Opinion Magazine
Number of visits: 9447244
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રાણીરક્ષાની ચિંતા, ગોરક્ષાનું રાજકારણ

પ્રીતીશ નંદી|Opinion - Opinion|28 April 2017

ગોમાંસનો વ્યવસાય એવા પૈસાદાર અને શક્તિશાળી લોકો કરે છે, જેઓ નથી મુસ્લિમ હોતા કે નથી દલિત

હું ગોરક્ષક છું. ભલે તમારામાંના અનેક લોકોને (આજના વાતાવરણમાં) એ ગમે તેટલું ભયાનક લાગે. વર્ષો સુધી આપણામાંથી અમુક લોકો ગેરકાયદે કતલખાનાંમાં ગાયો અને વાછરડાઓની કતલ કરવા માટેની ગેરકાયદે હેરફેરને અટકાવવાનો પ્રયત્ન કરતા રહ્યા. (અમુક રાજ્યોમાં તો પ્રત્યેક કાયદેસર કતલખાનાની પાછળ સો ગેરકાનૂની કતલખાનાં છે) અનેક વખત આપણે સફળ થતાં, તો મોટા ભાગે નિષ્ફળ  જતા. તેઓ લાંચ આપીને કે વ્યક્તિગત લાગવગથી છૂટી જતા.

પરંતુ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ રાખનારા આપણા બધા માટે આ ભયાનક દૃશ્ય હતાઃ કમનસીબ પ્રાણીઓના પગ ભાંગીને તેને ટ્રક અને ટેમ્પોમાં ભરવામાં આવતાં, જેથી વધારેમાં વધારે પ્રાણીઓને તેમાં ઠાંસી શકાય. એકબીજાંની ઉપર ચઢાવવામાં આવતાં. અમુક તો બિચારાં કતલખાને પહોંચતાં પહેલાં જ શ્વાસ રુંધાઈ જવાથી મૃત્યુ પામતાં. જેમને બચાવી લેવાતાં, તે પણ માત્ર નામના જ જીવતાં રહેતાં. હું માત્ર ગોરક્ષક જ નહીં, કૂતરાં રક્ષક, બિલાડી રક્ષક, ભેંસનો રક્ષક, ત્યાં સુધી કે ચકલીનો રખેવાળ પણ છું, અને તેને નષ્ટ થતી અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મારા માટે આ એ પ્રાણીને બચાવવાનો મુદ્દો નથી, જેની પૂજા હું કરું છું.

આ તો પ્રાણીઓ — તમામ પ્રાણીઓ, પંખીઓ, બધાં જીવિત પશુઓની રક્ષા કરવાની વાત છે. કારણ કે હું માનું છું કે આ પૃથ્વી એટલી જ એમની પણ છે, જેટલી મારી અને તમારી. આટલાં વર્ષમાં હું બીજા લોકોને મળ્યો અને જાણ્યું કે કેવી રીતે સિંહરક્ષક, હાથીરક્ષક, કાળિયારરક્ષક કેવી રીતે બની શકું છું. મને તો બધાં પ્રાણીઓ પસંદ છે, સૌમ્ય સ્વભાવની એ નીલગાય પણ, જેને સરકારે ‘વર્મિન’(નુકસાનકર્તા)નો દરજ્જો આપ્યો છે. તેનો અર્થ એ છે કે તેને મારી શકાય છે. મને લાગે છે કે બધાં પ્રાણી દુનિયાને સુંદરતા અને જાદુથી ભરી દે છે, જેને આપણે માનવોએ જંગલ અને ચેરિયા(મેન્ગ્રૂવ્સ)ને નષ્ટ કરી રહ્યાં છીએ, જે આ પ્રાણીઓનું પ્રાકૃતિક રહેઠાણ છે.

