Opinion Magazine
Number of visits: 9447582
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પી.વી. નરસિંહ રાવ : ના ઉમ્ર કી સીમા હો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|19 December 2022

પામુલાપતિ વેંકટ નરસિંહ રાવ, ભારતના 9મા પ્રધાન મંત્રી, 17 ભાષાઓ બોલતા હતા; 10 ભારતીય ભાષાઓ – (માતૃભાષા) તેલુગુ, હિન્દી, સંસ્કૃત, મરાઠી, ગુજરાતી, ઉડિયા, બંગાળી, કન્નડ, તમિલ, ઉર્દૂ અને 7 વિદેશી ભાષાઓ – ઇંગ્લિશ, ફ્રેંચ, અરેબિક, સ્પેનિશ, જર્મન, પર્સિયન, અને લેટિન.

પૂણેની ફર્ગ્યુંસન કોલજ અને મુંબઈ યુનિવર્સિટીની કોલેજમાં ભણતરના કારણે તેમણે મરાઠી પર એવો હાથ બેસાડયો હતો કે અખિલ ભારતીય મરાઠી સંમેલનમાં તેમણે મુખ્ય મહેમાનપદેથી પૂરું વક્તવ્ય મરાઠીમાં આપ્યું હતું. મરાઠીમાં હરિ નારાયણ આપ્ટેની ‘પણ લક્ષાત કોણ ઘેતો?’ (પણ પડી જ કોને છે?) નવલકથા મરાઠી સાહિત્યની ક્લાસિક કૃતિ છે. 1890માં લખાયેલી આ નવલકથામાં, યમુના નામની માધ્યમ વર્ગીય હિંદુ સ્ત્રીની વાત છે. તેના બાળ વિવાહ થાય છે અને તે સાસરિયાંના હાથે અત્યાચારનો શિકાર બને છે.

મરતાં પહેલાં યમુના તેની જીવન વાર્તા લખે છે. હિંદુ સમાજમાં સુધારણાની જે ચળવળ શરૂ થઇ હતી, તેમાં આ નવલકથાનું પ્રદાન મોટું ગણાય છે. નરસિંહ રાવે તેનો તેલુગુમાં ‘અબલા જીવીતમ’ નામથી અનુવાદ કર્યો હતો (ગુજરાતીમાં ગોપાલરાવ વિદ્વાને ‘મારી કરમકહાની’ નામથી તેનો અનુવાદ કર્યો હતો). 

એવી જ રીતે, તેલુગુ સાહિત્યમાં ‘વેવી પાડાગલુ’ (હજાર ફેણ) નામની નવલકથા 20મી સદીની મહાન કૃતિ ગણાય છે. વિશ્વનાથ સત્યનારાયણ નામના તેલુગુ સાહિત્યકારે, 1934માં, આંધ્ર યુનિવર્સિટીની એક હરીફાઈ માટે, તેમના નાના ભાઈ વેંકટસ્વરલુને આ નવલકથા અસ્ખલિત લખાવી હતી (હા, તેમણે બોલીને લખાવી હતી). ભાઈએ 29 દિવસમાં તેને કાગળ ઉપર ઉતારી હતી. તેમાં એક ગામડાની ભૂંસાતી જતી સંસ્કૃતિની વાર્તા હતી. 1968માં, રાવે તેનો ‘સાહસ્રા ફેણ’ નામથી હિંદી અનુવાદ કર્યો હતો. પાછળથી પ્રભાવદેવી નામની લેખિકાએ એ જ નામથી હિન્દીમાંથી સંસ્કૃત અનુવાદ કર્યો હતો. 

ભારતમાં કોમ્પ્યુટર ટેકનોલોજીનું આગમન થયું, ત્યારે કોમ્પ્યુટર કોડ કેવી રીતે લખાય તે પણ તે શીખ્યા હતા. 80 વર્ષની ઉંમરે, ડોકટરે તેમને આંગળીઓની કસરત કરવા માટે સ્ટ્રેસ બોલનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું, ત્યારે રાવે કોમ્પ્યુટર કી બોર્ડ પર ડોક્યુમેન્ટ ટાઇપ કરવાની ટેવ પાડી હતી. કોમ્પ્યુટર ત્યારે નવું-નવું આવ્યું હતું. તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધી ટેકનોલોજીના માણસ હતા અને તેમને એમ હતું કે રાવ જેવા જૂનાં નામના માણસ નવી ટેકનોલોજી આડે  રોડાં નાખશે.

“હાફ લાયન : હાવ પીવી નરસિંહ રાવ ટ્રાન્સફોર્મડ ઇન્ડિયા” નામનું જીવનચરિત્ર્ય લખનાર વિજય સીતાપતિ કહે છે કે, “80ના દાયકામાં, રાજીવ ગાંધી જ્યારે તેમને કેન્દ્ર સરકારમાંથી રવાના કરવાની ફિરાકમાં હતા, ત્યારે રાવ શિક્ષક રાખીને કોમ્પ્યુટર ચલાવાનું શીખ્યા હતા. રાવ બેઝિક, કોબોલ અને યુનિક્સ પ્રોગ્રામિંગ પણ શીખ્યા હતા. કદાચ રાજીવને પણ એ નહીં આવડતું હોય.” એવી રીતે એ રાજીવના મંત્રીમંડળમાં અનિવાર્ય સાબિત થયા હતા. 

“ધ બ્રિન્ક એન્ડ બેક” નામના પુસ્તકમાં, જયરામ રમેશ લખે છે કે રાવનું સંસ્કૃત ભાષાનું જ્ઞાન, 1991માં તેમની સામે વિશ્વાસનો પ્રસ્તાવ વખતે સંસદમાં કામ આવ્યું હતું. વડા પ્રધાન તરીકેની તેમનું પહેલું મોટું ભાષણ હતું. તેમને નોંધો લખીને આપવામાં આવી હતી, પણ રાવે કાગળો જોયા વગર બોલવાનું નક્કી કર્યું. એમાં તેમણે તેમની સરકારનાં કામો અને નિર્ણયોનાં ગુણગાન ગાયાં હતાં. 45ના એ ભાષણમાં એ વચ્ચે સંસ્કૃત ભાષામાં બોલવા માંડ્યા હતા.

આમાંથી આપણને એક જ વાત શીખવા મળે છે; શીખવાની કોઈ સીમા નથી અને કોઈ ઉંમર નથી. રાવ જેવા આ વાતની સાબિતી છે. વડા પ્રધાન તરીકેની તેમની કારકિર્દી કેટલી સફળ-નિષ્ફળ હતી એ જુદા વિશ્લેષણનો પ્રશ્ન છે, પણ એક બૌદ્ધિક વ્યક્તિ તરીકે તેમનામાં જ્ઞાનની જે ભૂખ હતી, તે નિ:સંદેહ અનુકરણીય હતી.

મનોવિજ્ઞાનમાં ‘ફાઈવ અવર્સ રુલ’ (પાંચ કલાકનો નિયમ) નામની એક ધારણા છે. રોજ કામકાજના કલાકમાંથી એક કલાક નવી ચીજો શીખવા પાછળ, કશીક પ્રેક્ટીસ કરવા પાછળ ગાળવાનો. અઠવાડિયામાં આવા પાંચ કલાક થયા. અમેરિકાના પ્રેસિડેન્ટ બેન્જામિન ફ્રેન્કલિને આ નિયમ અપનાવ્યો હતો.

તેમના વ્યસ્ત દિવસમાંથી તેઓ રોજ એક કલાક તેમને રુચિ હોય તેવી ચીજો પાછળ આપતાં હતા. લાંબા ગાળે એ તેમનું શ્રેષ્ઠ ઇન્વેસ્ટમેન્ટ સાબિત થયું હતું. ઇતિહાસ આજે ફ્રેન્કલિનને ફિલોસોફર, વિજ્ઞાની, કૂટનીતિજ્ઞ, સંશોધક (તેમણે આકાશમાંથી પડતી વીજળીમાં ઇલેક્ટ્રિસિટીની શોધ કરી હતી), સમુદ્રના પ્રવાહોના અભ્યાસુ અને વસ્તી વિષયક નિષ્ણાત તરીકે યાદ કરે છે.

મેનેજમેન્ટ ગુરુ પીટર ડ્રકર તેના સીમાચિન્હ પુસ્તક ‘લેંડમાર્ક્સ ઓફ ટુમોરો’માં લખે છે કે ૨૧મી સદી જ્ઞાનના કામદારો(નોલેજ વર્કર)ની છે. નવી સદીમાં જે સ્તરની પ્રોડક્ટિવિટી અને ક્રિએટિવિટી થવાની છે, તેમાં જ્ઞાની લોકોની બહુ જરૂર પડવાની છે. હવે એવી ટેકનોલોજી અને ઓટોમેશન આવવાનું છે કે લોકોને તેનું જ્ઞાન મેળવવા માટે વધારાના 100 દિવસોની જરૂર પડશે.

શીખવું એ કળા નથી, કૌશલ્ય છે. કળા જન્મજાત હોય છે, કૌશલ્ય પ્રયાસથી આવે છે. ‘આઉટલાયર્સ’ નામના પુસ્તકમાં, માલ્કમ ગ્લેડવેલ નામના મનોવિજ્ઞાનીની થિયરી છે કે તમે પિયાનો વગાડવા જેવી કે કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવવા જેવી કોઈ પણ જટિલ સ્કિલની ખંત પૂર્વક 10,000 કલાક સુધી પ્રેક્ટિસ કરો, તો તમે એમાં પ્રવીણ થઈ જાવ. પ્રેક્ટિસ આપણને પરફેક્ટ બનાવે છે. તમે કોઈ મશીનને વારંવાર ચલાવો તો તમે એમાં વધુને વધુ સક્ષમ થાવ. તમે ધંધામાં લાંબો સમય વ્યસ્ત રહો તો તમારી ધંધાદારી કૂનેહ ઔર નિખરે. તમે રોજ લખ-લખ કરો તો તમારી શૈલી અને સર્જનાત્મકતાને વધુ ધાર નીકળે.

ન્યૂરોલોજીકલ દૃષ્ટિકોણથી, એકની એક વસ્તુ કરતા રહેવાથી મગજના અમુક સિનેપ્સેસ મજબૂત થાય છે, અને બીજા નબળા રહે છે. એટલે આપણે એ એક બાબતમાં પાવધરા થઈએ છીએ. મગજ અત્યંત ઇલાસ્ટિક હોય છે. પુનરાવર્તનના કારણે ક્રમશઃ તે દરેક નવી ચીજને સફાઇપૂર્વક એડોપ્ટ કરી લે છે. જરૂરી નથી કે તે ચીજ સારી જ હોય. મગજ ખરાબ ચીજની પ્રેક્ટિસમાં પણ એટલું જ એફિસિયન્ટ હોય છે. પ્રેક્ટિસ જ્યારે આદત બની જાય, પછી આપણે જે કરીએ તેમાં ભૂલ થવાની સંભાવના ઘટી જાય. એટલે ખરાબ આદતો પણ સારી આદતો જેટલી જ કામિયાબ હોય છે.

“મને સમય જ મળતો નથી”, એવી ફરિયાદ ઘણા લોકો કરતા હોય છે, પણ અસલી સમસ્યા સમયના અભાવની નથી, ફોકસના ઊણપની છે. જે ચીજ આપણી પ્રાથમિકતામાં હોય, તેના માટે સમય નીકળી જ જાય છે. જેની છત હોય તેનો ઉપયોગ કરવાનું અઘરું પડે. જેની અછત હોય તેનો ઉપયોગ રીતે ઉત્તમ થાય. આ રૂપિયા જેવું છે. પૈસાની તંગી હોય તો તે શ્રેષ્ઠ રીતે વપરાય. રેલમછેલ હોય તો તેને ઉડાવી દેવામાં આવે. સમય વધુ હોય ત્યારે નહીં, સમય ઓછો હોય ત્યારે બહેતર પરિણામ આવે. પરીક્ષામાં ત્રણ જ કલાક હોય છે એટલે જ વિધાર્થી ઉત્તમ દેખાવ કરે છે.

આપણને જ્યારે લક્ષ્યની સ્પષ્ટતા ન હોય અથવા આપણને એક સાથે ઘણી બધી ચીજો કરવી હોય ત્યારે જ આપણે ફોકસ ન કરી શકીએ. ગુજરાતીમાં કહેવત છે કે “હસવું અને લોટ ફાકવો, બન્ને સાથે ન થાય.” એક સમયે કોઈ એક ચીજ પર આપણે જો ફોકસ કરીએ તો ઓછો સમય પણ વધારે લાગે.

સમય હોતો નથી, સમયનું સર્જન કરવું પડે. વડા પ્રધાનો અને પ્રેસિડેન્ટ એવું કરતા હોય છે.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 18 ડિસેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

19 December 2022 Vipool Kalyani
← મન્તવ્યજ્યોત (૨૧) : સાક્ષરજીવન : સાહિત્યિકતા : સમીક્ષકમંડળી 
નજરની મોર →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved