Opinion Magazine
Number of visits: 9448064
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ટેચ્યૂ ઑફ યુનિટીઃ કોના ભોગે, કોના ભાગે?

પાર્થ ત્રિવેદી|Opinion - Opinion|2 November 2018

આ વર્ષે જેમની સાર્ધ-શતાબ્દી ઊજવાશે તે ગાંધીને માત્ર સ્વચ્છતાના પાઠ અને ચશ્માં પૂરતા સીમિત કરવા સમગ્ર સરકારી તંત્ર લાગેલું છે. તો હવે સરદાર પટેલના વિચારો બાજુ પર મૂકી તેમને બાવલા સુધી સીમિત કરવામાં આવશે. ૩૧મી ઑક્ટોબરે વડાપ્રધાન કેવડિયા કૉલોની, સરદાર સરોવર ખાતે ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’નું ઉદ્‌ઘાટન કરશે. ‘યુનિટી’ના નામે જ્યારે આ ઉપક્રમ યોજાઈ રહ્યો છે, ત્યારે છેલ્લાં વર્ષોમાં લઘુમતીઓ પર વધી રહેલા હુમલાઓ અને હાલમાં ગુજરાતમાં ‘પરપ્રાંતિયો’ પર થયેલી હિંસા બાદની હિજરત પણ આપણી આંખ સામે જ છે.

નર્મદાની કૅનાલનાં કામો આજ સુધી પૂર્ણ થયાં ન હોય, ત્યારે ત્રણ હજાર કરોડથી વધુ ખર્ચ સ્ટેચ્યૂ પાછળ કેમ કરવામાં આવ્યો, તે પ્રશ્ન તો સતત પૂછવો જોઈએ. સ્ટેચ્યૂ પાછળ થનારો ખર્ચ પાંચહજાર કરોડ સુધી પહોચ્યાનો અંદાજ છે. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના સમાચાર મુજબ સરકારી પેટ્રોલિયમ અને ગૅસ કંપનીઓ ૨૦૦ કરોડ રૂપિયાની ફાળવણી સ્ટેચ્યૂ માટે કરશે. આમ, સ્ટેચ્યુ પાછળ થનાર નાણાકીય ખર્ચનો ખરો હિસાબ પણ માંગવો જ રહ્યો. સરદાર સરોવર ડેમ બન્યા બાદ, ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ને મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ તરીકે રજૂ કરવામાં આવ્યો, પરંતુ આ વિસ્તારમાં એક માત્ર પ્રોજેક્ટ નથી. આ વિસ્તારમાં પ્રોજેક્ટોનું એક જાણે વિશાળ જાળું બનાવવામાં આવી રહ્યું છે. સ્ટેચ્યૂથી થોડે આગળ ગરુડેશ્વર પાસે એક વિયરનું (નાના ડેમ) બાંધકામ ચાલી રહ્યું છે. આ વિયરમાં પાણી ભરાશે ત્યારે ગોરા, વાગડિયા, પીપળિયા, ઇન્દ્રવર્ણા વગેરે ગામોની કેટલી જમીન ડૂબમાં જશે, તેનો અંદાજ આપવામાં આવ્યો નથી. વિયરના લાભની વાત તો બાજુ પર જ રહી.

આ બધું ‘નિહાળવા’ સમગ્ર ભારતમાંથી – ગુજરાતમાંથી લાખો લોકો આવશે આ અંદાજ માંડીને દરેક દિશામાંથી કેવડિયા તરફ આવતા રસ્તાઓ પહોળા કરવામાં આવ્યા છે અને કેટલીક બાજુ તેનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. ડભોઈથી તિલકવાડા, તિલકવાડાથી કેવડિયા, રાજપીપળાથી ગરુડેશ્વર અને રાજપીપળાથી ભાણદ્રા થઈ કેવડિયા આવતા બધા રસ્તાઓ પહોળા કરવામાં આવ્યા છે. એક વખત રસ્તા પર બંને તરફનાં વૃક્ષોની ઘટાઓ એટલી તો વિશાળ હતી કે રસ્તા પર સતત છાંયો પથરાયેલો રહેતો. આજે આ લાખો વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. વર્ષો જૂના હજારથી વધુ વડલાઓ જડમૂળમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.

એક ખેડૂત પોતાના ખેતરના શેઢે વર્ષોની માવજતથી ઊછરેલું ઝાડ કાપી રહ્યો હતો … પૂછતાં તેણે દુઃખ સાથે જવાબ આપ્યો કે ‘સરકારી માણસો આવીને ઝાડ કાપીને લઈ જાય અને વેચી નાખે, તેનાથી સારું અમે જ ઝાડ કાપીને લાકડું લઈ ન લઈએ!’

રસ્તા પહોળા કરવા કેટલાંક ઘરો અને દુકાનો પણ તોડી પાડવામાં આવે છે. બીજી તરફ ચાણોદથી કેવડિયા વચ્ચે રેલવે લાઈન નાખવામાં આવશે, જેમાં બેસીને સુપર ધીમી ઝડપે પ્રવાસીઓ કેવડિયા પહોંચી શકશે. આ સૂચિત પ્રોજેક્ટ માટે જમીન- સંપાદનની નોટિસ જાહેર કરવામાં આવી છે. લગભગ છેલ્લા ચાર મહિનાથી અનેક અરજીઓ કરી હોવા છતાં આ પ્રોજેક્ટની કોઈ વિગતો સ્થાનિક લોકોને આપવામાં આવી નથી. કેવડિયા કૉલોની ખાતે પ્રવાસીઓ માટે વિશાળ ‘શ્રેષ્ઠ ભારતભવન’નું નિર્માણ ચાલી રહ્યું છે. સાથે દરેક રાજ્ય સરકારને આ વિસ્તારમાં પોતાના રાજ્યનાં ભવનોનું નિર્માણ કરવાનું સૂચવવામાં આવ્યું છે. આ દરેક માટેની જમીનો ક્યાંથી ?

છેલ્લી ઘડીનું ઘણું કામ કંપની વિવિધ લાલચ આપીને અને સરકાર પોલીસના દબાણ-દમન હેઠળ ચાલી રહ્યું છે. મોટી ક્રેનો, રાતદિવસ ચાલતું કામકાજ અને જનતાના કરોડો રૂપિયાનો ધુમાડો. માત્ર દેખાડા માટે … ભપકા માટે અને બિનજરૂરી વિશ્વવિક્રમ સ્થાપવા માટે. વર્ષોથી ખેતી દ્વારા સ્વનિર્ભર જીવન જીવતા આદિવાસીઓ આજે કંપનીમાં કામદાર બન્યા છે અથવા સ્ટેચ્યૂની સફાઈ અને માવજત કરવાની નોકરીની ગુલામી કરી રહ્યા છે. સરકાર વ્યૂહરચના પ્રમાણે ક્રમિક રીતે સંસાધનો છીનવી રહી છે અને જમીનો ઝૂંટવી રહી છે, એટલે લોકોને અન્યાય થાય છે, તેમ છતાં તેમને સંગઠિત કરવા મુશ્કેલ છે.

સ્થાનિક પ્રશ્નો શું છે? આ પ્રોજેક્ટથી સ્થાનિક લોકોને શું લાભ છે? અને ખરેખર જરૂરિયાત છે કે નહીં? આ અંગે કોઈ વિચાર થયો હોય તેમ લાગતું નથી. ઉપરથી નીતિગત નિર્ણયો લઈને થોપવામાં આવે છે. સ્થાનિક સંસાધનો પર સરકાર અને ખાનગી માલિકી વધી રહી છે. સ્થાનિક લોકોની આજીવિકા, ખેતી-અન્નસુરક્ષા, જમીન-અધિકાર અને સરવાળે તો માનવ-અધિકાર સામે પડકાર છે … આ પડકાર દિવસે-દિવસે મોટો થઈ રહ્યો છે.

સ્ટેચ્યૂ અંગે સવાલ પૂછીએ, ત્યારે સરદાર પટેલના પ્રદાનને લઈને આપણી નિષ્ઠા પર સવાલ ઉઠાવવામાં આવે છે. સરદાર પટેલનાં જીવન-વિચાર અને આપણી નિષ્ઠા એક તરફ છે. બીજી તરફ બાવલું એ ઘેલછા અને દેખાડા માટે થઈ રહેલા બિનજરૂરી ખર્ચનું પ્રતીક છે, છેલ્લા વર્ષમાં ભારતમાં જે બજાર આશ્રિત સરકારી માળખું વિકસી રહ્યું છે અને લોકો પર તેમનું દમન અને હિંસા દિવસે દિવસે વધી રહ્યાં છે, તેનું પ્રતીક છે. આપણી જાતને તેમ જ આપણી સરકારોને આપણે સતત પ્રશ્નો પૂછતા રહેવું પડશે કે આપણી પ્રાથમિકતાઓ શું છે ? આપણા વિકાસના માપદંડો શું છે?

E-mail : parth.trivedi18@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2018; પૃ. 19

Loading

2 November 2018 admin
← અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી
કેન્દ્ર સરકારે આબરૂ ગુમાવી છે એમાં અરુણ જેટલીનો મોટો ફાળો છે →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved