Opinion Magazine
Number of visits: 9449574
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જનરલ કંઇક વધારે પડતું જ બોલે છે

રામચંદ્ર ગુહા|Opinion - Opinion|6 April 2018

હાલમાં જ બિપીન રાવતે દેશની પૂર્વોત્તર સીમાની સુરક્ષાનાં મુદ્દે દિલ્હીનાં એક સેમિનારમાં કહ્યું હતું કે આસામમાં એક પાર્ટી AIUDF (All India United Democratic Front) છે. તમે જુઓ કે જે પ્રકારે બીજેપી વર્ષ ૧૯૮૪માં ૨ સીટોથી વધીને આજે અહીં સુધી પહોચી છે તેનાં કરતાં પણ ઝડપથી આ પાર્ટી AIUDF અહીં ગતિ કરી રહી છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે અમે ત્યાં સમસ્યાઓ ઊભી કરતાં કેટલાંક લોકોની ઓળખ કરી લીધી છે અને તેઓ ગેરકાયદેસર શરણાર્થીઓ પણ હોઈ શકે છે. આસામમાં બહારથી ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમો આવી રહ્યાં છે. બાંગ્લાદેશમાંથી પણ સતત સ્થળાંતર થઇ રહ્યું છે. જેનાં કારણે સમસ્યાઓ વધારે વિકટ બની રહી છે.

તેમનાં પોતાનાં અને આપણા હિતાર્થે જોતાં આર્મી ચીફ બિપીન રાવત જાહેરમાં જે કાંઇ પણ બોલે છે તે પ્રત્યે તેમણે સભાનતા કેળવવી જોઈએ.

ગત અઠવાડિયે (આ લેખ તારીખ ૯ નવેમ્બર, ૨૦૧૭નાં રોજનો છે) ઇન્ડિયન આર્મીના ઉચ્ચ કક્ષાના ઓફિસર બિપીન રાવત કોડાગુ (કર્ણાટકા) નામક એક સુંદર જિલ્લાની મુલાકાતે ગયા હતા. ત્યાં તેમણે આર્મી સ્ટાફના પ્રથમ ભારતીય વડાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને આ કાર્યક્રમમાં હાજરી દરમિયાન જનરલ રાવતે કહ્યું હતું કે હવે એ સમય આવી ગયો છે કે જ્યારે ભારતરત્ન એવોર્ડ માટે ફિલ્ડ માર્શલ કરિઅપ્પા(Kodandera M. Cariappa)નું નામ સૂચવવું જોઈએ. વધુમાં રાવતે અહીં જણાવ્યું હતું કે જ્યારે અન્ય લોકો ભારતરત્ન એવોર્ડ મેળવી રહ્યા છે ત્યારે હું તેમાં કોઈ કારણ જોતો નથી, પણ કરિઅપ્પા આ એવોર્ડને લાયક છે અને હું ટૂંક સમયમાં જ એ મુદ્દે સંબોધન કરીશ કે ભારતરત્ન એવોર્ડ માટે કરિઅપ્પાને પ્રાથમિકતા મળવી જોઈએ. હું આપણી આર્મીનો પ્રશંસક છું અને તેને માન પણ આપું છું. (મારો જન્મ અને ઉછેર દહેરાદૂન ખાતે આવેલી ઇન્ડિયન મિલિટરી અકાદમી પાસે જ થયો છે) અને જ્યારથી હું કર્ણાટકમાં રહું છું, મત આપું છું અને ટેક્સ ભરું છું ત્યારે હું એવું ઈચ્છું છું કે ભારતરત્ન એવોર્ડ કર્ણાટકની કોઈ એક વ્યક્તિને પ્રાપ્ત થાય. આ થકી મારા અને ફિલ્ડ માર્શલ કરિઅપ્પાના જૂના પારિવારિક સંબંધો વધારે મજબૂત બનશે.

જ્યારે મેં જનરલ રાવતની આ ટિપ્પણી અંગેનાં સમાચાર વાંચ્યા, ત્યારે મને ધ્રાસકો લાગ્યો. પોતાના પુરોગામીને ભારતરત્ન એવોર્ડ મળે તેવી ભલામણ જાહેરમાં કરવી એ આર્મી ચીફનું કાર્ય નથી. તેઓ કોઈ પણ સમયે આ પ્રકારની વાત કરે તે યોગ્ય નથી કે જ્યારે થોડા જ મહિનામાં કર્ણાટકમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. જો એવું હોય કે આર્મીની સાથે સઘળી ચર્ચા કર્યા બાદ જનરલ રાવત એ પ્રકારના કોઈ નિર્ણય પર આવ્યા હોય કે ફિલ્ડ માર્શલ કરિઅપ્પા ભારતરત્નને લાયક છે, તો તેમણે એક અંગત પત્રમાં આ પ્રસ્તાવ રાષ્ટ્રપતિ ભવનમાં મોકલવો જોઈતો હતો અને કોડાગુ જિલ્લાની જાહેરસભામાં આ મુદ્દે ઢંઢેરો પીટવો યોગ્ય નથી. પરંતુ, જનરલ રાવતે આ પ્રસ્તાવ અંગે આર્મી વર્તુળમાં ચર્ચા કરવા જેવી હતી. જો તેમણે આવું કર્યું હોત તો અન્ય વ્યક્તિઓનાં નામ અંગેની પણ એવોર્ડ માટે ચર્ચા થઇ શકી હોત.

કરિઅપ્પાની એકમાત્ર વિશિષ્ટતા એ હતી કે તેઓ સૌ પ્રથમ આર્મી ચીફ હતા અને એવું નથી કે તેઓએ તેમના ક્ષેત્રમાં કુશળતા પ્રાપ્ત કરી જ હોય. લશ્કરી ઇતિહાસવિદના તેમના સાથી જેવા કે કોડાવા જનરલ, કે.એસ. થીયપ્પાને તેમનાં કરતાં પણ વધારે હોશિયાર ગણાવે છે. આર્મીનાં ક્ષેત્રમાં પણ કોઈએક વ્યક્તિ સુધી સીમિત રહેવું એ યોગ્ય નથી. અને કદાચ હવાઈ અધિકારી માર્શલ અર્જન સિંઘ ભારતરત્ન એવોર્ડ માટે કરિઅપ્પા અને થીયપ્પા કરતાં પણ વધારે દાવેદાર છે. એક જાહેર સભામાં બોલતા પહેલાં શું રાવતે આ અંગે કશું પણ જાણ્યું હતું? કદાચ એવું બને કે જનરલ રાવતની ટિપ્પણીઓ યોગ્ય સ્થાને નહોતી પણ, એવું પણ નહોતું કે તેઓને આ પાત્રથી પર કશું ખબર હોય જ નહિ.

ભૂતકાળના આર્મી ચીફની માફક જનરલ રાવત પણ તેમના મુદ્દાથી બહારની વાત જાહેરમાં સંબોધી ચૂક્યા છે કે જેનાથી તેમનો અને સાથે સૈન્યનો પણ નકારાત્મક પ્રચાર થયો છે. રાવતે આ પ્રકારની વાત જાહેરમાં કરવી જોઈએ નહિ, દાખલા તરીકે તેઓએ જાહેરમાં કાશ્મીરમાં પથ્થરમારો કરનાર લોકોની આતંકવાદીઓની સાથે સરખામણી કરી હતી. તેઓને જાહેરમાં એવી પણ બડાઈ હાંકવાની જરૂર નહોતી કે આપણી આર્મી વારાફરતી બંને મોરચે લડાઈ લડવા માટે તૈયાર હતી. સત્યના પરિપ્રેક્ષ્યમાં આ બંને વિધાનો પક્ષપાતી વલણ ધરાવે છે અને દુર્ભાગ્યે તેની અસર પણ પડે છે. જનરલ રાવતના શબ્દો પ્રશ્નો કરી શકાય એવા ખુલ્લા છે, સાથે તેમનાં કાર્યો પણ એ પ્રકારના જ છે.

મુંબઈમાં રેલવે ઓવરપાસ બનાવવા માટે આર્મીની મદદ લેવી તે પ્રકારના સરકારી સંઘના નિર્ણયની બહોળા પ્રમાણમાં ટીકા કરવામાં આવી હતી. આ જોતાં એવું લાગી રહ્યું છે કે ટેકનોલોજીનો અમલ કરવા કરતાં પણ આ નુકસાનનું નિયંત્રણ કરવા માટે શાસક પક્ષને ખૂબ કવાયત કરવી પડશે. (આ માટે, સંરક્ષણ સંઘ અને રેલવે મંત્રીઓ સાથે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી પણ જે – તે સ્થળે ફોટો ખેંચાવવા માટે પહોંચી ગયા હતા.) સરકારના આ નિર્ણયનું આર્મીના ચીફે પાલન કર્યું હતું અને રેલવેના પોતાના ઈજનેરી દળનો જુસ્સો પણ તોડી પાડ્યો હતો. જાણે કે નાના એવા બ્રીજનું નિર્માણ કરવું એ ભાગ્યે જ થતું કાર્ય છે. સુશાંત સિંઘે તેમની કોલમમાં લખ્યું હતું કે સરકારને એ વાતનો ખ્યાલ હોવો જ જોઈએ કે આર્મીનાં સ્ટાફને સંકટમય હોય નહિ તે પ્રકારની નાગરિકની ફરજ માટે રોકવા તે સહજ રીતે સંસ્થાકીય ખતરો છે. નાગરિકોના રોજિંદા કાર્ય માટે વગર વિચાર્યે આર્મીનો માર્ગ પલટો કરવો યોગ્ય નથી અને તે માટે ભવિષ્યમાં દેશને મોંઘી કિંમત ચૂકવવી પડશે.

દાયકાઓ પહેલાં, જાહેર સંસ્થાઓમાં ભારતીય લોકશાહીને અતિશય રાજકીય દખલગીરીમાંથી પસાર થવું પડ્યું હતું. ઇન્દિરા ગાંધીનાં આગમનની સાથે જ અમલદારશાહી, પોલીસ, કર અને જકાત સત્તાવાળા તેમ જ તપાસ એજન્સીને પોતાની સ્વાયત્તતા ગુમાવવી પડી હતી. તેમનાં આગમનની સાથે જ અન્ય રાજકારણીઓ (તમામ પક્ષનાં અને તમામ રાજ્યનાં) વધુને વધુ પ્રાપ્ત કરતાં ગયાં. જ્યારે રહી ગયેલાં વ્યક્તિગત અધિકારીઓ કે જેમણે વ્યક્તિગત મંત્રીઓ હોવા છતાં પોતાનાં સૂચનો બંધારણમાંથી મેળવ્યાં અને તે પણ બંને રાજ્ય અને કેન્દ્રસ્થાનેથી. પક્ષનું સત્તાસ્થાને આવવાના કારણે ઘણા સરકારી ખાતાઓનો વિસ્તાર થયો હતો.

આપણા દેશની જાહેર સંસ્થાઓમાં ઓછું સમાધાન કરતી હોય તેવી જાહેર સંસ્થાઓમાં ચૂંટણી પંચ, રીઝર્વ બેંક, સુપ્રીમ કોર્ટ અને દેશની આર્મીનો સમાવેશ થાય છે. છતાં પણ તેની સ્વતંત્રતા સંબંધિત છે પણ નિરપેક્ષ નથી. જો આ સંસ્થાઓ સિદ્ધાંતમાં માનનારા અને હિંમતવાળા લોકો દ્વારા ચાલતી હોય તો, તેમની સ્વાયત્તતા અકબંધ રહે અને શ્રેષ્ઠ પ્રદાન કરી શકે. અને જો આવું ના હોય તો તેઓ રાજકીય દખલગીરીના શંકાના દાયરામાં રહે છે અને અપેક્ષિત પરિણામ આપી શકતા નથી. એ વાત ચોક્કસપણે વ્યાજબી ગણી શકાય કે ટી.એન. સેશાન અને એસ.વાય. કુરેશી એવા સખત પ્રયત્નો કરશે કે જેથી ચૂંટણી પંચની અખંડિતતા અકબંધ રહે તેમ જ અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં આઈ.જી. પટેલ અને રઘુરામ રાજન એ પ્રકારની નાણાકીય નીતિઓની રચના કરશે કે જેથી શ્રેષ્ઠ વ્યાજ મળી શકે. પણ, તે હોદ્દાઓ પરના અન્ય વ્યક્તિઓ અંગે કશું કહી શકાય તેમ નથી. નૈતિક હિંમતનો અભાવ અથવા નિવૃત્તિ બાદની નોકરી બાદની મહત્ત્વકાંક્ષાઓ ઘણીવાર ન્યાયધીશો, મધ્યસ્થ બેંકના રાજ્યપાલ અને ચૂંટણી આયુક્તને એ માર્ગે દોરી જાય છે કે જે તેઓ ક્યારે ય કરી શકે તેમ નથી. ભૂતકાળમાં ઘણા એવા આર્મી ઓફિસર્સ ધ્યાનમાં આવ્યા છે કે જેમનો કોઈ ચોક્કસ રાજકારણી સાથે સંબંધ હોય. વર્ષ ૧૯૫૦ દરમિયાન લેફ્ટનન્ટ જનરલ બી.એમ. કૌલ અને સંરક્ષણ મંત્રી કૃષ્ણ મેનનના કુખ્યાત સંબંધો પ્રકાશમાં આવ્યા હતા. પણ, આર્મી સ્ટાફના વડાઓ કર્તવ્યનિષ્ઠપણે રાજકારણથી દૂર જ રહે છે. ઓફિસમાં શ્રેષ્ઠ રીતે કાર્ય કરનાર આર્મીના વડાઓમાં જનરલ ટી.એન. રૈનાનો સમાવેશ થયો હતો. તેમના વિશેની એ વાત નોંધનીય છે કે કટોકટી દરમિયાન તેમણે શાસકપક્ષને આર્મીના યુનિટની મદદ માટે ના પાડી દીધી હતી, જ્યારે આ મદદ માટેનો હુકમ સંરક્ષણ મંત્રીએ કર્યો હતો. સાથે તે વાત પણ માનવી જોઈએ કે વર્ષ ૧૯૭૭માં કોંગ્રેસ ચૂંટણી હારી ત્યારે તેમણે પરિણામ રદ કરવા માટેની દરમિયાનગીરીની વાત નકારી કાઢી હતી. મોટાભાગના આર્મી સ્ટાફના વડાઓ જાહેર બાબતો વિષયક ટિપ્પણીઓ કરવાનું ટાળે છે. જેમાં માત્ર બે બાબતો અપવાદ રહેલી છે, એક જ્યારે તે વ્યક્તિ વર્તમાન પદધારી હોય અને બીજુ કે જ્યારે તે વ્યક્તિની ભારે પ્રશંસા કરવામાં આવી હોય. એ વાત નોંધનીય છે કે વર્ષ ૧૯૫૨માં જનરલ કરિઅપ્પાએ સમગ્ર દેશમાં ઘણાં ભાષણો આપ્યા હતા અને ઘણી પ્રેસ કોન્ફરન્સનું આયોજન પણ કર્યું હતું. તેમણે તે દરમિયાન રાજકીય અથવા અર્ધ-રાજકીય નેતાની ભૂમિકા ભજવી હતી. ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ આર્મી ચીફને તાત્કાલિક લેખિતમાં પ્રેસ કોન્ફરન્સમાં ઘટાડો કરવા માટેની સલાહ આપી હતી. આ જ રીતે આપણા વર્તમાન વડાપ્રધાન આપણા વર્તમાન આર્મી ચીફને આ પ્રકારની કોઈ સલાહ આપી શકે તેમ છે અથવા એવી કદાચ એવી કોઈ સલાહ ના પણ આપે. છતાં પણ જનરલ રાવતે જાહેરમાં ઓછું જ બોલવું જોઈએ. કારણ કે તેમના આ જાહેર ઉચ્ચારણ તેમની ઓફિસની અને ઇન્ડિયન આર્મીની વિશ્વસનીયતાને નુક્સાન પહોંચાડી શકે છે.

અનુવાદ – નિલય ભાવસાર

From The Indian Express, November 9th 2017

Loading

6 April 2018 admin
← હાસ્ય-વ્યંગની પ્રથમ દલિત લઘુનવલ : ભદ્રંભદ્ર – અનામત આંદોલનમાં
પ્રાઈવસીના કેટલા ટકા? તમારો પાસવર્ડ આપો, પ્લીઝ! →

Search by

Opinion

  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved