.