પરંતુ તમામ લાંબી યાત્રાઓની જેમ આ યાત્રા પણ એક નાનકડા પગલાથી શરૂ થઈ હતી. એ પગલું હતું, આપણાં શહેરોની ગલીઓમાં રખડતાં પશુઓને બચાવવાનું. પાંત્રીસ વર્ષ પહેલાં હું જ્યારે મુંબઈ શહેરમાં આવ્યો હતો, તો રખડતાં કૂતરાંને જ્યાંત્યાંથી પકડીને મારી નાખવામાં આવતાં. શેરીઓને શ્વાનમુક્ત કરવા માટે નિર્દયતાથી મારવા માટે તેમને મોટા વૉટરટબમાં નાખીને વીજળીનો કરંટ આપવા સહિતની પદ્ધતિઓ અપનાવવામાં આવતી. આમ છતાં, દર વર્ષે તેમની સંખ્યા વધતી જતી.

આપણે પશુગણતરી કરી, અદાલતોમાં ગયા અને આવાં પગલાંના બદલે કૂતરાંની નસબંધી કરવાની રજૂઆત કરી. હંમેશાંની જેમ આંદોલનોમાં સમય તો લાગ્યો, પરંતુ આ હત્યાઓ બંધ કરાવી શકાઈ. આપણું ન્યાયતંત્ર ભલે ધીમું હોય, પણ માનવતાવાદી છે. આપણે રાહતનો શ્વાસ લીધો. હવે મુશ્કેલી એ હતી કે આપણા સામાન્ય સંસાધનોથી તેમની નસબંધીનો કાર્યક્રમ કેવી રીતે ચલાવી શકાય. સદ્‌નસીબે અનેક એન.જી.ઓ. સામે આવી અને એ કામ ઉપાડી લીધું. તેમણે અત્યંત પ્રશંસનીય કામ કર્યું. મારાથી સારાં સ્ત્રી-પુરુષો છે, જેઓ આપણા અદ્‌ભુત વન્યજીવોનું રક્ષણ કરે છે, તેમની સંભાળ રાખે છે.

આ અત્યંત અઘરું કામ છે, કારણ કે જંગલોમાંથી પૈસા મળે છે અને ત્યાં રહેલાં પ્રાણીઓના બદલે ગેરકાનૂની શિકારીઓને વધારે રક્ષણ મળે છે. એટલા માટે આપણે બધા જાણીએ છીએ કે કોણે સિંહ અથવા શિંગડાવાળા ગેંડાની હત્યા કરી છે (અને કયા હેતુસર). ગુનેગાર ખૂબ ઓછા બનાવોમાં ઝડપાય છે અને તેમને સજા મળે છે. જેમ કે આપણી પશુગણતરીથી ખ્યાલ આવ્યો હતો કે છોડી મુકાયેલાં પશુઓ આપણા રસ્તાઓ પર સૌથી વધારે સંખ્યામાં છે. એક વખત તેઓ બિનઉપયોગી બની જાય, તો તેમના માલિક તેમને રસ્તાઓ પર મૂકી દે છે. તેમાંથી મોટા ભાગનાં પ્લાસ્ટિક ખાવાથી મરે છે. કારણ કે તેમને એટલી ભૂખ લાગી હોય છે.

અમુક જ ગોરક્ષકોને તેમની ચિંતા હોય છે. તેઓ કતલખાને જતી ગાયો(અને હવે ભેંસો)નો પીછો કરવામાં વ્યસ્ત થઈ જાય છે. અનેક વખત તો ખોટા ઉત્સાહમાં તેઓ ગાયોને કાયદેસર કતલખાને લઈ જનાર લોકો પર જ હુમલો કરી દે છે, કારણ કે તમામ રાજ્યોમાં તો ગાયોને કતલખાને લઈ જવી ગેરકાનૂની નથી. કાશ! એવું હોત કે તમામ રાજ્યોમાં ગાયોની કતલની મનાઈ હોત. માત્રો ગાયો બચી જાત, ઉપરાંત માનવીય જિંદગીઓ પણ બચી જાત. ખાસ કરીને મુસ્લિમ અને દલિત તેમ જ વિચરતી જનજાતિઓ, જેઓ નવા યુગના બેફામ-બેકાબૂ ગોરક્ષકોના નિશાન પર આવી ગયા છે. તેઓ હવે શંકાના આધારે કોઈના પર પણ હુમલો કરી દે છે.

રોમાંચક વાત એ છે કે આપણે જ્યારે ગોરક્ષાની વાત કરીએ છીએ, ત્યારે આપણે વિશ્વના સૌથી મોટા ગોમાંસ નિકાસકાર તરીકે ઊભરી આવ્યા છીએ. અમેરિકન કૃષિ વિભાગ અનુસાર આપણે 2015માં ગાય અને વાછરડાંના 24 લાખ ટન માંસની નિકાસ કરી હતી અને આ આંકડો દર વર્ષે વધી રહ્યો છે. ભારત, બ્રાઝિલ અને ઑસ્ટ્રેલિયા મળીને વિશ્વનું 58.7 ટકા ગોમાંસ નિકાસ કરે છે. તેમાં એકલા ભારતની ભાગીદારી 23.5 ટકા છે. આઈ.સી.આર.એ.નું અનુમાન છે કે આગામી પાંચ વર્ષમાં આપણી ગોમાંસની નિકાસ 40,000 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે.

એ વાત દુ:ખદ છે કે મોટા ભાગના પત્રકારો જે આ ઉપલબ્ધિને ઉત્સાહથી રિપોર્ટ કહે છે, તેને એ આધાર પર યોગ્ય ગણાવે છે કે ગાય નહીં, માત્ર ભેંસોને મારવામાં આવે છે. જ્યાં કતલખાનામાં કામ કરનારાઓ મોટા ભાગે મુસ્લિમ અને તેમની ચામડી ઉતરડનારા દલિતો હોય છે, પણ ગોમાંસનો વ્યવસાય એવા પૈસાદાર અને શક્તિશાળી લોકો કરે છે, જેઓ નથી મુસ્લિમ હોતા કે નથી દલિત હોતા. તેઓ પોતાના બિઝનેસને મુસ્લિમ નામોની બ્રાન્ડ બનાવી દે છે, જેથી મધ્ય-પૂર્વના બજારમાં તેને વેચવામાં સરળતા રહે અને પોતાની ઓળખ પણ છુપાવી શકાય. જો ગોરક્ષકો ગંભીર છે, તો તેઓ આ ગંદા કામમાં તેમને ત્યાં માત્ર કામ કરનારઓની મારઝૂડ કે હત્યા કરવાના બદલે આ મોટા લોકોને નિશાન કેમ નથી બનાવતા?

હા, હું હજી પણ ગોરક્ષક હું, પરંતુ એ પશુ આંદોલન જે આપણે આટલાં વર્ષ ચલાવ્યું, લોકોને બધાં પ્રાણીઓ પ્રત્યે કરુણા દર્શાવવાનો બોધ આપ્યો. હવે આ આંદોલન અમુક દાદાગીરી કરનારા અને હત્યારાઓના કારણે પોતાનું વાજબીપણું ગુમાવવાની અણીએ છે. કોઈને ખબર નથી કે એ અચાનક ક્યાંથી આવી ગયા. કોઈને ખબર નથી કે તેમને શું જોઈએ છે. વાત સ્પષ્ટ છે: તેમનો એજન્ડા ગાયોને બચાવવાનો નહીં, પણ લોકોની હત્યા કરવાનો છે.

સૌજન્ય : ‘ધંધાની વાત’, “દિવ્ય ભાસ્કર”, 27 અૅપ્રિલ 2017

Loading

28 April 2017 admin
← પેરુમલ મુરુગન પોંખાય છે ત્યારે…
મા-બાપ બાળક સાથે પુસ્તકો વાંચીને તેમનામાં વાંચન માટેની ઇચ્છા જગાડી શકે →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved