Opinion Magazine
Number of visits: 9446514
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંહારની એકતરફી રજૂઆત ઇતિહાસનો બોજ હશે, બોધ નથી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|21 August 2025

વિભાજન

સંહારની એકતરફી રજૂઆત ઇતિહાસનો બોજ હશે, બોધ નથી

જે વિગત આ મોડ્યુલ માર્તંડો (બલકે એમના માલિકો ચૂકી ગયા છે તે એ છે કે અહીંથી નીકળેલાં 13 લાખ મુસ્લિમો પાકિસ્તાન પહોંચ્યા નહીં, પાકિસ્તાનથી નીકળેલા આઠ લાખ જેટલા હિંદુ–શીખ અહીં પહોંચ્યા નહીં. 

પ્રકાશ ન. શાહ

14મી ઓગસ્ટને વિભાજનની વિભીષિકા દિવસ તરીકે મનાવવાની જાહેરાત સાથે ભા.જ.પ. નેતૃત્વ ઓર આગે વધી રહ્યું છે. એને પક્ષીય ઉજવણીથી (અને એ રીતે કાઁગ્રેસમુક્ત ભારત તેમ કાઁગ્રેસયુક્ત ભા.જ.પ.ની કોશિશથી) ધરવ નથી. પ્રાથમિક ને માધ્યમિકનાં વરસોમાં સત્તાવાર ધોરણે તે આ બાબત અભ્યાસક્રમમાં સુનિશ્ચિત કરવા માગે છે, અને એ રીતે કશોક પક્ષીય વિચારધારાકીય હેતુ અંકે કરવા ઇચ્છે છે. 

હજુ ગયે અઠવાડિયે જ અભ્યાસકાળમાં પાર્ટિશન હોરર્સ દાખલ થઈ શકે તે દૃષ્ટિએ સરકારી સૂચનાથી એન.સી.ઈ.આર.ટી.એ તૈયાર કરેલ મોડ્યુલની વિગતો પણ પ્રકાશમાં આવી છે. અલબત્ત મોડ્યુલને છેડે એણે શાણી વાત જરૂર કરી છે કે કાઁગ્રેસ વગર મુસ્લિમ લીગ કોઇને ય સાગમટે બધો દોષ ન ખતવાય તે સારુ સમગ્ર ઇતિહાસ જાણવો સમજવો જરૂર છે. 

ભલે ભાઈ. પણ આ શાણીસોજ્જી વાત છતાં એન.સી.ઈ.આર.ટી. ગણાવે છે ત્રણ જવાબદારો – એક, ઝીણા ને લીગ, કેમ કે એમણે પાકિસ્તાનની એટલે કે ભાગલાની માગણી કરી. બે, કાઁગ્રેસ, કેમ કે એણે છેવટે ભાગલાનો નિર્ણય કબૂલ રાખ્યો. ત્રણ, લોર્ડ માઉન્ટબેટન, કેમ કે એમણે ભાગલાનો વિધિવત અમલ કીધો. 

સબૂર. આમાં ભા.જ.પ.-જનસંઘના પૂર્વસૂરિઓ ક્યાં છે? હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ક્યાં હતા. આ દિવસોમાં? અને હા, હમણાં પેટ્રોલિયમ ખાતાએ માથે સાવરકર (ને પછી ગાંધી વ.) એવું જે પોસ્ટર પ્રસારિત કર્યું છે તેના વીરનાયક એટલે કે સાવરકર ક્યાં હતા ત્યારે? ઇતિહાસમાં નોંધાયું છે કે સાવરકરનો હિંદુત્વ થિસીસ વીસમી સદીના ત્રીજા દસકાનાં પૂર્વાર્ધમાં બહાર આવી ચૂક્યો હતો. સ્વરાજની ચળવળથી સલામત અંતર રાખવાની સમજૂતી સાથે બહાર આવેલા અંગ્રેજ સરકારના પેન્શનર સાવરકરે 1937માં હિંદુ મહાસભાના અમદાવાદ અધિવેશનની અધ્યક્ષીય રજૂઆતમાં સાફ સાફ કહ્યું હતું કે આપણે (હિંદ/ઇન્ડિયા) એક રાષ્ટ્ર નથી, વધુ રાષ્ટ્રો છીએ – ઓછામાં ઓછા હિંદુ અને મુસ્લિમ બે રાષ્ટ્રો તો અહીં છે જ. મુસ્લિમ લીગનો પાકિસ્તાનનો ઠરાવ તે પછી, 1940માં આવ્યો. આ ઠરાવ ફઝલૂલ હકે રજૂ કર્યો હતો, અને હકને બંગાળમાં મુખ્ય મંત્રીપદ દરમિયાન એક મંત્રી તરીકે મળી રહેલો સધિયારો હિંદુ મહાસભાના નેતા શ્યામાપ્રસાદ મુખર્જીનો હતો. આ જ મુખર્જી પછી સંઘ નેતૃત્વ સાથેની ગોઠવણપૂર્વક જનસંઘના સ્થાપક – પ્રમુખ બનવાના હતા. 

વાસ્તવિકતા એ છે કે કાઁગ્રેસ ખેંચી શકી ત્યાં સુધી એણે ‘આપણે સૌ હિંદીઓ’ને ધોરણે વાત કરી. મુસ્લિમ લીગે ‘મુસ્લિમ’ હોવાના ધોરણે તો સંઘ-હિંદુ મહાસભાએ ‘હિંદુ’ હોવાને ધોરણે. કાઁગ્રેસની ચૂકના પ્રસંગો ગણાવી શકાય, પણ ‘આપણે એક રાષ્ટ્ર નથી’ એવી પાયાની જે ચૂક લીગ અને સંઘ-હિંદુ મહાસભાની હતી, એનીયે ભૂમિકા ખસૂસ છે જ. ભાગલા વખતે રજવાડાને ભારત/પાકિસ્તાનમાં ભળવાનો અગર સ્વતંત્ર હોવાનો જે વિકલ્પ હતો તે દરમિયાન કાશ્મીરના હરિસિંહ સ્વતંત્ર  રાજ્ય તરીકે ‘હિંદુ રાજ્ય’ની ભૂમિકા લે તે માટે એક તબક્કે હિંદુ મહાસભા ઉત્સાહી હતી જેમ એણે ત્રાવણકોર – કોચીનની સ્વતંત્ર રાજ્ય તરીકેની જાહેરાતને ય ‘હિંદુત્વ’ છેડેથી આવકારી હતી. (ચોક્કસ શકવર્તી ગાળા દરમિયાન હિંદુ મહાસભા અને સંઘનું રજવાડાં-સંધાન તપાસ ને અભ્યાસની બાબત છે.)

સંહાર અલબત્ત અમાનવીય બીના જ છે. પણ એની એકતરફી રજૂઆતમાં ઇતિહાસનો બોજ હશે, બોધ નથી. મોડ્યુલમાં જણાવ્યું છે કે આશરે દોઢ કરોડ લોકો વિસ્થાપિત થયા અને કમ સે કમ છ લાખ લોકો માર્યા ગયા. પણ જે વિગત આ મોડ્યુલ માર્તંડો (બલકે એમના માલિકો) ચૂકી ગયા છે તે એ છે કે અહીંથી નીકળેલાં 13 લાખ મુસ્લિમો પાકિસ્તાન પહોંચ્યા નહીં, પાકિસ્તાનથી નીકળેલા આઠ લાખ જેટલા હિંદુ-શીખ અહીં પહોંચ્યા નહીં. 

તો, લમ્હોંમાં ખાયેલી ખતા સબબ સદીઓમાં કિંમત ચૂકવવાની ગાંઠ બાંધીને નીકળેલું નેતૃત્વ જરી જપ્તમાં ઝાંખે અને લગાર પોરો ખાઈ ડગલું ભરે તો શો વાંધો છે, ભાઈ? કાશ, વિભીષિકાની મૂઠ ને મૂર્છા ઉતરે અને કારુણિકાની સંજીવનીનો સ્પર્શ થાય!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 20 ઑગસ્ટ 2025

Loading

21 August 2025 Vipool Kalyani
← હું મારો નિર્ણય નહી બદલું
ઉદ્દેશ્ય એક જ : સત્તા અમર રહેવી જોઈએ ! →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved