ઝૂંપડપટ્ટીઓમાં હવે કથાઓ થાય તો સારુ,
અજ્ઞાનીઓને હવે થોડું જ્ઞાન થાય તો સારુ.
વેદનાઓને હવે જરા વાચા આવે એ પહેલા,
વેદનાના પાઠ જીવનમાં ઉતારી દેવાય તો સારુ.
ખોટી હોશિયારીથી હાશકારો નથી મળવાનો,
વાસ્તવિકતા સાથે હવે વાર્તાલાપ થાય તો સારુ.
ધોધમાર વરસાદમાં તણાઈ ગયું આખું જીવન,
હવે નવું જીવન અને જોબન પાછું મળે તો સારુ.
મારું તારું તારું મારું જોઈ લે આ પડ્યું ધૂળમાં,
મડદાને જોઈ હવે માણસ માણસ થાય તો સારું
e.mail : ronakjoshi226@gmail.com