Opinion Magazine
Number of visits: 9449148
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટૂંકમાં (૧૦) : લિટરરી કૅનન અને ગ્રાન્ડ નૅરેટિવ (૨) : 

સુમન શાહ|Opinion - Literature|22 September 2022

(This episode is thought by me in somewhat a seriously new way and hence it is at a rudimentary level.)

મને યાદ આવ્યું કે બાળપણમાં ચિત્રમાં ડુંગરાની પાછળ સૂરજ બતાવવો હોય તો હું એ વર્તુળની ચોપાસ કિરણ બતાવનારી લીટીઓ ફેલાવી દેતો. હું ધારું છું કે એ વયે અન્ય મિત્રો પણ એમ જ કરતા’તા.

એ યાદને કારણે આજકાલ મને એમ લાગ્યા કરે છે કે સૂર્ય પ્રસરણશીલ છે; એનું તેજ દસે દિશામાં પ્રસરેલું છે; જો સૂર્ય એમ ફેલાયેલો ન હોત તો પોતાના તેજથી પ્રગટેલી ગરમીથી ક્યારનો ઑગળીને ઑલવાઈ ગયો હોત.

મારા “અનુ-આધુનિકતાવાદ અને આપણે” (૨૦૦૮) પુસ્તકમાં અનુ-આધુનિકતાને મેં પ્રસરણશીલ કહી છે.

મુદ્દો ગ્રાન્ડ નૅરેટિવના – મહા વૃતાન્તના – નિરસનનો છે, લિટલ નૅરેટિવના – લઘુ વૃતાન્તના – સર્જન અને પ્રાગટ્યનો પણ છે. જે વિચારધારા જામી પડી હોય અને સૈકાઓ કે દસકાઓ લગી ખૂબ ઝિલાયા કરતી હોય, એને વિશે પ્રશ્ન થવો જોઈએ. કેમ કે એ કેન્દ્રસ્થ આચારવિચારે સંલગ્ન વસ્તુઓને હાંસિયામાં ધકેલી દીધી હોય છે.

દેરિદા એમ કહેતા હતા કે એવી સૅન્ટ્રલાઈઝ્ડ અને માર્જિનાલાઇઝ્ડ સિચ્યુએશનનું ડિકન્સ્ટ્રક્શન થવું જોઈએ – વિઘટન. સાદી રીતે એમ કહેવાય કે એકમેવવાદનું – મૉનિઝમનું – વિઘટન થવું જોઈએ. ચિરકાલીન સંઘટ્ટનને તળેઉપર કરી નાખવું જોઈએ. 

સાહિત્યમાં આધુનિકતાવાદ એક મહા વૃતાન્ત હતો, કેટલાકને મતે હજી છે. લ્યૉતાર્ જેવા ફિલસૂફો અને અનુ-આધુનિક સંવેદનાથી વિકસેલા સમાજો મહા વૃતાન્તને આધુનિકતાનું ક્વિટેન્શયલ ફીચર ગણે છે – સારતત્ત્વરૂપ લક્ષણ.

પ્રયોગોના અપવાદે મોટા ભાગનું આધુનિકતાવાદી સાહિત્ય એની હકૂમત હેઠળ વિકસ્યું હતું.

હું ઉદાહરણ આપું કે ‘ચાળીસી દરમ્યાનના “નવ્ય વિવેચકો” સામાન્યપણે એવી જ કૃતિઓની શોધમાં રહેતા હતા, એવી જ કૃતિઓનો મહિમા કરતા હતા, જેમાં એ સારતત્ત્વની સમ્પુષ્ટિ થતી હોય. એઓએ કૃતિની સ્વાયત્તતા સિવાય કશાયનો સ્વીકાર નહીં કરેલો, હમેશાં કૃતિલક્ષી રહેલા, એમને કર્તાના ઐતિહાસિક કે સામાજિક સંદર્ભોની પરવા ન્હૉતી કરી. રચનાની વાત કરનારી એમણે અખત્યાર કરેલી વિવેચનાત્મક પ્રવૃત્તિ પણ ‘ઑન ધ પેજ’ હતી – એટલે કે પેજ પર છપાયેલી કૃતિના જ વિશ્વમાં રહેવું, શબ્દ શબ્દ વચ્ચેના સમ્બન્ધોથી જન્મતા અર્થોની જ શોધમાં રહેવું, ‘ઑફ્ફ ધ પેજ’ જવું જ નહીં, વગેરે. 

સંરચનાવાદે અને અનુ-આધુનિકતાવાદે એ એકમેવવાદને, એ મૉનિઝમને, તોડ્યું.

કોઈ પણ મહા વૃતાન્ત એકહથ્થુવાદ સરજે છે. રાજાશાહીમાં, સામન્તશાહીમાં કે સ્ટાલિનના સામ્યવાદમાં એકહથ્થુવાદ બેશુમાર હતો. કાળક્રમે એ બધી શાસનપ્રણાલિઓ સદાને માટે અસ્ત થઈ ગઈ.

લોકશાહીય પ્રણાલિમાં એકહથ્થુવાદને પ્રવેશ નથી, કેમ કે લોકશાહીનું મૂળભૂત રસાયન વૈયક્તિક મત છે અને મત પ્રસરણ કે બદલાવ બાબતે હમેશાં નિર્ણાયક હોય છે. લોકશાસકો, પાર્ટી અને મેઇન લીડર્સ એકહથ્થુ બની જતા હોય છે પણ એનું હલ મત છે. પાર્ટીસિપન્ટ મતભિનન્તાને મુદ્દે પાર્ટી છોડી દઈ શકે છે, પ્રજામત શાસન બદલી શકે છે. એ જુદી છતાં ગમ્ભીર વાત છે કે મત કુશાગ્ર એવી વિવેકબુદ્ધિ માગે છે; એ ન હોય તો લોકશાહી પણ નિષ્ફળ થવા માંડે છે.

કોઈ પણ જ્ઞાનધારા સ્વકેન્દ્રિત થઈ જાય છે, સ્વમહિમામાં જ વિકસે છે, ત્યારે પોતાના જ ભારથી બેસી પડે છે. સમજાય એવું છે કે પગ અને બાહુ ફેલાવીને ઊભેલો માણસ પોતાના ભારને ખમી શકે છે, ભેગા હાથ-પગવાળો થાકી જાય છે.

મેં એક મિત્રને પણ આ પ્રસરણની વાત કરી. મેં કહ્યું : પૃથ્વી પરના દરેક મનુષ્યની આસપાસ બે પરિસ્થિતિઓ હોય છે – સુખદ – દુ:ખદ. દિવસ દરમ્યાન એના જીવનમાં બન્નેની આવનજાવન ચાલુ હોય છે. પણ માણસ જો એકલી સુખદ વાતોને જ વળગ્યો રહે તો ત્યાં જ અટકી પડે, વળી એને દેખાય નહીં કે ગોકળગાયની ગતિએ પાછળ દુ:ખ પણ આવી રહ્યું છે. દુ:ખો દરેકને હોય જ. જો એ દુ:ખોનું જ ગાણું ગાયા કરે, દુ:ખદાયક ઘટનાઓને તેમ જ એ ઘટનાના કર્તાઓને જ યાદ કર્યા કરે, તો એનો દિવસ તો ખરાબ જાય જ પણ રાતે એને ઊંઘ પણ સરખી ન આવે. મન હૃદય અને આત્માથી એ દુ:ખો સાથે જ ચૉંટેલો રહે. એને એ સંભવની ખબર ન પડે કે નવી સવાર તે દિવસનાં સુખો લઈને આવવાની હોય !

સાર એ છે કે સુખદ, દુ:ખદ, એ બન્ને પરિસ્થતિઓમાં માણસની મુક્ત હરફર ચાલુ રહેવી જોઈએ. એના ચિત્તે કોઈ એકમાં નહીં પડી રહેવાનું.

આખો વિચારવિમર્શ સ્થૈર્ય અને પ્રસરણના નિદર્શન પર – મૉડેલ પર – ઊભો છે. એની સહાયથી વાતને વિકસાવીને વિઘટનના અને લઘુ વૃતાન્ત-સર્જનના મુદ્દાનું નિરૂપણ કરવું બાકી છે, હવે પછી.

(September 21, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

22 September 2022 Vipool Kalyani
← મિખાઈલ ગોર્બાચેવનું ગ્લાસનોસ્ત અને પેરિસ્ત્રોઈકા
પ્લાસ્ટિક પ્રતિબંધ, પર્યાવરણ સંરક્ષણ અને રોજગાર →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved