Opinion Magazine
Number of visits: 9448931
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચહેરા વિનાનો

સુરેશ જાની|Opinion - Opinion|10 April 2024

કાલે એક ફેશનેબલ સ્ટોરમાં આ બે જણ મળ્યા! આવા તો એ સ્ટોરમાં આવા ઘણા ઠેકઠેકાણે ઊભેલા હતા. કપડાંને નિખાર આપવાનું એમને સોંપાયેલું કામ એ બધા દિવસ રાત બહુ નિષ્ઠાથી નિભાવે છે! –  ‘mannequin’

લેક્સિકોન પર એનો અનુવાદ – ‘કપડાં પહેરીને તેનું પ્રદર્શન કરવા રાખેલો માણસ, દુકાનમાં રખાતું કપડાં પહેરાવેલું બાવલું.’

આ બે બાવલાં ઘરમાં વપરાતા હેન્ગરના મોંઘાદાટ અવતાર. એમનું કામ માત્ર કપડાં લટકાવવાનું નહીં, પણ કપડાંના છેવટના વપરાશકારને પ્રદર્શિત કરવાનું – એક વ્યાપારી આયોજન આમ તો છે. પણ અજાણતાં જ છેવટના એ વપરાશકારની એક આબેહૂબ પ્રતિકૃતિ કેમ લાગી?

એમની પાછળની દિવાલ પર જેમના માટે એ આ કામ કરે છે – એમની એક તસવીર પણ લટકી રહી છે. પણ એ તો બે જ પરિમાણ વાળી – ખાલી તસ્વીર જ. એને કોઈ ત્રિમરિમાણીય અસ્તિત્વ જ નથી! ચહેરા વિનાના એ બે જણને જોઈ, એ ખોફનાક ખવીસ યાદ આવી ગયો. એ જણની  એક જૂની કલ્પના મોજૂદ છે –

અંધારઘેર્યા પ્રદેશનો આંધળો રાજા

તે અંધકારથી ભરપૂર પ્રદેશ છે. ત્યાં બધું અંધારામાં જ થાય છે. ત્યાં જીવનનો લાલચોળ પ્રવાહ સાવ અંધારામાં, સતત વહ્યા કરે છે. ત્યાં જીવનનો ધબકાર અવિરત થયા કરે છે : કોઈ જ અજવાળા વગર. ત્યાં પૂરવઠો ઠલવાય છે, વપરાય છે અને કચરાનો નિકાલ પણ થાય છે; ત્યાં જાતજાતના પવન ફૂંકાય છે; ત્યાં વિકાસ અને વિનાશ થાય છે; વિચારો અને ચિંતન થાય છે; યોજનાઓ ઘડાય છે, એમનું અમલીકરણ થાય છે; માન્યતાઓ, પૂર્વગ્રહો, ચિંતાઓ, વ્યથાઓ, ઉલ્લાસો, ઉત્સવો પણ થાય છે. ત્યાં સંગીતની સૂરાવલીઓ અને નિરર્થક ઘોંઘાટ પણ થાય છે. ત્યાં નવસર્જન પણ થાય છે. પણ સઘળું નકર્યા અંધકારમાં. માત્ર બે જ ગોખલામાંથી પ્રકાશનાં નાનકડાં કિરણ પ્રવેશે છે; પણ એનાથી નાનકડી ઉત્તેજનાઓના સંકેતો જ અંદરની કાજળકાળી કોટડીમાં પ્રવેશી શકે છે.

એ પ્રદેશની અંદરની વ્યવસ્થામાં સહેજ પણ ફેરફાર થાય; અવ્યવસ્થા સર્જાય તો એનું સમગ્ર હોવાપણું ખળભળી ઊઠે છે. નાનકડી અવ્યવસ્થા પણ તેને ડગમગાવી દે એટલું સંવેદનશીલ એનું માળખું છે. અને જેવી આવી કોઈ નાનકડી આપત્તિ આવી પડે કે તરત જ, એની અંદર સતત જાગૃત રહેતી સેના એ અડચણ પર તૂટી પડે છે; એને તહસનહસ કરી નાંખવા કેસરિયાં કરી, જંગમાં ઝૂકાવી દે છે.

પણ આશ્ચર્યની વાત એ છે કે, એનો નિયંત્રક સમ્પૂર્ણ અંધકારથી ભરેલી કાજળકોટડીમાં નિવાસ કરતો હોવા છતાં, મેધાવી છે; પ્રજ્ઞાચક્ષુ છે. એ સાત સમંદર પાર પહોંચી શકે છે; એને કોઈ અવયવ ન હોવા છતાં, એના હાથ બહુ લાંબા છે!

કયો છે એ અવનવો પ્રદેશ? શું નામ છે એનું? એ ક્યાં આવેલો છે? કયા અક્ષાંશ અને રેખાંશ પર? આપણે એને બહુ જ સારી રીતે જાણીએ છીએ. તમે, હું, તેઓ – આખી દુનિયાનું દરેક જણ તેને બહુ જ સારી રીતે જાણે છે! આપણા દરેકનો એ પ્રદેશ પોતીકો છે. બહુ જ વહાલો છે. આપણી બહુ નજીક છે. સહેજ પણ દૂર નથી. એના માટે જ આપણે બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. અને છતાં એની અંદર સહેજ ડોકિયું પણ કરી શકતા નથી. આ તે શું આશ્ચર્ય? આ તે કેવી વિડંબના? લો! ત્યારે એનું નામ ઠેકાણું આપી જ દઉં. એ છે – આપણું શરીર!

પણ તમે કબૂલ કરશો કે, આપણે આપણા દેહ વિશે કશું જ જાણતા નથી. જે કાંઈ આપણને ખબર છે; એ તો કોઈકે શિખવાડેલું છે. એની અંદરની બધી પ્રવૃત્તિઓ વિશે આપણે પૂર્ણ રીતે અણજાણ હોઈએ છીએ. જે કાંઈ ખબર આપણને પોતાને પડે છે; તે તો સંવેદનાઓથી જ ખબર પડે છે. અને જેને એ ખબર પડે છે; તે મન તો સૌથી વધારે જડબેસલાક, અંધારપેટીમાં કેદ છે. એ ડગલું પણ ચસકી શકતું નથી. (અને છતાં ચસકી જાય ખરું! મોટે ભાગે ચસકેલું જ હોય છે!) અને એ મન જ આપણી બધી આપત્તિઓનું મૂળ છે. એ પોતાને બહુ જ જ્ઞાની માને છે. આખા જગતના કેન્દ્રમાં હોય તેમ, અભિમાનમાં રાચે છે. આખી દુનિયાને ગોળ ફરતી રાખવાના ગુમાનમાં ચકચૂર છે.

અંધાર ઘેર્યા પ્રદેશનો આંધળો રાજા! એનો દેશ અંધાર્યો; એની પ્રવૃત્તિઓ અંધારી; એની હિલચાલ અંધારી; એના મતલબો અંધાર્યા. એનાં કરતૂત અંધાર્યા. જ્ઞાન ને પ્રકાશની બડાઈઓ હાંકવામાં માહેર; પણ સતત અંધકારમાં ભટકતો, મદમાં ચકચૂર, આંધળો અને સૌથી વધારે જોખમકારક, ખોફનાક ખવીસ.

અને આ અવલોકનકારનું માનસ ખળભળી ઊઠ્યું. આ જ આપણી મૂળ જાત, માણસ. એ મરી ગયો છે. ખાલી બાવલાં જ રહી ગયાં.

The Sapien is DEAD!

હજારો વર્ષની યાત્રા અને ‘કહેવાતા વિકાસ’ પછી એ મરી ગયો છે. હવે એનું કશું ખાસ  અસ્તિત્વ નથી જ. એ આ બાવલાંની જેમ નિર્જીવ નથી; પણ ખાસ ફરક પણ નથી જ! એ યંત્રવત હાલે છે, ચાલે છે, કહેવાતું જીવન જીવે છે. પણ એનો મ્હાંયલો મરી પરવાર્યો છે. ઓલ્યા બાવલાંના પહેરણ પહેરી એ પોતાની જાતનું પ્રદશન કરતો રહે છે – નગ્નતાને ઢાંકવાનો અસફળ પ્રયત્ન સતત કરતો રહે છે. પણ માનવતાના પાયાનાં પૂર્જાઓને ઊકાળી, પીગાળી, બીબામાં ઢાળી નાંખેલું એક બાવલું જ એ બની ગયો છે. સાવ લાગણીશૂન્ય, કેવળ સ્વલક્ષી અને માત્ર પોતાની જ દુનિયામાં જીવતો આજનો માણસ.

હર ક્ષણે સતત મરતો રહેતો ‘Sapien’

એને હજુ ઘણી વધારે પ્રગતિ, વિકાસ કરવો છે. મહામાનવ બનવાના એના ઓરતા છે – કદાચ વિજ્ઞાનના સહારે અમર બનવાની અભિલાષા એને છે. પણ એની ભવિષ્યનું રૂપ / દેખાવ કદાચ આવાં  હશે –

એ અમર હશે. એ માંદો પડે તો એને હોસ્પિટલમાં દાખલ નહીં કરવો પડે – મરી જશે તો એની સ્મશાનયાત્રા નહીં નીકળે. એને ફેક્ટરીમાં લઈ જશે. મોટર, બેટરી, કોમ્પ્યુટર જેવાં રમકડાં વાપરી એ ફરીથી જીવતો બની જશે. કદાચ નવો સોફ્ટવેર આપી એનો એકદમ આધુનિક નવો અવતાર હાલતો ચાલતો થઈ જશે!

આપણે સૌ ચહેરા વિનાના?

કેમ રડવું આવી ગયું ?

કારણ કે, હજુ એ સેપિયનના થોડાક કોશ જીવે છે? !

e.mail : surpad2017@gmail.com

Loading

10 April 2024 Vipool Kalyani
← आज की चुनौती : कल का दायित्व 
ભારત-પાકિસ્તાન વિભાજન અને નારીસંવેદના : ‘મૂળ સોતાં ઊખડેલાં’ સંદર્ભે →

Search by

Opinion

  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved