Opinion Magazine
Number of visits: 9448780
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નોટબંધી, રિઝર્વ બેન્ક અને રાજન

રમેશ ઓઝા|Opinion - Opinion|12 November 2018

૮મી નવેમ્બરે નોટબંધીની બીજી સંવત્સરીને એવી રીતે ભૂલવાડવામાં આવી કે જાણે એવી કોઈ ઘટના જ ન બની હોય; પણ જેને ડામ લાગ્યો હોય એ દરદ કેમ ભૂલે! આખો દિવસ અને હજુ પણ સોશ્યલ મીડિયા પર એ વસમા દિવસોને યાદ કરવામાં આવે છે. કોઈ વડા પ્રધાનની ઠેકડી ઉડાડે છે અને કોઈ પૃથક્કરણ કરે છે. કોઈકે નોટબંધીની નિષ્ફળતાનું પ્રમાણ આપતો મેસેજ વાયરસ કર્યો હોત કે જો નોટબંધી સફળ નીવડી હોત તો આઠમી નવેમ્બરનાં અખબારોમાં આખું પાનું ભરીને નરેન્દ્ર મોદીના મોટા ફોટા સાથે પહેલે પાને અને ટીવી-ન્યુઝ ચેનલોમાં એડવર્ટાઈઝમેન્ટ આપવામાં આવી હોત. પ્રજા-કલ્યાણનાં મહાન પગલાંને લોકો ભૂલે નહીં, એ માટે સોએક કરોડ રૂપિયા એડવર્ટાઈઝમેન્ટ પાછળ ફૂંકી માર્યા હોત. એમ તો વડા પ્રધાને તેમના ૧૫મી ઓગસ્ટના ૮૫ મિનિટ લાંબા પ્રવચનમાં નોટબંધીનો ઉલ્લેખ નહોતો કર્યો. તેમણે લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે ‘હમ મખ્ખન પર નહીં, પથ્થર પર લકીર કરતે હૈ.’ કવિ રમેશ પારેખના આલા ખાચરની જેમ મોળી વાત જ ન નહીં કરવાની.

દુર્ભાગ્યે પથ્થર એટલો કડક નીકળ્યો કે પથ્થર તો તુટ્યો નહીં, પરંતુ એમાં સીણી – હથોડી બન્ને ભાંગી ગયાં. સીધે પાટે દોડતું અર્થતંત્ર પાટા પરથી ઊતરી ગયું. એ દુ:સાહસ હતું એમાં તો હવે કોઈને શંકા રહી નથી; પરંતુ કેટલાક લોકો એમ કહે છે કે એ દુ:સાહસ નહોતું, કૌભાંડ હતું. સાચી વાત આ સરકાર જશે અને તેની જગ્યાએ ગેર-એન.ડી.એ. સરકાર આવશે ત્યારે બહાર આવશે. નોટબંધી અને રાફેલનું સત્ય એક દિવસ બહાર આવશે જ એમાં કોઈ શંકા નથી.

આઠમી નવેમ્બર ૨૦૧૬ના રોજ રાતે આઠ વાગે વડા પ્રધાને પાંચસો અને હજારની નોટ રદ્દ કરી, એના ચાર કલાક પહેલા રિઝર્વ બેન્કના બોર્ડની બેઠક મળી હતી. કાનૂની જરૂરિયાત માટે એ બેઠક ખાસ બોલાવવી પડી હતી, જેમાં કેન્દ્ર સરકારના નોટબંધી કરવાના નિર્ણયને માન્ય રાખવામાં તો આવ્યો હતો, પરંતુ નોટબંધી કરવાં પાછળ જે ત્રણ કારણ આપવામાં આવ્યાં હતાં, એમાંથી બે કારણ રિઝર્વ બેન્કને ગળે ઊતર્યાં નહોતાં. નોટબંધી કરવા પાછળનું મુખ્ય કારણ આપવામાં આવ્યું હતું, કાળાં ધનને પસ્તીમાં ફેરવી નાખવાનું. રિઝર્વ બેન્કના બોર્ડે સરકારને સલાહ આપી હતી કે જે લોકો કાળું ધન ધરાવે છે એ ઘરમાં નોટની થપ્પી લગાડીને નથી રાખતા. ભારતમાં કાળું નાણું રીઅલ એસ્ટેટમાં અને કિંમતી ધાતુમાં રોકાયેલું હોય છે અને એ નોટબંધીથી નિરસ્ત થવાનું નથી.

બીજું કારણ નકલી નોટોને પસ્તી બનાવવાનું આપ્યું હતું તો એ વિષે રિઝર્વ બેન્કના બોર્ડે સરકારને કહ્યું હતું કે જેટલી ધરવામાં આવે છે એટલી નકલી નોટો બજારમાં ફરતી નથી. ત્રાસવાદીઓને નાણા વિનાના કરી દેવાનું ત્રીજું કારણ કોઈ ખાસ વજૂદ નહોતું ધરાવતું એટલે રિઝર્વ બેન્કે તેની ખાસ નોંધ નહીં લીધી હોય. આજ સુધી કોઈ ત્રાસવાદી જૂથ પાસેથી કરોડો રૂપિયા હાથ લાગ્યા હોય એવી ઘટના જોવામાં નથી આવી. તેમની નાણાકીય વ્યવસ્થાની મોડસ ઓપરેન્ડી જુદા પ્રકારની હોવી જોઈએ. રિઝર્વ બેન્કના બોર્ડની એ સાંજની ખાસ બેઠકની મિનિટસ ‘ઇન્ડિયન એક્સપ્રેસે’ પ્રકાશિત કરી છે, અને નથી તેને નાણા ખાતાએ રદિયો આપ્યો કે નથી રિઝર્વ બેન્કે. બીજું એ બેઠકમાં રિઝર્વ બેન્કે સરકારને એવી પણ ચેતવણી આપી હતી કે તેને પરિણામે થોડા સમય માટે અર્થતંત્રને નુકસાન પહોંચશે.

ટૂંકમાં ફાયદો તો કોઈ થવાનો નથી, ભલે થોડા સમય માટે પણ નુકસાન થવાની શક્યતા છે એવી રિઝર્વ બેન્કના બોર્ડે ચેતવણી આપી હોવા છતાં ચાર કલાક પછી નોટબંધી જાહેર કરવામાં આવી હતી. કાં તો આજ સુધી કોઈએ વિચાર્યું નથી કે કર્યું નથી એવું કરીને સોપો પાડી દેવાનો ઈરાદો હતો અને કાં મની લોન્ડરિંગની નેશનલ સ્કીમ હતી, જેમાં સરકાર દેશને ફદિયાની પણ આવક કરાવ્યા વિના કાળાં નાણાં ધરાવનારાઓને મદદરૂપ થઈ હતી. પહેલા પાંચ દિવસ દરમ્યાન ગુજરાતની કોઓપરેટિવ બેન્કોમાં પૈસા ઠલવાતા હતા. આમાં સામાન્ય પ્રજાએ કારણ વિના હાલાકી ભોગવી હતી.

રિઝર્વ બેન્કના બોર્ડની મિનિટ્સ બહાર આવી એ પછી રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને નોટબંધીના નિર્ણયની ટીકા કરી છે. અમેરિકામાં યુનિવર્સિટી ઓફ કેલીફોર્નિયામાં એક વ્યાખ્યાન આપતા ડૉ. રઘુરામ રાજને કહ્યું છે કે નોટબંધી તથા ખરાબ રીતે લાગુ કરવામાં આવેલા જી.એસ.ટી.એ ભારતનાં અર્થતંત્રની દશા બગાડી નાખી છે. વૈશ્વિક આર્થિક સંકટની વચ્ચે ૨૦૧૨ થી ૨૦૧૬ના વરસોમાં ભારતનું અર્થતંત્ર ઝડપભેર પાટે ચાલી રહ્યું હતું, તેને ખોરવી અનાખવામાં આવ્યું. તેમણે કહ્યું હતું કે જ્યારે દેશને દર મહિને દસ લાખ રોજગારીની જરૂરિયાત હોય ત્યારે સાત ટકાનો વિકાસદર કાંઈ ન કહેવાય. આ દરે ભારત પાછળ ધકેલાતું જશે અને સાત ટકાનો વિકાસદર નવા યુગનો નવો હિન્દુ રેઈટ ઓફ ગ્રોથ ગણાશે.

તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીની પણ ટીકા કરી હતી. સત્તાનું એટલું બધું કેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ કોઈ કામ જ નથી કરી શકતી. સંકટનો સામનો એક વ્યક્તિ ન કરી શકે, તેને માટે સંઘબળ જોઈએ. અનેક લોકો સમિધા બને ત્યારે યજ્ઞ સફળ નીવડે. તેમણે મજાકમાં સરદાર પટેલનાં પૂતળાનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે જ્યારે વડા પ્રધાન ઈચ્છે છે ત્યારે નિશ્ચિત કરેલા સમયમાં પરિણામ બતાવી શકે છે. જો પૂતળું સમયસર બંધાવી શકે તો બીજાં કામ કેમ ન કરી શકે? ડૉ. રઘુરામ રાજને બેન્કોના એન.પી.એ.ના કારણે જવું પડ્યું હતું એ તો જાણીતી હકીકત છે. એન.પી.એ. વિષે ફરી તેમણે કહ્યું હતું કે બેન્કોમાં, બેન્કિંગ વ્યવસ્થામાં અને એકંદર વ્યવસ્થામાં વ્યવસ્થાકીય સુધારાઓ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ જાદુ થવાનો નથી.

હવે પછી અરવિંદ સુબ્રમણ્યમ બોલશે અને બીજા બોલશે. તઘલખી નિર્ણયોને ખુદ્દારી ધરાવનારા બધા થોડા અનુમોદન આપે!

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 12 નવેમ્બર 2018

Loading

12 November 2018 admin
← Words unheard
A Tale of Two Judgments: Asia Bibi and Sabariamala →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved