Opinion Magazine
Number of visits: 9538916
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ફુલ્લિન્ગ (4) સાંસ્કૃતિક – સાહિત્યિક સ્મૃતિલોપ  

સુમન શાહ|Opinion - Literature, Opinion - Opinion|25 November 2025

સુમન શાહ

સ્મૃતિ ન હોય તો શું થાય? તમને યાદ જ ન આવે કે ગઇ કાલે રાત્રે શું જમેલા, કે મને યાદ જ ન આવે કે મારું નામ શું છે. લગભગ ગભરાઇ જવાય. 

આજકાલ આપણે ત્યાં બે અંગ્રેજી શબ્દ ખાસ જાણકારી વિના અને એના ગુજરાતી પર્યાય વિના બહુ સાંભળવા મળે છે : dementia અને alzheimer. સમજ્યા વિના પર્યાય શોધવા નીકળવું એ ભદ્રંભદ્ર જેવા પણ્ડિતનું કામ છે. આ બન્ને વચ્ચે ભેદ છે, પણ એમ પણ ખરું કે સરવાળે ભેદ નથી. 

dementia એક umbrela term છે. એ શબ્દગુચ્છની છત્રી હેઠળ સ્મૃતિભંશ, ચિત્તભ્રમ, ભૂલી જવાનો રોગ, વગેરેનો સર્વગ્રાહી નિર્દેશ છે.

alzheimer વિશિષ્ટ છે. મગજની અવ્યવસ્થિત દશા સૂચવે છે. એમાં ધીમે ધીમે સ્મૃતિનો ક્ષય થવા માંડે છે, વિચારવાની આવડત ઓછી થવા માંડે છે, ઉપરાન્ત, સાદામાં સાદાં કામો કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે.

સામ્પ્રત ગુજરાતમાં અને ગુજરાતી સાહિત્યમાં dementia અને alzheimer બન્નેનાં રોગચિહ્નો જોવા મળે છે. 

ભારતીય જ્ઞાનવારસાની યાદ નથી રહી એવી જણસો ઘણી છે : ગણિત જ્યોતિષ સ્થાપત્ય કે રાજનીતિવિષયક શાસ્ત્રો, અસ્તિત્વ ચેતના અને તર્કના વિષયમાં વેદાન્ત ન્યાય અને સાંખ્ય, વેદકાલીન ઋષિમુનિઓથી માંડીને ઉપનિષદો લગી પાંગરેલું ભારતીય દર્શન, અધ્યાત્મવિદ્યા, ભાષાના વૈજ્ઞાનિક સ્વરૂપનું પાણિનિનું વ્યાકરણ કે સાહિત્યકાર અને સાહિત્યસમાજને જેની સાથે ઘણી લૅણદેણ હોવી ઘટે એ સ્વયંસમ્પૂર્ણ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર — આ વારસો ભારતીય જ્ઞાન-પદ્ધતિઓ છે – indian knowledge systems; પણ આજે આપણે એથી વિચ્છિન્ન છીએ. 

હેમચન્દ્રાચાર્યથી માંડીને દયારામ, અને દલપત-નર્મદથી માંડીને ૨૦મી અને ૨૧મી સદીના વર્તમાન દાયકાઓની સ્મૃતિનો ખાસ્સો લોપ થયો છે. પૂછી શકાય કે – નર્મદના ઉત્તરજીવનમાં કેવાંક પરિવર્તન હતાં. બળવન્તરાય અગેય પ્રવાહી પદ્યરચનાથી શું કહેવા માગતા હતા. ગોવર્ધનરામે કેવા સ્વરૂપે પૂર્વીય અને પાશ્ચાત્ય સંસ્કૃતિઓનો સમન્વય કલ્પ્યો હતો. ગાંધીજીના વિચારો અનુસારનું ચિન્તન કોણે કર્યું હતું. કિશોરલાલ મશરૂવાળાએ સમૂળી ક્રાન્તિનું કેવુંક સ્વરૂપ કલ્પ્યું હતું. આધુનિક યુગના કયા કવિઓએ અને વાર્તાકારોએ પ્રયોગશીલતાનો આશ્રય કરીને કાવ્ય અને વાર્તાસર્જનની દિશા બદલી હતી, ઘટનાતત્ત્વનો હ્રાસ શબ્દગુચ્છથી સુરેશ જોષી ખરેખર શું સૂચવતા હતા. પૂછી શકાય કે – અધ્યાપકોને ગુજરાતી સાહિત્યના ઇતિહાસની પૂરેપૂરી જાણકારી છે ખરી? એટલે કે નૉંધનીય કૃતિઓ અને કર્તાઓ તેમ જ જે તે યુગની વિશેષતાઓની ચૉક્કસ છાપ ચિત્તમાં છે ખરી? વગેરે વગેરે.  

તાજેતરમાં જ બનેલી મહત્તાપૂર્ણ ઘટનાઓની મહત્તાનું સ્મરણ નથી રહ્યું. પ્રસિદ્ધિની ઉતાવળમાં એકધ્યાન નથી થવાતું, અમૂર્ત વિચારો જોડે પાનું પાડી શકાતું નથી. આ લેખક અઘરો છે એમ લેબલ મારીને ભાગી જઈ શકાય છે. સામાજિક અને સાહિત્યિક પરિવેશમાં જે કંઈ નિર્ણયો લેવાય છે એ ઘણા પછાત અને માયકાંગલા હોય છે. આયોજનોમાં પૂર્ણતાનો અભાવ હોય છે. દીપપ્રાગટ્ય જેવી પરમ્પરા એના સ્વ રૂપમાં નથી સચવાતી, ભલે, પણ એના સ્થાને કશું નવું પણ નથી સૂઝતું. પોતે લેખક કે સાહિત્યનો માણસ હોય તેમછતાં યોગ્ય શબ્દ બોલી કે લખી શકતો ન હોય એવા જનોની સંખ્યા મોટી થવા માંડી છે. રુચિનો વિકાસ થવાને બદલે એ-નું-એ જ ગમ્યા કરે છે, રૅક્ગનિશન માટેની ચિન્તા અહીંથી તહીં દોડાવતી હોય છે.

ઉપરના ફકરામાં વર્ણવેલાં બધાં વર્તનોમાં સાંસ્કૃતિક અને સાહિત્યિક dementia અને alzheimerનાં લક્ષણો છે એમ કહી શકાય પણ ગ્રહણ કરનારા છે ખરા? 

= = = 

(241125A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

25 November 2025 Vipool Kalyani
← ધરમથી ધર્મેન્દ્ર : લુધિયાણાના યુવાનની મુંબઈમાં ‘હી-મેન’ બનવાની દિલચસ્પ સફર
ગઝલ →

Search by

Opinion

  • બંધારણનું અદ્વિતીય આમુખ અને અમે ભારતના લોકો
  • ૨૫૦ વર્ષે પણ જેઈન ઑસ્ટિન આધુનિક ભારતમાં શા માટે પ્રસ્તુત છે?
  • ધારાગૃહોના બાહ્ય રૂપરંગ તો બદલાય છે પણ આંતરસત્વનું શું?
  • હે શ્રીમાન હર્ષ સંઘવી,
  • ધરમથી ધર્મેન્દ્ર : લુધિયાણાના યુવાનની મુંબઈમાં ‘હી-મેન’ બનવાની દિલચસ્પ સફર

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ

Poetry

  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો
  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved