Opinion Magazine
Number of visits: 9448196
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સપ્ટેમ્બર 2014 : ‘9/11’ લટકા કરે છે ‘9/11’ની સામે !!!

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|13 September 2014

આદિત્યનાથની ‘યોગસાધના’ બેરોકટોક જારી … અને દેશ રામભરોસે !

અમેરિકીવિશ્વસત્તાના રાષ્ટ્રીય ગૌરવ સમાં ટ્વિન ટાવર્સ ધ્વસ્ત થયાને તેર વરસ વીતી ગયા ! ચાલુ મહિને અમેરિકાની સત્તાવાર મુલાકાતે જઈ રહેલા વડાપ્રધાને જાણે મુલાકાત આગમ્ય સમો બાંધતા હોય તેમ 9/11ની આતંકવાદી ઘટનાને સંભારવા સાથે આ જ દિવસનો બીજો એક ઇતિહાસસંકેત ઠીક સંભારી આપ્યો છે. એમણે શિકાગોની સર્વધર્મ સંસદમાં વિવેકાનંદે જે પહેલું ભાષણ આપ્યું હતું તેનીયે તારીખ 9/11 હતી એમ કહ્યું છે. વાત પણ સાચી કે આ બે નાઇન ઈલેવન, એક ઓસામા બિન લાદેનનું તો બીજું વિવેકાનંદનું, સામસામે મૂકીને જોવાં જેવાં છે. એક નાઇન ઈલેવન ધર્મને રાજકીય વિચારધારામાં ફેરવી નાખીને આતંકી વિનાશલીલા ખેલવાનો સંકેત લઈને આવે છે તો બીજું નાઇન ઈલેવન સર્વધર્મ સમાદરની ભૂિમકાએ સહઅસ્તિત્વ અને સહવિકાસનો સંદેશ લઈને આવે છે.

9/11 અગર તો નાઇન ઈલેવનનની આ પીઠિકા અને પિછવાઈ પર આજે વિશ્વનેતા, નોબેલ શાંતિજેતા ઓબામા કયાં ઊભા છે ? બુશની ઇરાક સંડોવણીની ટીકાથી લોકમાનસમાં કયારેક ઊંચકાયેલા ઓબામા આજે ઇસ્લામી સ્ટેટ અને ખિલાફતની એવી જ ચળવળ સબબ એક નવી હિંસ્ર સંડોવણીમાં માલૂમ પડે છે. અહીં સવાલ ઇસ્લાિમક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયાની ભેર તાણવાનો નથી. માત્ર, એ એક વિસંગતિ દર્શાવવાનો છે જે ઓબામાની જે ચાહના અને સ્વીકૃતિ કયારેક બની હતી એ કદાચ જુદો વળ લઈ રહી છે. બને કે એમને સારુ એ દુિર્નવાર હોય. પણ સામો એક સાદો છતાં પાયાનો મુદ્દો પણ ઊભો જ રહે છે કે ઘરઆંગણે પાકિસ્તાન સાથે એક તબક્કે અમેિરકી જોડાણના જે વિશ્વવ્યૂહનો આપણો અનુભવ છે તે જ ધોરણે આટલે વરસે પણ અમેરિકા ઇસ્લામિક સ્ટેટ્સ સામેના કથિત જંગમાં બીજા ધરાર અિધકારવાદી મુિસ્લમ દેશોનું ગઠબંધન કરવા ઇચ્છે છે !

રાજનૈતિકવ્યૂહના આટાપાટામાં નહીં જતાં અહીં એટલું જ કહેવું બસ થશે કે આ દિશાવિપરીતપરિણામી પુરવાર થવાના સંજોગો ખાસા બધા છે. એટલું જ નહીં, જે વ્યાપક ભૂિમકાવશ ઓબામાની વિશ્વસ્વીકૃતિ બની હતી તેના મેળમાં નથી. વિશ્વ જરૂરત અને રાષ્ટ્રીય સ્વાર્થ વચ્ચેની આ કશ્મકશ વિશે કયારેક વધુ વાત કરીશું. બીજી ખાસ જે નાઇન ઈલેવનની યાદ વડાપ્રધાને ભારત છેડેથી આપી છે એના ઉજાસમાં તપાસતાં આપણે કયાં ઊભા છીએ ?વિવેકાનંદી નાઇન ઈલેવન પરમંહસદેવની સર્વધર્મસાદના પર ઊભું હતું, અને તેની ગતિ ગાંધીની સર્વધર્મપ્રાર્થનાથી માંડીને ખાસ તો દરિદ્રનારાયણ ભણી એટલે કે સંપ્રદાયવાદ અને રાષ્ટ્રવાદથી ઉફરી અદૈત ભૂિમકાપૂર્વક મૂર્ત માનવ્ય તરફની હતી. જોવાનું એ છે કે છેલ્લાં પચ્ચીસ ત્રીસ વરસ પછી પહેલી જ વાર સ્પષ્ટ બહુમતીને ધોરણે નવો ઇિતહાસ રચવા જઈ રહેલ નેતા અને પક્ષ જે રાજકારણ ખેલીને આટલે લગી પહોંચ્યા છે એ બહુધા તો વિવેકાનંદની ભૂિમકા સાથે છત્રીસના સંબંધની દાસ્તાં છે.

અિમત શાહ પરની ચાર્જશીટ ટેકનિકલ કારણોસર પાછી પડી, પણ પાયાનાં કારણો જેમનાં તેમ છે અને પક્ષપ્રમુખની તરજ પર, વડાપ્રધાનની મૌન સંગત સાથે ઉત્તર પ્રદેશને આદિત્યનાથ ઘમરોળી રહ્યા છે. (આદિત્યનાથની આગળ ઓળખની રીતે ‘યોગી’ એ સંજ્ઞા પ્રયોજવી જોઈએ પણ તે વિશેષ નામ છે, નહીં કે વિશેષણ એ પણ સતત સ્પષ્ટ કરવું રહે છે.) આજે દુદૈવ વાસ્તવ એ છે કે વિકાસની આકાશી ખેતી અને કોમી ધ્રુવીકરણની જમીની ફસલ વચ્ચે એક અપવિત્ર જોડાણ સરજાયું છે. જો નાઇન ઈલેવનની જ તરજ તરાહ અને તાસીર પર વિવેકાનંદી વિમર્શ આગળ વધારવો હોય તો વસ્તુત : દરિદ્રનારાયણ કેન્દ્રી અને નાગરિક પહેલવર્તી જે એક અન્યાય પ્રતિકાર રીત (સત્યાગ્રહ) ગાંધી હસ્તક આગે બઢી એનુંયે સ્મરણ કરવું લાજમી છે. જ્હોનિસબર્ગમાં એ 1906ના 9/11નો જ િદવસ હતો જયારે ગાંધીએ સત્યાગ્રહના વિચારનો બિજનિક્ષેપ કીધો. લાદેનના નાઇન ઈલેવનના એકસો પાંચ વરસ પહેલાં ગાંધીએ આ પહેલ કરી હતી. બાય ધ વે, ગુજરાત ગૌરવ સ્કૂલે જો ન વાંચીવાગોળી હોય તો પ્રો. ભીખુ પારેખે લાદેન-ગાંધી સંવાદરૂપે કરેલી રજૂઆત જરૂર જરૂર જોઈ જવા જેવી છે.

ગમે તેમ પણ અન્યાય પ્રતિકારની ગાંધીરીતિ એકંદર લોકશાહીવિચારમાં ધારાસભા કારોબારી ન્યાયતંત્ર એ સંસ્થાકીય ગંઠાયા વચ્ચે પ્રજાસૂય પહેલનું એક નવું જ પરિણામ લઈને આવે છે. એમ તો ગાંધીનું એક બીજું નાઇન ઈલેવન, જે અમદાવાદની ધરતી પર જ રચાયું હતું, તે પણ ઊહાપોહ અને સ્વીકૃતિની રાહ જુએ છે. 1915માં આશ્રમમાં હરિજન પરિવારના નિવાસપ્રવેશ પરત્વે સ્વજનોની આનાકાની લક્ષમાં આવતાં ગાંધીએ ખાવાનું છોડયું તે દિવસ પણ 9/11નો હતો એ વિશે હમણાં જ ડો. અિશ્વનકુમારે લખ્યું પણ છે. આ ચોથું નાઇન ઈલેવન હિંદુ સમાજના હાડમાં રહેલા કેન્સર સામે લડવાનો સંદેશ લઈને આવે છે અને તે સાથે એ એક એવા મુદ્દો પણ ઉપસ્થિત કરે છે કે મુિસ્લમદ્વેષને ધોરણે ગોળબંધ થઈ શકતો હિંદુ સમાજ અંદરથી કેટલો કોરાયેલો છે.

ગોળબંદ થવાનો રાજપથ અને જનપથ સમૂહદ્વેષનો નહીં પણ સાથી નાગરિકતાનાવિકાસનો છે. આ વાનું ન પકડાયું તો આદિત્યનાથની યોગસાધના જારી … અને દેશ રામભરોસે !

પ્રકાશ ન શાહ. લેખક વરિષ્ઠ પત્રકાર, છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, Sep 13, 2014

Loading

13 September 2014 admin
← જય જગનાથ !
પ્રકાશ ન. શાહ : પંચોતેરમે / નમતા પહોરે જ્ઞાનપ્રકાશ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved