Opinion Magazine
Number of visits: 9448811
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉમાશંકર જોશીની કાવ્યસૃષ્ટિ 

સુમન શાહ|Opinion - Literature|19 August 2024

મારુ પુસ્તક “ભક્ત-કવિ દયારામની કાવ્યસૃષ્ટિ” પ્રકાશિત હોવાછતાં વણવંચાયેલું રહી ગયું લાગે છે, તેમ “ઉમાશંકર જોશી સમગ્ર કવિતાના કવિ – એક પ્રોફાઇલ” પણ પ્રકાશિત હોવાછતાં અંધારામાં રહી ગયેલું લાગે છે. એના પણ કેટલાક અંશ અહીં રજૂ કરું છું :

ઉમાશંકર જોશીની કાવ્યસૃષ્ટિ —

૨૧ જુલાઇ ઉમાશંકર જોશીનો જન્મદિવસ. ૧૯૧૧-માં જન્મેલા. મને એમનું જ્યારે પણ સ્મરણ થાય, ત્રણ કારણે થાય :

પહેલું તો એ કે, જે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા; જે ભાષા-સાહિત્ય ભવનના ડિરેક્ટર હતા; જે ગુજરાતી વિભાગના તેઓ અધ્યક્ષ હતા; એ સ્થળવિશેષે મેં મારી કારકિર્દીનાં ૪૦-માંથી ૨૭ વર્ષ અધ્યાપન કર્યું. લૅક્ચરર, રીડર, પ્રૉફેસર, હેડ અને પ્રૉફેસર ઇમૅરિટસ સ્વરૂપે સેવાઓ આપી. 

બીજું કારણ એવું કે ત્યારે ગુજરાતી સાહિત્યજગતમાં ‘સુરેશ જોષી’ અને ‘ઉમાશંકર જોશી’ એવી બે યુદ્ધ-છાવણીઓ નક્કી થઇ ગયેલી. જો કે લડી લેવા જેવું સાહિત્ય-યુદ્ધ તો હજી ય ક્યાં લડાયું છે? પરન્તુ ઉમાશંકર વડોદરા જતા ત્યારે સુરશભાઇને મળવાની તક કદી ચૂકતા નહીં. 

અમદાવાદવાળા મને ‘સુરેશ જોષીનો માણસ’ ગણે, પરન્તુ ઉમાશંકર સાથેનો મારો-અમારો સમ્બન્ધ ઉત્તરોત્તર ઘર-જેવો થઇ ગયેલો. બાકી, સાહિત્યકારો તો સુ.જો.-ઉ.જો.-ના મનઘડંત ભેદ રચીને કાં તો રાગદ્વેષનો અવારનવાર વિનિમય કરતા’તા અથવા તો મફતમાં મજા લૂંટતા’તા.

બેસતા વર્ષે તો બરાબર, પણ અમે — હું, રશ્મીતા, પૂર્વરાગ અને મદીર — અવારનવાર ઉમાશંકરને ત્યાં મળવા જતાં; અને સાંભળો, તેઓ પણ જ્યારે જ્યારે એમને અનુકૂળ હોય ત્યારે ત્યારે કૅમ્પસમાં અમારે ઘરે આવતા. એક વાર તો અમે એમને મળવા એમને ઘરે ગયેલાં તો જાણ્યું કે અમને મળવા એઓ ક્યારના નીકળી ગયા છે. પાછા જઇને જોયું તો કવિ આંગણામાં ખાટલે બેસી અમારા દીકરાઓ જોડે વાતોએ વળગેલા. 

મને યાદ રહી ગયો છે એમણે શાન્તિનિકેતનથી અમને બે વિભાગમાં લખેલો એક ભૂરો આન્તરદેશીય પત્ર. ડાબા વિભાગનો પત્ર મારા અને રશ્મીતા માટે હતો ને જમણા વિભાગનો અમારા દીકરાઓ પૂર્વરાગ અને મદીર માટે હતો. એ પત્રદ્વયની વાતે મને એમનાં સૉનેટદ્વય યાદ આવી ગયાં છે. સૉનેટ કાવ્ય ૧૪ પંક્તિનું હોય છે. ૧૪ સૉનેટની માળા હોય. બે સૉનેટની જોડી હોય. એને સૉનેટદ્વય કહેવાય. ઉમાશંકરે ખૂબ સૉનેટ લખ્યાં અને એમાં માળાઓ છે તેમ જ જોડીઓ પણ છે. 

એ સુખ્યાત સૉનેટદ્વયને સંભારું, બે રચનાઓ છે – ‘ગયાં વર્ષો તેમાં’ અને ‘રહ્યાં વર્ષો તેમાં’. કાવ્યનાયકનું આ વિસ્મય – 

‘ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં!’ 

અને એની આ પ્રાપ્તિ – 

’અહો હૈયું! જેણે જીવતર તણો પંથ જ રસ્યો!’ 

અને, રહ્યાં વર્ષો માટે નાયકે જાતને પાઠવેલો આ આદેશ – 

‘રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું 

ભલા પી લે; વીલે મુખ ફર રખે, સાત ડગનું

કદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહીંયાં; 

નથી તારે માટે થઇ જ નિરમી ‘દુષ્ટ’ દુનિયા. 

અહો નાનારંગી અજબ દુનિયા! શેં સમજવી?’  

ત્રીજું કારણ એ કે કવિ ઉમાશંકર મારા રસનો વિષય રહ્યા છે. કારકિર્દીનાં છેલ્લાં બે વર્ષ હું પ્રોફેસર ઇમૅરિટસ હતો એ અન્વયે મેં એમની પદ્યરચનાનું સઘન અધ્યયન કર્યું હતું. “સમગ્ર કવિતા”-ના પ્રકાશનને બીજે જ વરસે, ૧૯૮૨માં, મેં એમની ‘સમગ્ર કવિતા’-ની એક જુદી જ ઢબની સમીક્ષા કરી છે, જે પુસ્તિકા રૂપે પ્રકાશિત છે, જુઓ, “ઉમાશંકર સમગ્ર કવિતાના કવિ, એક પ્રોફાઇલ” – સુમન શાહ : ચન્દ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ, ૧૯૮૨. 

(ક્રમશ:)
(18 Aug 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

19 August 2024 Vipool Kalyani
← હવેના પ્રિન્સિપાલને પ્રિન્સિપલ હોય જ તે અનિવાર્ય નથી …
જોહાત્સુ: ચલ કહીં દૂર નિકલ જાયેં … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved