Opinion Magazine
Number of visits: 9458483
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|24 September 2025

ભારતમાં સમાજવાદ અને સામ્યવાદ માત્ર રાજકીય વિચારધારા નથી, પરંતુ સ્વતંત્રતા સંગ્રામથી લઈને આજના લોકશાહી જીવન સુધીના માર્ગદર્શક તત્ત્વો છે

પ્રકાશ ન. શાહ

પુણેના સમાજવાદી મિલનની હવા બંધાતી આવતી હશે અને માર્ક્સવાદી નેતા સીતારામ યેચુરીની વરસી નિમિત્તે ઇતિહાસવિદ્દ ઈરફાન હબીબનું વ્યાખ્યાન સાંભળવાનું બન્યું. બરાબરની લોકશાહી અને ખરાખરીનો સમાજવાદ, અનિવાર્ય છે એ એમના વ્યાખ્યાનનો- સમતા, સ્વતંત્રતા, ન્યાયની ભૂમિકાએ સૂર હતો. પણ લગરીક અચરજ અને સહજ આનંદ સાથે, હબીબની વધુ વિગતોમાં જવાનો લોભ ટાળીને, ખાસ એક વાત અહીં લગભગ અધોરેખિતપણે અંકિત કરવા ઈચ્છું છું તે એ કે એમણે આરંભમાં જ દાદાભાઈ નવરોજીને વિશેષ રૂપે સંભાર્યા, અને એવું જ સ્મરણ રમેશચંદ્ર દત્ત(આર.સી. દત્ત)નુંયે કર્યું. 

આ બંને અભ્યાસીઓએ આપણે ત્યાં બ્રિટન હસ્તકના સાંસ્થાનિક શોષણનું દુર્દૈવ વાસ્તવ જે અભ્યાસયુક્ત ધોરણે રજૂ કર્યું છે એમાં ન્યાયી કહેતાં સમાનતા અને સ્વતંત્રતાએ મંડિત સમાજ માટેની આહ ને ચાહ ભરેલી છે.

અહીં ગાંધીજી અને ‘હિંદ સ્વરાજ’ને ય સંભારી લઉં, જરી? ‘હિંદ સ્વરાજ’ સંદર્ભે એમણે ચીંધેલાં પુસ્તકોમાં પણ આ બેઉનો ઉલ્લેખ છે. તો, માર્ક્સવાદ, સમાજવાદ, ગાંધીવિચારનાં સ્રોતસ્થાનોમાં કેટલુંક સામ્ય ખસૂસ છે. સ્મરણ એમ તો રસ્કિન કૃત ‘અન ટુ ધ લાસ્ટ’નુંયે ક્યાં નથી થતું? એનો ભાવગ્રાહી ને નામમાં તો કદાચ ક્યાંયે આગળ જતો અનુવાદ ‘સર્વોદય’ ગાંધીનામે ઇતિહાસદર્જ છે. 

આઠ-નવ દાયકા પાછળ જઈને વાત કરું તો બ્રિટિશ પાર્લમેન્ટમાં પહેલી વાર જ્યારે નોંધપાત્ર સંખ્યામાં સમાજવાદીઓ ચૂંટાઈ આવ્યા ત્યારે થયેલા સરવે પ્રમાણે એમના પૈકી ઘણા રસ્કિનને વાંચીને લેબર પાર્ટીમાં જોડાયા હોવાનું માલૂમ પડ્યું હતું.

સ્રોતસામ્યની જિકર હમણાં કરી. એમાં એક વિલક્ષણ લાગતો મુદ્દો પણ ઉમેરી તો શકાય – અને તે છે નૈતિક પ્રેરણા. સમાજવાદ(સામ્યવાદ)ની માર્ક્સીય અવધારણ ભૌતિકવાદી પ્રતિપાદન પર અવલંબિત છે એ વિગત ખોટી નથી. માર્ક્સે વિષમતા સરજતી ને કાયમ રાખતી પ્રક્રિયાને ધોરણે સામાન્યપણે જેને વૈજ્ઞાનિક સમાજવાદ કહે છે તેની ઊહાપોહભેર માંડણી જરૂર કરી. પણ આ વિષમતા પરત્વે જે અક્ષમ્ય અભિગમ, જે અસહનીયતા માર્ક્સ અને સાથીઓને પક્ષે હશે એમાં એક અમાનવીય સ્થિતિ કેમ બરદાસ્ત કરી શકાય, એવી નૈતિક પ્રેરણાવશ મન્યુ અલબત્ત હોય જ.

સમાજવાદના માર્ક્સપૂર્વ ચિંતકોને યુરોપિયન – સ્વપ્નિલ, તરંગી, ગુલાબી કહેવામાં આવે છે, પણ શું માર્ક્સ કે શું માર્ક્સપૂર્વ સમાજવાદી ચિંતનની પૂંઠે વિષમતા નિર્મૂલન સારુ નૈતિક પ્રેરણા નહોતી એમ કહી શકાતું નથી.

આપણે ત્યાં તો સમાજવાદનો ઉદય બહુધા ગાંધીપ્રવેશ પછીની ઘટના છે. એ ખરું કે ગુજરાતમાં ‘ફેબિયન’ સમાજવાદ જેવો પ્રથમ ખયાલ કદાચ અનસૂયા સારાભાઈ એમના લંડનવાસ થકી લઈ આવ્યાં હશે. પણ સમાજવાદી જમાવડો દાંડીકૂચ પછી તરતનાં વરસોમાં નાસિક જેલમાં બદ્ધ તરુણ સ્વાતંત્ર્યસૈનિકોને આભારી હતો. તે પૂર્વે જો કે, તાશ્કંદમાં ભારતીય ક્રાંતિકારીઓનો સામ્યવાદી સંપર્ક પણ બન્યો હતો.

અહીં સામ્યવાદનો ઉલ્લેખ થતો રહ્યો છે તો થોડીક વાત એ પણ કરી લઈએ કે લોકશાહી સમાજવાદને પણ માર્ક્સીય ચિંતનનો પાસ જરૂર લાગેલો છે. લેનિન-સ્તાલિનના રૂસમાં જે મોડેલ વિકસ્યું તે પશ્ચિમ યુરોપની લોકશાહી પરંપરાથી વિપરીત હતું. આપણે માર્ક્સની આપણી સમજને રૂસી મોડેલ સાથે ગોટવી દઈએ છીએ તે પણ સામ્યવાદ અંગેના આપણા આકલનને અવળી દિશામાં લઈ જાય છે – કંઈ નહીં તો પણ કુંઠિત તો કરે જ છે. 

એક બીજો પણ પ્રશ્ન છે – આપણા સ્વરાજસંગ્રામમાં સામ્યવાદીઓએ કંઈક કિનારો કર્યો હોય એવો પણ તબક્કો આવેલો છે. અસહકારના દિવસોમાં કોલેજ છોડી સંગ્રામમાં ઝુકાવનાર જયપ્રકાશ એ દોર પછી અમેરિકા જઈ મહેનત-મજદૂરીનું જીવન જીવી સમાજશાસ્ત્રના અભ્યાસમાં ઊંચી પાયરીએ પહોંચતે પહોંચતે માર્ક્સવાદના રંગે રંગાઈ ગયા હતા.

સ્વદેશ પાછા ફર્યા ત્યારે એમણે સામ્યવાદી ચળવળમાં જોડાવું પસંદ પણ કર્યું હોત, પણ સ્વરાજસંગ્રામ અંગે ત્યારે સામ્યવાદીઓમાં ચોક્કસ આકલનવશ જે અંતર અને દ્વિધાભાવ હતો એ જોયા પછી જયપ્રકાશે ગાંધી અને કાઁગ્રેસ સાથે રહેવું પસંદ કર્યું અને આગળ ચાલતાં કાઁગ્રેસ સમાજવાદી પક્ષનો સૂત્રપાત કરનારા બન્યા.

ગાંધીજીએ તરુણ સમાજવાદીઓને સમજવા સારુ મળવા બરક્યા ત્યારે નરેન્દ્ર દેવે એમને બહુ સરસ કહ્યું હતું કે તમે અને કાઁગ્રેસ સભાખંડમાંથી સડકો ને શેરીઓમાં પહોંચી એમાં કિસાન કહો, કામદાર કહો, એમની વધુ ને વધુ હિસ્સેદારીને ધોરણે સ્વરાજને સમતાલક્ષી બનાવવાની અમારી ધખના છે. અલબત્ત, તેઓ એ ગાંધી સાથે વાત કરી રહ્યા હતા, જેણે ચંપારણના ખેડૂતો ને અમદાવાદના મજૂરોનો મોરચો લડી જાણ્યો હતો.

સ્વરાજ પછીના સમાજવાદી આંદોલનમાં નેહરુ ને ગાંધીનું ખેંચાણ ઓછેવત્તે અંશે રહ્યું. સામ્યવાદી આંદોલન પણ સ્વરાજના આરંભે સશસ્ત્ર બગાવતના પ્રયોગ પછી સરવાળે લોકશાહી પ્રક્રિયામાં જોડાઈ ગયું છે અને એક તબક્કે, વી.પી. સિંહના વારામાં આપણે જોયું તેમ એક પા સામ્યવાદી પક્ષો તો બીજી પા ભા.જ.પ. બેઉનો સરકારને ટેકો હતો.

આખો આલેખ અલબત્ત ઉતાવળે અને કંઈક આઘોપાછો ચાલે છે. પણ સાર એ છે કે કટોકટીવાદ કે રાજ્ય મૂડીવાદ એ કોઈ ઉગાર નથી. કથિત રાષ્ટ્રવાદ અને સાગરીત મૂડીવાદનું વાસ્તવ આપણી સામે છે. વર્ણ અને વર્ગની સમજ સાથે ન્યાયમૂલક અભિગમ વિના આરો નથી હોવાનો.

સંવિધાન પરના ભાર અને સામાજિક ન્યાય માટેની પ્રતિબદ્ધતાનું રાજકારણ જ ધોરણસરના વિકલ્પ ભણી લઈ જઈ શકે. સ્વરાજનાં અમૃત વર્ષોમાં અગાઉના ટૂંકા ગાળાના કટોકટીરાજ અને હાલની અઘોષિત કટોકટી સિવાયની પસંદગી સાદ દે છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 24  સપ્ટેમ્બર 2025

Loading

24 September 2025 Vipool Kalyani
← મહેંક
શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું?  →

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved