Opinion Magazine
Number of visits: 9446868
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઘટતી જતી રોજગારી વચ્ચે યુવાઓનો પડકાર

પ્રમોદ ભાર્ગવ, પ્રમોદ ભાર્ગવ|Opinion - Opinion|12 March 2018

સરકાર તરફથી રોજગારી પૂરી પાડવામાં આવશે, એવાં વચન તો ઘણાં કરવામાં આવે છે, છતાં પણ રોજગારી એ એક દિવાસ્વપ્ન જેવી સાબિત થઈ રહી છે. આ પરિપ્રેક્ષ્યમાં સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે વર્ષ ૨૦૧૮માં પણ નવી રોજગારીનું સર્જન થવાની સંભાવનાઓ ન્યૂનતમ છે. સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રોમાં જે રોજગારી હતી, તે પણ હવે ધીરે-ધીરે ખતમ થઈ રહી છે. આવામાં કૃત્રિમ બુદ્ધિ ધરાવતાં રોબોટ પણ યુવા ભારત માટે એક મોટો પડકાર બનીને સામે આવી રહ્યાં છે.

વર્તમાનમાં જે પણ આર્થિક સર્વે આવી રહ્યાં છે, તે મુજબ નવી નોકરીઓનું સર્જન સરકારી ક્ષેત્રની સાથે ખાનગી ક્ષેત્રમાં પણ એક મોટો પડકાર બનીને ઊભું છે. જ્યારે મોટી સંખ્યામાં શિક્ષિત યુવાઓ નોકરીની શોધમાં છે. આવી વિકટ સ્થિતિમાં યુવાઓ નોકરી મેળવવાનાં સ્વપ્નથી પર સ્વાવલંબનનાં અન્ય ઉપાય નહિ શોધે તો તેમનાં માટે આર્થિક સ્વાવલંબન એ એક પડકાર બની જશે. જો યુવાઓ દ્રઢ નિર્ણયશક્તિની સાથે રોજગારી માંગવાની જગ્યાએ રોજગારી આપવાની દિશામાં આગળ વધશે તો આ સલાહ શરૂઆતમાં થોડી અઘરી જરૂર લાગશે, પણ તેમાં લક્ષ્ય નક્કી છે. આમ પણ વર્તમાન નીતિગત ઉપાયો અને કૃત્રિમ બૌદ્ધિકતા (આર્ટીફીશિયલ ઈન્ટેલીજન્સ)ને સંરક્ષણ આપવાનાં કારણે આ આશંકા પ્રબળ છે કે જે પ્રમાણે બેરોજગારી છે, તેની સરખામણીમાં નવી રોજગારીઓનું સર્જન એ હવે કેન્દ્ર અને રાજ્ય સરકારનાં વશની વાત નથી રહી. આવામાં આર્થિક ઉદારવાદ લાગુ થયો ત્યાર બાદથી ઔદ્યોગિક ક્ષેત્રનાં હિત સાધવા માટે પારંપરિક રોજગારીનો જે રીતે અનાદર કરવામાં આવ્યો છે, તેનાથી ગ્રામીણ ક્ષેત્રોમાં પણ રોજગારીનું મોટું સંકટ પેદા થયું છે. આ જોતાં ફરી એક વખત તે જરૂરિયાતનો અનુભવ થઈ રહ્યો છે કે યુવાઓ લઘુ અને કુટિર ઉદ્યોગોના મહત્ત્વને ઓછું આંકે નહિ.

ભારત પ્રાચીનકાળથી ૧૭મી સદી સુધી વિશ્વની મોટી અર્થવ્યવસ્થા હતો. પ્રચુર માત્રામાં દરેક હાથને રોજગારી ઉપલબ્ધ હતી. આ દરમિયાન મુખ્યત્વે રોજગારી કૃષિ, પશુધન અને અન્ય પારંપરિક રીતે મળતી હતી. રોજગાર માટે સામાજિક સંરચના હતી, જેનાં આધાર પર વસ્તુઓનું ઉત્પાદન થતું હતું. આ કાર્ય સંસ્કૃિત સ્થાનીય સંસાધનો થકી આગળ વધતી હતી. કૃષિની સાથે-સાથે વેપારી સંઘ પણ હતા, જે દેશની સાથે વિદેશમાં પણ ઉત્પાદિત માલ નિકાસ કરવાનો રસ્તો બતાવતા હતા. આ દેશપ્રેમી ઉપાયોને કારણે ભારત 18મી સદી સુધી વૈશ્વિક ઉત્પાદનમાં અગ્રણી રહ્યું. વસ્ત્ર ઉદ્યોગમાં ઢાકાનું મલમલ, બનારસની સિલ્ક અને ચંદેરીની સાડીઓ દુનિયાભરમાં પ્રખ્યાત હતી. આભૂષણ, ધાતુ, માટીનાં વાસણ, ખાંડ, તેલ અને અન્ય ઉત્પાદનમાં સંકળાયેલા ઉદ્યોગ ખૂબ વિકાસ પામી રહ્યા હતા. જેનાં કારણે 18મી સદી સુધી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતનો હિસ્સો ૨૫ ટકા જેટલો હતો. પણ, ભારતમાં અંગ્રેજોનું શાસન આવ્યા બાદ નીતિગત અને દમનકારી નીતિના ઉપાયો મારફતે લઘુ અને કુટિર ઉદ્યોગને ખત્મ કરવાનો ઘટનાક્રમ શરૂ થઈ ગયો. અંગ્રેજોએ પક્ષપાતપૂર્ણ નીતિનો ઉપયોગ કરીને જ્યારે ભારતીય ઉદ્યોગ ધંધાને નષ્ટ કરી દીધો, ત્યારે ભારતમાં મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થઈ ગયાં. તેના પરિણામે ભારત ઔદ્યોગિક રાષ્ટ્રથી ગરીબ અને લાચાર રાષ્ટ્ર બની ગયું, જેના કારણે સમયાંતરે બેરોજગાર એક મોટી સમસ્યા બનતી ગઈ.

સરકાર તરફથી રોજગારી પૂરી પાડવામાં આવશે એવાં વચન તો ઘણાં કરવામાં આવે છે, છતાં પણ રોજગારી એ એક દિવાસ્વપ્ન જેવી સાબિત થઈ રહી છે. આ પરિપ્રેક્ષ્યમાં સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે વર્ષ ૨૦૧૮માં પણ નવી રોજગારીનું સર્જન થવાની સંભાવનાઓ ન્યૂનતમ છે. નોટબંધી અને જી.એસ.ટી.નાં કારણે અર્થવ્યવસ્થામાં મંદી જોવા મળી રહી છે. સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રોમાં જે રોજગાર હતા તે પણ હવે ધીરે-ધીરે ખત્મ થઈ રહ્યા છે. તેવામાં કૃત્રિમ બુદ્ધિ ધરાવતાં રોબોટ પણ યુવા ભારત માટે એક મોટો પડકાર બનીને ઊભા છે. કૃત્રિમ બુદ્ધિનું તાત્પર્ય છે એવી બુદ્ધિ કે જે માનવ મસ્તિષ્કની જેમ કાર્ય કરે છે. નિર્માણ કંપનીઓમાં તો રોબોટ સમાન ઉપાડવાનું-ગોઠવવાનું કાર્ય કરી રહ્યાં છે, અને હવે તો આપમેળે ચાલે એવી ગાડીઓ પણ આવવા માંડી છે. એક અનુમાન મુજબ અમેરિકામાં ચાલકવિહીન ગાડીઓનાં કારણે માત્ર ડ્રાઇવરનાં ક્ષેત્રમાં જ નહિ, પણ અન્ય ઘણા પ્રકારની રોજગારીઓમાં ૧૦ ટકા જેટલો ઘટાડો થવાની સંભાવનાઓ રહેલી છે. ભારતમાં ગાડીઓનું નિર્માણ કરતી ઘણી એવી કંપનીઓ છે કે જે ચાલકવિહીન ગાડીઓ બનાવવાના પ્રયાસ કરી રહી છે. પરંતુ, આજકાલ જે પ્રમાણે રોજગારીનાં મુદ્દા ઊઠી રહ્યા છે તે જોતા સરકારે કહ્યું છે કે આ પ્રકારની ગાડીઓને બજારમાં લાવવામાં નહિ આવે. પરંતુ, ઔદ્યોગિક કંપનીઓ સમક્ષ સરકાર કેટલાં સમય સુધી આ ગાડીઓના નિર્માણ પર અંકુશ બનાવી રાખે છે, તે અંગે અત્યારે કશું પણ કહેવું અઘરું છે.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં રીપોર્ટ પ્રમાણે જાન્યુઆરી ૨૦૧૬ સુધી રોબોટ 50 લાખ લોકોની રોજગારી છીનવી ચૂક્યા છે. આ કૃત્રિમ બૌદ્ધિકતા દેશની નિર્માણ કંપનીઓને મશીનીકરણ તરફ વાળી રહી છે. ઈંટેલ ઇન્ડિયાએ ભારતના ચાળીસ વૈજ્ઞાનિકોને આર્ટીફીશિયલ ઈન્ટેલીજન્સની તાલીમમાં લગાવી દીધા છે. જે શૈક્ષણિક સંસ્થાઓ, સ્વાસ્થ્ય, રક્ષા-ટેક્નિક, હવામાન, નાણાકીય અને બેન્કિંગ સહિત પચાસ અન્ય સંસ્થાનોમાં રોબોટ થકી કામ લેવાની તૈયારીમાં વ્યસ્ત છે. સ્વાભાવિક છે કે જો આ ક્ષેત્રોમાં સમય જતાં કૃત્રિમ બુદ્ધિથી પરિપૂર્ણ રોબોટ ઉતારવામાં આવશે તો રોજગારીની સમસ્યા વધુ વિકટ બનશે.

એવું કહેવાય છે કે ભારતમાં ૬૫ ટકા યુવાઓની આબાદી છે. જે હિસાબે લગભગ 81 કરોડ લોકો યુવા છે. ભલે આટલાં લોકો યુવાન હોય પરંતુ તેઓ બેરોજગાર નથી. ભારતમાં જે યુવાઓ ૧૫થી ૨૯ વચ્ચેની વયનાં છે તેઓમાં ૩૦.૨૮ ટકા પાસે રોજગાર નથી. બેરોજગારીના આ ભારથી છૂટવા માટે યુવાઓની માનસિકતા અને વ્યાપારિક વાતાવરણ વિકસિત કરવાની જરૂરિયાત છે. જો આ ઉદ્યમ વિકસિત થશે તો યુવાઓ સરકારી ઓફિસો અને ખાનગી કંપનીઓના દ્વાર પર ઊભા રહેલા જોવા નહિ મળે. આ હેતુસર પારંપરિક લઘુ અને કુટિર ઉદ્યોગોને રોજગાર કેન્દ્રિય બનાવવા પડશે. જે પ્રકારે સરકાર સ્ટાર્ટઅપ અને સ્ટેન્ડઅપ યોજનાઓને પ્રોત્સાહન આપી રહી છે, તે રીતે લઘુ અને કુટિર ઉદ્યોગોને પણ પ્રોત્સાહિત કરવા પડશે.

વર્તમાનમાં ભૂમંડલીકરણને જોતાં દુનિયાને વૈશ્વિક ગ્રામમાં બદલવાના પડકારના લીધે પ્રતિસ્પર્ધા વધી છે. આ હેતુસર યુવા ઉદ્યમીઓએ વ્યાપારિક સુગમતા માટે પણ કૌશલ વિકાસ થકી સાર્થક પ્રયાસ કરવા પડશે. આ ઉદ્યમીઓએ વૈશ્વિક વેપારની ધરાતલ પર પણ હસ્તક્ષેપ માટેના રસ્તા સરળ બનાવવા પડશે. વધતી જતી પ્રતિસ્પર્ધા અને સતત બદલાતી ટેક્નિકનાં કારણે નવા બદલાવને પણ સમજવાની જરૂરિયાત છે. આ હેતુ પૂર્ણ કરવા માટે ‘એક્ટીવ લર્નિંગ’ એટલે કે ‘સક્રિય વિદ્વતા’ને પણ પ્રોત્સાહન આપવું પડશે. જેનાથી ઉદ્યમી બદલાઈ રહેલી ટેક્નિક, વસ્તુ અને પરિસ્થિતિમાં સક્રિયતાની સાથે પોતાને ઢાળશે. માત્ર ‘એક્ટીવ લર્નિંગ’ માટે તૈયાર રહેવા માટે નહિ પણ નવા-નવા પડકાર થકી યુવા ભવિષ્યમાં સામનો કરી શકશે.

ભારતમાં ક્યારે ય પણ રોજગારીની આટલી વિકટ સમસ્યા રહી નથી, જે અત્યારે જોવા મળી રહી છે. માહિતી પ્રસારણ અને અધ્યાપનનાં ક્ષેત્રમાં પણ રોજગારી ઓછી થઈ રહી છે. જે રીતે આઈ.ટી. કંપનીઓમાં છટણી થઈ રહી છે અને એન્જિનિયરીંગ તેમ જ એમ.બી.એ. કોલેજો બંધ થવાના સમાચાર મળી રહ્યા છે, તે જોતાં યુવાઓએ સુવિધાનાં ક્ષેત્ર(કમ્ફર્ટ ઝોન)માંથી બહાર નીકળવું પડશે. કઠિન અને જોખમભર્યા ક્ષેત્રમાં રોજગારી શોધવી પડશે. એક આંકડા પ્રમાણે જે ક્ષેત્રમાં રોજગારી પર સંકટ તોળાઈ રહ્યું છે તેવાં ક્ષેત્રમાં 18 ટકા યુવાઓએ રોજગારી મેળવી છે. ફિક્કીના એક રીપોર્ટ પ્રમાણે જે ક્ષેત્ર કઠિન છે તેવા ક્ષેત્રમાં યુવાઓ એક પડકાર તરીકે રોજગારી શોધી રહ્યા છે. તેના સકારાત્મક પરિણામો પણ જોવા મળ્યાં છે.

એવી આશા સેવવામાં આવી રહી છે કે જો યુવાઓ આ પ્રકારનાં કઠિન ક્ષેત્રમાં રોજગારી શોધવાનું ચાલું રાખશે તો આગામી સમયમાં યુવાઓને સરકારી અને ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવવાની આશાએ બેસી નહિ રહેવું પડે. જો ખરેખરમાં યુવાઓ સ્વરોજગાર તરફ વધી રહ્યા છે તો એવી આશંકા પ્રગટ કરવામાં આવી રહી છે કે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જ નહિ થાય કે જેમાં વર્ષ ૨૦૨૫ દરમિયાન નવા દસ કરોડ યુવાઓ રોજગારીની કતારમાં ઊભા હશે.

અનુવાદ – નિલય ભાવસાર

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

12 March 2018 admin
← દુનિયાની નજર …
Hindus, Muslims and RSS Chief Bhagwat →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved