Opinion Magazine
Number of visits: 9446647
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શ્રદ્ધા પોતે જ હવે અશ્રદ્ધેય ! 

"પ્રણય" જામનગરી|Opinion - Opinion|14 August 2025

મનને બહુ આગ્રહ કરી કરીને શ્રેયસાધક બની રહેવાનું કહું છું. અંદરથી એવું ય અનુભવાય છે કે શ્રેયસાધક કહેવાય તેઓનું જગતમાં સંખ્યાબળ પણ કેટલું ? પણ આમ્રવૃક્ષ બાવળ શી રીતે બની શકે ?

આસપાસ મોટા ભાગના જીવો પ્રેયસાધક જ જોવા મળે છે . બાહ્ય દેખાવ શ્રેયસાધકનો; પણ અંદરથી તો પ્રેયના જ પૂજારી – વધારે યોગ્ય શબ્દ વાપરવો હોય તો પાપના પૂજારી પણ પ્રયોજી શકાય ! મોટા ભાગનાનું મન એવું કે અનૈતિકતા, અપ્રામાણિકતા, ગમે તે માર્ગે – ગમે તે રસ્તે જેટલું ધન મેળવી શકાય, રળી શકાય એટલું ઉસેડી લેવાનું; આ રોગ ઊગીને ઊભા થાતા નાનકડાં છોકરાંઓમાં ય નરી આંખે જોઈ શકાય છે; જેને મળીએં એ શખ્સ “નીરજ” કહે છે તેમ “सब का तेरी जेब से नाता, तेरी जरुरत कोई नहीं ।”ની મનોવૃત્તિવાળો જ જોવા મળશે !

આશ્ચર્યની વાત તો એ છે કે આમ તો  positive thinking – એટલે કે હકારાત્મક વિચારણાનો મહીમા ચારે તરફ જોવામાં આવશે; પણ મોટા ભાગના આધેડો અને ખાસ કરીને યુવાનો પાસે નૈતિકતાની અને પ્રામાણિકતાની વાત કરીએ એટલે એ આક્રમક રીતે દલીલોથી ઉદાહરણ સહિત વિરોધ કરવા રીતસરના તૂટી જ પડે છે; એમનો બિલકુલ દોષ નથી રોજિંદા જીવનમાં તેઓ જે જૂએ છે – જાણે છે – જીવે છે એ જ અણગમતી બાબતની પ્રતિક્રિયા તો એ આપે જ ને !

આમ તો પૃથ્વી પર મનુષ્ય જનમ્યો અને એનું મન વિચારતું થયું હોય ત્યારથી જ શુભની સાથે જ અશુભની પણ વિચારણા શરૂ થઈ હશે. “રામાયણ”, “મહાભારત” પણ શુભ-અશુભની જ સંમિશ્રિત કથા છે ને ? પણ પાછલે પગલે જેમ જઈએ એમ શુભનું – શ્રેયનું બળ વધુ જોવા મળશે. એથી જ એ કાળે લોકો પર ધર્મનો પ્રભાવ અને ડર પણ વિશેષ જોઈ શકાશે. કિન્તુ, કહેવાય છે કે જગતમાં બીજું વિશ્વ યુદ્ધ થયું ત્યારે જગતમાં નૈતિક મૂલ્યોનો તમામ ક્ષેત્રમાં હ્રાસ થયો ! સંઘરાખોરી, કાળાબજાર, અઢળક ધન રાતોરાત મેળવી લેવાની લાલસા, ભ્રષ્ટાચાર, લાંચ-રૂશ્વત વગેરે અનિષ્ટો આ બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન વિશેષ જોવા મળ્યા. હવે આધુનિક યુગના મશીનછાપ માનવીનો ચહેરો નજરે આવ્યો. ઉમાશંકર જોશીના નિબંધસંગ્રહ “ગોષ્ઠિ”ના એક નિબંધમાં પણ આ બીજા વિશ્વ યુદ્ધ પછી અમદાવાદની યુવાન પેઢીમાં આવેલ આ પરિવર્તનની નોંધ લેવાઈ છે .

આ શ્રેયમાર્ગથી બીજા વિશ્વ યુદ્ધની આબોહવાએ આપણને ઘણાં દૂર લાવી મૂક્યા છે. આપણે અનૈતિકતા, અપ્રામાણિકતા, ભ્રષ્ટાચાર અને લાંચ-રૂશ્વતને નામશેષ કરવાની મહેચ્છા રાખીએ છીએ, પણ એ તો `રક્તબીજʼની જેમ વધારે ને વધારે ફાલતાફૂલતા જાય છે !

હજુ ધરતી સાવ વાંઝણી તો નથી જ થઈ; શ્રેયાર્થીઓ પણ નથી જ એવું તો નથી; પણ આપણે આપણા રોજિન્દા અનુભવોને આધારે એટલી હદે શ્રદ્ધા ગુમાવી બેઠા છીએ કે કોઈ વ્યક્તિને આપણે શ્રદ્ધેય તરીકે સ્વીકારી શકતા નથી. આ અશ્રદ્ધાની વચ્ચે – સાથે જીવવું એ નાનીસૂની સજા નથી!

તા. ૧૪-૦૮-૨૦૨૨

Loading

14 August 2025 Vipool Kalyani
← દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૬ (સાહિત્યવિશેષ : પ્લેટો) 
વિભીષિકા કરતાં વધુ તો કારુણિકા : 14મી ઓગસ્ટનું થોડું સહચિંતન  →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved