Opinion Magazine
Number of visits: 9452240
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જલને સમર્પિત જીવન અનુપમ મિશ્ર

રઘુવીર ચૌધરી|Opinion - Literature|12 September 2017

‘જીહાં હુજુર મૈં ગીત બેચતા હૂં’ – કાવ્યના સર્જક ભવાની પ્રસાદ મિશ્ર કવિ તરીકે ભારતભરમાં જાણીતા હતા. એ ગાંધીમાર્ગના સમર્પિત યાત્રી હતા. એમના સુપુત્ર અનુપમ મિશ્ર પાણી અને પર્યાવરણના જતન માટે સતત સક્રિય રહ્યા. વક્તા અને લેખક તરીકે એ વિશ્વવિખ્યાત થયા. અહિંસા સંસ્કૃિત કા દ્વૈમાસિક ‘ગાંધીમાર્ગ’નું સંપાદન કર્યું. માત્ર અડસઠ વર્ષ (1948થી 2016) જીવ્યા પણ શતાબ્દીથી પણ સવાયું કામ કર્યું. એમનાં ધર્મપત્ની મંજુશ્રીએ ગાંધી-માર્ગના છેલ્લા અંકમાં આપેલા જીવન-વૃત્તની વિગતો વાંચતાં આશ્ચર્ય થાય છે.

સંસ્કૃત સાથે એમ.એ. થયેલા પણ ભાષાની સાદગી એમની પાસેથી શીખવાની રહે. સને 1969માં એ ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં જોડાયા. પ્રભાષ જોશીના નેતૃત્વમાં શ્રવણ ગર્ગ સાથે જોડાઇ લેખન-પ્રકાશનની જવાબદારી સંભાળી. સર્વ સેવા સંઘના સાપ્તાહિક ‘સર્વોદય’નું પ્રકાશન આરંભ્યું.

વૃક્ષો બચાવવા માટેનું ‘ચિપકો’ આંદોલન, મધ્યપ્રદેશના નવા બંધનું મિટ્ટી બચાવો આંદોલન, ગોચર રક્ષા આંદોલનમાં ભાગ લઇ લખવાનો આરંભ કર્યો. સને 1973માં જયપ્રકાશજીના નેતૃત્વમાં ચંબલમાં ડાકુઓ આત્મસમર્પણ કરે એ માટેના અભિયાનમાં જોડાયા. એ વિશે ‘ચંબલની બંદૂકો ગાંધીનાં ચરણોમાં’ એ નામે પુસ્તક લખ્યું.

આજીવન દાસ બનાવવામાં આવતા ‘બંધુઆ મજદૂરો’નો સર્વે કર્યો. સને 1980થી પાણીનું કામ સંભાળ્યું. રાજસ્થાનની પાણી જાળવણીની પરંપરાનો અભ્યાસ કર્યો. બારેક વર્ષના અભ્યાસ પછી ‘આજ ભી ખરે હૈં તાલાબ’ પુસ્તક રચ્યું. આ પુસ્તક અનેક ભાષાઓમાં પહોંચ્યું. અનુપમજી પછીનાં વર્ષોમાં પાણી અને પર્યાવરણના પ્રશ્ને રજૂઆત કરવા વિશ્વના અનેક દેશોનાં સંમેલન કે સંસ્થાઓ દ્વારા આમંત્રણ મેળવે છે. સને 1977થી 2000 સુધીમાં પર્યાવરણ કક્ષ દ્વારા નાનાં મોટાં સત્તર પુસ્તકો પ્રગટ થયાં. ‘આજ ભી ખરે હૈં તાલાબ’ની ચોત્રીસ આવૃત્તિઓ થઇ છે. ભારતની મોટાભાગની ભાષાઓમાં એના અનુવાદ છપાયા છે. કોપીરાઇટ જેવું કંઇ રાખ્યું જ નથી. છાપો, વાંચો, અમલ કરો.

સને 1975માં સુલભ થયેલ ‘રાજસ્થાન કી રજત બૂંદે’ ફ્રાન્સથી ચીન સુધી પ્રસરે છે. અનુપમજીને પર્યાવરણ ક્ષેત્રે વિરલ કામગીરી બદલ અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયાં. આ બધું ગાંધીજી અને ગાંધી-માર્ગ ખાતે જમા. 2000થી 2006 સુધી ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના સચિવ તરીકે અને 2006થી 2016 સુધી-મૃત્યુપર્યંત ‘ગાંધી-માર્ગ’નું સંપાદન કર્યું.

જાન્યુઆરી, એપ્રિલ 2017ના સંયુક્ત અંકમાં દેશના ગાંધીમાર્ગી કર્મશીલ સારસ્વતોએ અનુપમજીના જીવન અને કાર્ય વિશે લખ્યું છે. ‘ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન’ના પ્રમુખશ્રી કુમાર પ્રશાંત લખે છે: અનુપમજી ગાંધીના બ્રહ્માંડમાં પરિક્રમા કરનારા અગણિત ગ્રહોમાંના એક હતા, પરંતુ એ અર્થમાં અનુપમ હતા કે એ પોતાની કક્ષામાંથી કદી વિચલિત નહોતા થયા.

નયા જ્ઞાનોદયે પણ અનુપમ મિશ્ર વિશે વિશેષ લેખ પ્રગટ કર્યા હતા.( ફેબ્રુઆરી 2017) એમાં લખેલા લેખના આરંભે કુમાર પ્રશાંતજીએ રવીન્દ્રનાથની રચનાનો અનુપમજીના પિતા ભવાનીપ્રસાદ મિશ્રે કરેલો અનુવાદ ટાંક્યો છે:

દેશ કી માટી દેશ કા જલ
હવા દેશ કી દેશ કા ફલ
સરસ બનેં, પ્રભુ સરસ બનેં.

આ સાદગીનો વારસો અનુપમજીએ પણ દિપાવ્યો છે.

શ્રીકૃષ્ણકુમારના લેખનું એક વાક્ય યાદ રહી ગયું: ‘પ્રકૃતિની જેમ ગામ પણ વિજયી નીવડશે.’ – આ અનુપમજીની શ્રદ્ધા હતી.

રામચંદ્ર રાહીના લેખ દ્વારા જાણવા મળ્યું કે છેલ્લે કેન્સરની બીમારી દરમિયાન પણ અનુપમજી કેવા સ્વસ્થ-પ્રસન્ન હતા. એમનું તારણ છે કે સત્તા, સંપત્તિ અને ધર્મની સત્તાએ એમને આકર્ષિત કર્યા ન હતા, ન તો પોતાના દાયરામાં એ સત્તાઓ એમને સમેટી શકી હતી. પોતાના કર્મમય જીવન-સાધનાની ઉપલબ્ધિઓ પર પણ એમણે કદી પોતાનો હક દર્શાવ્યો ન હતો.

જમીને થાળી જાતે ધોવી, આંધીથી વરંડામાં આવી પડેલી ધૂળ જાતે વાળવી, જેવાં અનેક કામ જાતે કરતા એથી મિત્રો પ્રેરાતા.

કેતકી નાયકની કવિતાની થોડીક પંક્તિઓ: 

‘અનુપમ, યે મેરી આંખોં કે તાલાબ
સૂખે નહીં હૈ
તુમ્હારે જાને કે બાદ
યે નિરંતર બહ રહે હૈં.

•••

યે આંસૂ તુમ્હારી તરફ સરલ ઔર સહજ
ભી નહીં હૈચ
યે બડે હી હઠી ઔર જિદ્દી હૈં
મના કરને પર ભી નહીં રુકતે.’

આ વિશેષાંકમાં વચ્ચે વચ્ચે પિતાશ્રી ભવાનીપ્રસાદ મિશ્રની કાવ્ય પંક્તિઓ મૂકીને યુગસંધિ રચવા સાથે વારસાને વધુ સાર્થક કર્યો છે :

પ્યાર કી સીમા નહીં હૈ
મુક્ત સ્વર મેં કહ સકૂં વહ શક્તિ દે,
પ્યાર કે મેરે પુજારી મન
લૂંટા દૂં પ્યાર સબકુછ મુઝે વહ ભક્તિ દે.

સૌજન્ય : ‘સાહિત્ય વિશેષ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 10 સપ્ટેમ્બર 2017

Loading

12 September 2017 admin
← આયોજનના વાંકે પૂરની તબાહી
શિક્ષણનો વેપલો ને અસ્મિતાઓસના રાજકારણે ભારતમાં કેળવણીનું સંકટ પેદા કર્યું છે →

Search by

Opinion

  • પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?
  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved