Opinion Magazine
Number of visits: 9449693
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બદલો લેવાની ભાવના છોડીએ.

મનુબહેન ગાંધી|Gandhiana|28 March 2025

તા. 7-4-1947

નવી દિલ્હી 

બાપુજી ઉપરની આજની ટપાલ બહુ ‘રમૂજી’ હતી.  કેટલાંક કવરના સરનામા પર ‘મહમૂદ ગાંધી’ હતું. કેટલાક બાપુજીને સામ્યવાદી ગણે છે, અને વળી કેટલાક તો ઝીણાસાહેબના ગુલામ પણ કહે છે. બાપુજીને મેં આ બધી ટપાલ વંચાવી. બાપુજીએ હસતાં હસતાં લખ્યું, “મહાત્માનો ઈલકાબ પણ લોકોએ જ આપેલો છે, ‘બાપુ’નો ઈલકાબ પણ લોકોએ (પરંતુ અંગત ગણાતાં માણસોએ) આપેલો છે; તો આ બધા ઈલકાબો પણ લોકો આપે તેને મારે વધાવી લેવા જોઈએ ના?”

હમણાં સખત ગરમીને કારણે બાપુજી ૯ વાગ્યામાં જ જમી લે છે. ખોરાક તો ગરમીને લીધે સાવ ઓછો કરી નાખ્યો છે.

અહીં વર્ષોથી રહેનારા લોકો પણ કહે છે કે, આ સાલની ગરમી અસહ્ય છે. અમે તો આવી અસહ્ય ગરમી જોઈ જ નથી. એવી જ ગરમી રાજકીય વાતાવરણમાં છે. એટલે માણસોના મગજની ગરમીને કારણે કદાચ કુદરતી ગરમી વધુ લાગતી હોય એ સંભવ છે. બાપુજીને તો આ બંને જાતની ગરમી ઠંડા મગજે સહન કરવી પડે, એ કેવી આકરી કસોટી હશે? દેશની પરિસ્થિતિ જેઈને તેમના હૃદયમાં જે દાવાનળ સળગી રહ્યો છે, તે આ બાહ્ય ગરમી આગળ કંઈ જ વિસાતમાં નથી. અને એથી ચોવીસે કલાક પોતે આત્મચિંતનમાં કાઢે છે. છતાં ય એ જ હાસ્યમય ચહેરો અને એનો એ જ એમનો પ્રેમ તો પળે પળે નીતરે છે. એમની પાસે નાનો ગોપુ આવે કે કોઈ દેશી કે પરદેશી વિદ્વાન આવે, બંનેની સાથે એવી રીતે વર્તે કે, બંનેને એમ જ લાગે કે બાપુએ પિતાને બહુ મહત્ત્વ અને માન આપ્યું. જેવો સમય હોય તે સમયનો પોતે આવો સદુપયોગ કરી આનંદ તો બંને સ્થિતિમાં મેળવે જ.

આવું આજે સાંજે પ્રાર્થના પછી બન્યું. પ્રાર્થનામાં જ બાપુજીનું મૌન ખૂલી ગયું હતું, તેમણે પ્રવચન સંભળાવ્યું.

પ્રવચનમાં બાપુજીએ આજની આવેલી ટપાલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “મારી ઉપર જે આરોપો મૂકવામાં આવે છે, તેથી હું ડરતો નથી. કારણ કે હું તો ગીતાનો, કુરાનનો, બાઇબલનો, જરથોસ્તનો વગેરે બધા ધર્મનો અભ્યાસી છું. અને એ દાવે આવા બધા આરોપ સહન કરવાની ભગવાન આપોઆપ જ મને શક્તિ આપે જ છે મને તો દરેક ધર્મના ધર્મગુરુઓ જે કહી ગયા છે તેમના વચનામૃતો પર વિશ્વાસ છે, શ્રદ્ધા છે. એટલું જ નહીં, પણ ઈશ્વરને પ્રાર્થના કરું છું કે, જેઓ મારી પર આરોપો મૂકે છે તેઓ પર મને કદી ય ગુસ્સો ન આવે, પણ તેઓ કદાચ મને ગોળીથી વીંધવા તૈયાર થાય તો હું હસતે મોઢે ભગવાનનુ સ્મરણ કરતો કરતો જ મરું. મારી ખાતરી છે કે, જો હું મારા નિર્ણય પર તન મનથી (વળગી) રહીશ તો અને સાચા દિલથી જો હિંદુ અને મુસલમાન ધર્મોની રક્ષા કરતો હોઈશ તો મારી આ પ્રાર્થના ઈશ્વર સાંભળ્યા વગર નહીં જ રહે. તમે મારાં આ વચનો નોંધી રાખજો. અને તમને કહું છું કે, મને મારનારને જો હું અંતિમ ઘડીએ ગાળો દઉં કે ગુસ્સો કરું તો મને ફિટકારજો અને કહેજો કે, આ તો ‘દંભી મહાત્મા’ હતો. તમે જાણે છો ના કે આજની દુનિયામાં આવા દંભી મહાત્માઓ બહુ પડ્યા છે. પણ આજે હું અંત:કરણથી કહું છું કે મારા મનમાં કોઈનું ભૂંડું કરવાની લવલેશ પણ કલ્પના છે જ નહીં. તો તો મારી અહિંસા અને સત્ય બંને લાજે …”

“બદલો લેવાની ભાવના છોડીએ. કોનો બદલો લેવો છે? બદલો લેનાર અને બદલો લેનાર એક સર્વશક્તિમાન આપણા પર છે તે શ્રદ્ધા ન ગુમાવીએ.”

“જે ભૂમિ અમર હિમાલયથી રક્ષાયેલી છે, જ્યાં ગંગા જમના જેવી પવિત્ર નદીઓ વહે છે, ત્યાં શું આપણે આપણો નાશ હિંસાથી કરીશું? એવા કમનસીબ દિવસો જોવા ઈશ્વર મને તો ન જ જીવાડે, એ મારી અંતઃકરણપૂર્વક ઈશ્વરને પ્રાર્થના છે.” 

[મનુબહેનની ડાયરીમાંથી : ‘બિહારની કોમી આગમાં’]
28 માર્ચ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 268

Loading

28 March 2025 Vipool Kalyani
← ‘આપણે જીવતા છીએ તેની આ સાબિતી છે !’
સહ-પ્રવાસી →

Search by

Opinion

  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved