Opinion Magazine
Number of visits: 9449039
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હવે અનુમોદનાને બદલે આલોચના : કાશ, મોદી ભાજપમાં સૂઝબૂઝ હોય ! 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|13 June 2024

ભાગવતનાં હિતવચનો

નડ્ડાએ સંઘથી હાથ ઊંચા કરી નાખ્યા એ જોતાં તેમ જ જે પ્રકારનો પરિણામઆંચકો આવ્યો એ પછી ‘ઇતના તો બનતા થા’ : સવાલ જો કે શતાબ્દી લગોલગના સંઘને પક્ષે પણ આત્મનિરીક્ષણનો છે જ.

પ્રકાશ ન. શાહ

ચૂંટણી પરિણામો પછી સરસંઘચાલક ભાગવતની સીધી ટિપ્પણીમાં તેમ પરિવારના બંને મુખપત્રો ‘ઓર્ગેનાઇઝર’ અને ‘પાંચજન્ય’માં પ્રગટ થયેલાં વલણોમાં ભારતીય જનતા પક્ષ સંબંધે વ્યક્ત થયેલા વિચારો, બંનેનો (સંઘ અને ભા.જ.પ.નો) નિકટનાતો જોતાં જરૂર ધ્યાનાર્હ બની રહે છે.

1992ની છઠ્ઠી ડિસેમ્બર પછી સંબંધિત રાજ્ય સરકારોની બરખાસ્તગી થઈ – અને સર્વોચ્ચ અદાલતે બંધારણના મૂળભૂત માળખાને અનુલક્ષીને બિનસાંપ્રદાયિકતાને મુદ્દે તે બહાલ રાખી – એ પછી જે તે રાજ્યોમાં ભા.જ.પે. નવી ચૂંટણી વખતે રમતું મૂકેલું સૂત્ર ‘આજ પાંચ પ્રદેશ, કલ સારા દેશ’ હતું. તે જો કે, ભોંઠું પડ્યું અને અયોધ્યા લેતાં લખનૌ ખોયું ત્યારે દીનદયાલ શોધ સંસ્થાનમાં યોજાયેલી મંથન બેઠકમાં ઉમા ભારતીએ યાદગાર વચનો ઉચ્ચાર્યાં હતાં કે ચેહરા, ચાલ ઔર ચરિત્ર તીનોં બદલના હોગા.

આ વખતે ભા.જ.પ.-એન.ડી.એ.ના પરાજય ગર્ભ વિજયની ક્ષણે સરસંઘચાલક ભાગવતે નાગપુરમાં સંઘ શિક્ષા વર્ગના સમાપન સત્રને સંબોધતા જે કહ્યું એમાં કેટલેક અંશે ઉમા ભારતીનાં વચનોનું જ કંઈક વાર્તિક તમને જોવા મળશે : “જો વાસ્તવિક સેવક હૈ, જિસકો વાસ્તવિક સેવક કહા જા સકતા હૈ, વહ મર્યાદા સે ચલતા હૈ … ઉસ મર્યાદા કા પાલન કર કે જો ચલતા હૈ વહ કર્મ કરતા હૈ લેકિન કર્મો મેં લિપ્ત નહીં હોતા. ઉસમેં અહંકાર નહીં હોતા કી મૈંને કિયા. ઔર વહી સેવક કહલાનેકા અધિકારી રહતા હૈ.(સાંભરે છે ‘મોદી કી ગારંટી’?)

‘એક અકેલા સબ પર ભારી’ શૈલીના નેતૃત્વને અંગે બલકે કાર્યશૈલી સહિત સમસ્ત જીવનશૈલી પરત્વે, ભાગવતની આ આલોચના પ્રગટપણે એક અંતરાલ પછી આવે છે. વડા પ્રધાનના બીજા કાર્યકાળમાં સરસંઘચાલકના જે ઉદ્દગારો સામે આવ્યા તે સામાન્યપણે શાસન પરત્વે અનુમોદનાવત્ હતા. સીધી આલોચના આ રીતે લાંબે વખતે આવી છે.

આરંભે સંઘ-ભા.જ.પ.ના નિકટનતાની જિકર મેં કરી. ખરું જોતાં, જનસંઘના જમાનામાં તો વસ્તુતઃ એ નાભિનાતો જ હતો. નેહરુ પ્રધાનમંડળમાંથી છૂટા થયેલા શ્યામાપ્રસાદ મુખર્જી કેવળ હિંદુઓ જ જેમાં હોય એવી હિંદુ મહાસભામાં પાછા જવા ઇચ્છતા નહોતા. ‘હિંદુરાષ્ટ્ર’ની સ્વીકૃતિપૂર્વક ભારતના નાગરિકમાત્રને જેમાં પ્રવેશ હોય તેવો પક્ષ એ ઇચ્છતા હતા. સંઘની પરિસ્થિતિ ત્યારે ગાંધીહત્યા પછીના ગાળામાં વ્યાપક જાહેર જીવનમાં કોઈ પ્રવેશબારી વગરની હતી. મુખર્જીને સંઘે મધોક, દીનદયાળ, વાજપેયી જેવા સાથીઓ પોતાના અધિકારીગણમાંથી આપ્યા અને એ રીતે જનસંઘ આવ્યો. આગળ ચાલતાં કાર્યપદ્ધતિના કેવા પ્રશ્નો થયા એનું એક નિદર્શન મધોકના રાજીનામા વખતના પત્રમાં મળે છે કે સંઘનીમ્યા સંગઠન મંત્રીઓ જનસંઘ પર ફાસીસ્ટ પકડ ધરાવે છે.

જરી ઉતાવળે વચગાળાનો પણ એક વિગતમુદ્દો કરી લઉં. જયપ્રકાશના આંદોલન વાટે જનસંઘના ભાવિ જનતાપ્રવેશનાં દ્વાર ખૂલ્યાં એ જાણીતું છે. વાજપેયી એ દિવસોમાં કહેતા કે અમારા કાર્યકરોનું ચારિત્ર્ય આમ જનતાના આંદોલન સાથે જોડાવાથી બદલાઈ રહ્યું છે. જ્યારે જનતા પક્ષ તૂટ્યો (જેનાં કારણો ઓછેવત્તે અંશે બધે છેડે હશે) એ વખતે વાજપેયીએ સંઘ જોગ જાહેર ટીકા પણ કરી હતી કે તમે નક્કી કરો, તમે સામાજિક સુધારસંસ્થા છો કે પછી રાજકીય પક્ષ.

ગમે તેમ પણ, જ્યારે જનસંઘે જનતા અવતારથી આગળ જવાનું નક્કી કર્યું ત્યારે એને આગલાથી માંડી ચિમનલાલ ચકુભાઈ અને તારકુંડે સહિતની પ્રતિભાઓનો ટેકો મળ્યો હતો કે જ્યાં જનતા પક્ષ ચિત્રમાં ના હોય ત્યાં ભારતીય જનતા પક્ષનો વિચાર કરવો જોઈએ. જો કે, અડવાણી લાઈન પછી આ અભિગમને અવકાશ ન રહ્યો અને મોદી ભા.જ.પ.નો તો પ્રશ્ન જ નથી. 2014માં એકવાર અડવાણીએ જ કહ્યું હતું કે અમે 1977-1979માં કટોકટી લાદી ન શકાય એવા કાયદા કર્યા એ સાચું, પણ હજુ ‘કટોકટી’ ન જ આવી શકે એમ હું માનતો નથી. ભાગવતનાં નિરીક્ષણો ને હિતવચનો અવશ્ય આવકાર્ય છે, પણ એમાં અડવાણીના આ આકલન સુધી પહોંચવાનું હજી બાકી છે.

ભા.જ.પ.નું તો સમજ્યા, પણ સંઘે પણ શતાબ્દી લાયક ખાસું મંથન કરવાપણું છે, એનું શું.

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 13 જૂન 2024

Loading

13 June 2024 Vipool Kalyani
← મોહન ભાગવતની ભાષા કેમ બદલાઈ ગઈ તે બધા જાણે છે, તેમાં રાજી થવા જેવું કાંઈ નથી
NDA in Power 2024: Whither Hindu Nationalism? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved