Opinion Magazine
Number of visits: 9449148
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કહેવાતા રાષ્ટ્રવાદ પાસે આંખ હશે, પણ દૃષ્ટિ ક્યાં?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|24 July 2024

યુવાલ હરારી

પહેલી જુલાઈએ મહાનગર અમદાવાદ જો વસંત-રજબની કુરબાની સંભારી રહ્યું હતું તો જોગાનુજોગ એ જ દિવસ ઈઝરાયલની વાણિજ્યધાની સમા ટેલ અવિવ સારુ હિંસ્ર અભિગમથી મુક્ત થવાનો શાણપણનો સંદેશ લઈને આવ્યો હતો. લક્ષાધિક લોક એકત્ર આવ્યું હતું અને આપણા દસકાના વિશ્વપ્રતિષ્ઠ ઇતિહાસકાર હરારીએ પોતાના યહૂદી હોવાથી ઊંચે ઊઠીને ખરી દૂંટીના અવાજથી ને ઇતિહાસના ઊંડા જ્ઞાનના અજવાળાથી ઈઝરાયલ ને પેલેસ્ટાઈન બેઉ જોગ શાંતિ સંદેશ આપતી આરતભરી અપીલ કરી હતી.

એક વાચક મિત્રે મને એનો પાઠ મોકલી આપ્યો છે એમાંથી થોડોક અંશ ઉતારું તે પૂર્વે હરારી વિશે બે શબ્દો કહું? 2011માં હિબ્રુમાં અને પછી 2014માં અંગ્રેજીમાં ‘સેપિયન્સ’ સાથે એ વિશ્વવિશ્રુત બન્યા. મનુષ્યજાતિના ઇતિહાસને કઈ રીતે જોઈ શકાય એ એમણે એક આગવા અભિગમથી મૂક્યું છે. અહીં એની ચર્ચામાં નહીં જતાં, જે ભાષણનો અંશ આપવા ધાર્યો છે – શાંતિ સંદેશનો – એ સંદર્ભમાં લગીર કૌતુક શો એક મુદ્દો કરી લઉં કે હરારીનો આરંભિક અભ્યાસ ‘મિલિટરી એંગેજમેન્ટ્સ’ પરત્વે હતો. તે પછી તે ઇતિહાસના વિશાળ વિસ્મયલોકમાં પ્રવેશ્યા.

‘સેપિયન્સ’ પછીયે હરારી લખતા ને વંચાતા રહ્યા છે અને એક માનવહિતચિંતક તરીકે એમના તરફ વ્યાપકણે ધ્યાન ખેંચાતું રહ્યું છે. કોરોના વખતે, વ્યક્તિમાત્રનો ડેટા એની સ્વાસ્થ્યસંભાળ માટે રાજ્ય હસ્તક ચાલ્યો જાય એ મુદ્દા પર એમણે ચેતવણી અને ચિંતાના સૂરે કહ્યું હતું કે આ રીતે સત્તા-પ્રતિષ્ઠાન આપણને સૌને તાબે કરે તો શું. એક રીતના દોઢ ઓરવેલિયન સ્ટેટની, ‘ધ બિગ બ્રધર ઈઝ વોચિંગ યુ’ની તરજ પરની એમની સતત ચિંતા રહી છે.

તાજેતરનાં વરસોમાં એમનું બહુ વંચાયેલું પુસ્તક એકવીસમી સદી જોગ એકવીસ બોધપાઠને લગતું છે. આ એકવીસ મુદ્દામાં એક આતંકવાદને લગતો પણ છે. નવાઈ લાગે પણ 2018ના આ પ્રકાશનમાં હાલ ઈઝરાયલને હંફાવનાર ‘હમાસ’ વિશે નામજોગ ખાસ વાત નથી. ત્યારે જે વ્યાપક લાગણી હતી તે એમની પણ હશે કે ઈઝરાયલની અપ્રતિમ લશ્કરી સજ્જતા અને ગુપ્તચર જાળ સામે આનો શો હિસાબ.

ગમે તેમ પણ, આ પુસ્તકમાં એમણે આતંકવાદ વિશે જે નિરીક્ષણો કર્યાં છે તે તાજેતરનો લોહી નીંગળતો ને ઉદ્ધ્વસ્તકારી દોર જોતાં સચોટ સમજાય છે. ‘આતંકવાદીઓની વાસ્તવિક શક્તિ અને તેઓ જે ભય જગવે છે તેની વચ્ચે વિષમતુલા પ્રવર્તે છે … શત્રુ જ્યારે એમની સામે વળતો પ્રહાર કરે છે ત્યારે એની સામે આતંકવાદીઓનો કોઈ દેખીતો હિસાબ હોતો નથી. ખરેખર તો જ્યારે બીજો કોઈ વિકલ્પ ન જણાય ત્યારે આતંકવાદીઓ હુમલો કરે છે. એક નાઈલાજ મરણિયાપણું!’

હમાસના હુમલામાં (એના બચાવમાં નહીં પણ સમજવાની રીતે નોંધવું જોઈએ કે) આ નાઈલાજી (અને એથી મરણિયાપણું) જોવા મળે છે. એકી સપાટે એની પાસે મર્યાદિત સંખ્યામાં હતાં એટલાં મિસાઈલ પ્રયોજી એણે ઈઝરાયલી આડશો તહસનહસ કરી બસો જેટલાને બાન પકડ્યા – ઈઝરાયલી જેલોમાં પોતાના બે હજાર જેટલા લોકો પુરાયેલા હતા, એમને છોડાવવાના અવેજ વાસ્તે.

આખો રક્ત નીંગળતો નાટારંગ નિહાળી હરારીએ ટેલ અવિવની વિરાટ રેલી જોગ શું કહ્યું, થોડું સાંભળીએ:

‘એક વખત એવો હતો કે અહીં (ઈઝરાયલમાં) માનવીઓ ન હતા. દસ કરોડ વરસ પર અહીં ડાયનાસોર વસતા હતા. દસ હજાર વરસ પહેલાં અહીં આધુનિક માનવ પહોંચી ચૂક્યો હતો, પરંતુ આજે આપણે જેટલા માનવસમૂહોને ઓળખીએ છે તેમાંના એક પણ સમૂહનું ત્યારે અસ્તિત્વ નહોતું … આપણે લાંબી ચર્ચા કરી શકીએ કે ક્યારે યહૂદીઓ અહીં આવ્યા અને ક્યારે પેલેસ્ટાઈનીઓ અહીં ઉભર્યા, પરંતુ અગત્યનું એ છે કે આજે તે બંને લોકો અહીં વસે છે …’

‘દરેક પક્ષ માને છે કે સમગ્ર વિસ્તાર પર માત્ર અને માત્ર પોતાનો અધિકાર છે. પેલેસ્ટાઈનીઓ પૂર્ણ ગંભીરતાથી પૂછે છે કે જેરુસલેમ સાથે યહૂદીઓને શું લેવાદેવા? એટલી જ તીવ્ર ગંભીરતાથી યહૂદીઓ પૂછે છે કે પેલેસ્ટાઈનીઓ કોણ છે? એ બંને પાસે આંખો છે પણ દૃષ્ટિ નથી. તેમની પાસે કાન છે પણ સાંભળી શકતા નથી …’

‘બંને બાજુએ એકબીજાના અસ્તિત્વનો સ્વીકાર કરવો જ રહ્યો. બીજા કોઈનો કોઈ અધિકાર નથી અને એક દિવસ આપણે સામેનાનો સર્વનાશ કરી નાખીશું એવી કલ્પનાથી બધાએ પોતાની જાતને મુક્ત કરવી જોઈએ …’

‘ભૂતકાળમાં આપણે શાંતિના પ્રયત્નો કર્યા હતા અને તેમાં સફળતા મળી નહોતી. યુદ્ધ પણ કર્યાં હતાં અને તેમાંયે ધારી સફળતા મળી નહોતી. જેમ આપણે ફરી ફરીને યુદ્ધ કરીએ છીએ તેમ ફરી ફરીને શાંતિના પ્રયત્નો પણ કરી જ શકીએ. એક વધુ ભીષણ યુદ્ધનો નાદ આપણને બરબાદીની ઊંડી ખાઈને કિનારે લઈ આવ્યો છે. ફરી પાછો શાંતિ માટે પ્રયત્ન કરવો જ જોઈએ.’ 

આ સ્તો વિશ્વપ્રશ્ન છેઃ કથિત રાષ્ટ્રવાદ કને આંખ હશે, પણ દૃષ્ટિ ક્યાં?

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 24 જુલાઈ 2024

Loading

24 July 2024 Vipool Kalyani
← Elections 2024: Democratic Ethos and Plight of Minorities
આપણા અનુ-આધુનિક સાહિત્ય વિશે ફરી એક વાર… (૫)  →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved