Opinion Magazine
Number of visits: 9446514
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તમે ગમે તે કહો, પણ ગુજરાતમાં સરકાર તો આ જ આવશે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 May 2022

હા, સરકાર આ જ આવશે. આઈ મીન, સરકાર રિપીટ થશે. બીજા કોઈનો ગજ નહીં વાગે. જો તમે કાઁગ્રેસી હો કે આપ પાર્ટીના હો કે ગમે તે પાર્ટીના, તમને ગમે તેટલું એમ થતું હોય કે તમારી જ પાર્ટીની સરકાર બનશે અથવા તો મજબૂત વિપક્ષ તરીકે તો બેસવાનું થશે જ, પણ ભલા ભાઈ, જીતવું જુદી વાત છે ને જીતવાના ઘોડા દોડાવવા એ જુદી વાત છે. કાઁગ્રેસને એમ જ છે કે પક્ષમાં છેલ્લે સોનિયા કે રાહુલ ગાંધી જ કેમ ન રહી જાય, પણ કાઁગ્રેસને વાંધો નહીં આવે, તો તેમ માનો, માનવાના ક્યાં પૈસા પડે છે? ઓવૈસી કે કેજરીવાલને પણ તેમનો પક્ષ જીતે તેવી ઈચ્છા હોય, પણ પનો ટૂંકો પડે છે ને જીતવા માટેના જે નક્કર પ્રયત્નો થવા જોઈએ તેમાં જીવ નથી. આમ તો કચરો ઘણો છે, પણ ઝાડુથી થાય તો પણ કેટલુંક સાફ થાય ને પછી ઝાડુને કોણ સાફ કરે એ જ પ્રશ્ન છે ! જ્યાં તલવાર જોઈએ ત્યાં ટાંકણીથી કેટલુંક થાય ! ઠીક છે, કરી જુઓ, બાકી, સરકાર વગર તકરારે આ જ આવશે. એનું કારણ છે. આ સરકારની કાર્યપદ્ધતિ જુઓ, તેમના મોવડીઓના પ્રયત્નો જુઓ અને કાર્યકરોની ભક્તિ જુઓ તો આંખ બંધ કરીને કહી શકાય કે સરકાર તો આ જ આવશે. સરકારે તો ચૂંટણીનું ફંડ પણ ઊભું કરવા માંડ્યું છે. આ ફંડ આપનારાઓ કોણ હોય તે કહેવાની જરૂર છે? એમ ભોળાં ન બનો. તમને ખબર છે જ કે સરકારને કોણ કોણ પાળે પોષે છે ! આ તો પરસ્પર છે. તમે મને પાળો હું તમને પાડીશ, સોરી, પાળીશ ! આ ફાઇવ જી ને સિક્સ જીના લવારા કરો છો ને એટલી ખબર નથી પડતી કે કોથળી કોણ ઢીલી કરે છે? જરા ભૂતપૂર્વ મોઢેરા સ્ટેડિયમ ને અમદાવાદી એરપોર્ટ પર ફરી આવો ના સમજ પડતી હોય તો ! આ બધાં તીરથ કરવાં જેવાં છે.

હાલની સરકારને પણ એમ જ છે કે એ જ રિપીટ થવાની છે. આ ઓવરકોન્ફિડન્સ નથી, લોઅર કોન્ફિડન્સ છે. આ ઘેટાંબકરાં, આ ભક્તજનો બીજે ક્યાં જવાના હતાં? ફટકારો તો ય ચાટે એવી પ્રજા આ નહીં તો બીજી કઇ સરકાર લાવવાની હતી ? એ તો આ જ લોકો જીતાડશે. જીતાડશે એટલું જ નહીં, ભારે બહુમતથી ને મોટા આંકડાથી જીતાડશે. તમને થશે કે આટલા વિશ્વાસથી કેવી રીતે કહેવાય કે આ જ સરકાર રિપીટ થશે? તો એનાં કારણો છે. સરકારને ભક્તોમાં આંધળો વિશ્વાસ છે ને ભક્તો તો આંખ મીંચીને જ થાળી વાડકા વગાડે છે. કેમ ભૂલી ગયા, કોરોનાને બતાવી આપવા થાળીઓ નો’તી ઠોકી? સરકારને લોકોની તો ચિંતા જ નથી. આ જ નમૂનાઓ વિજયી બનાવવાના છે તે સરકાર બરાબર જાણે છે. સરકાર લોકોને હડસેલશે તો ય બધાં વેલ ઇન ટાઈમ ટેક્સ ભરવાના જ છે તેની સરકારને ખાતરી છે.  દુનિયામાં પેટ્રોલ સસ્તું હતું ત્યારે આ જ લોકોએ મોંઘું પેટ્રોલ ટાંકીમાં ઠાંસ્યું જ હતું તે સરકાર ભૂલી નથી. આવા લલ્લુઓ બીજે ક્યાં મળવાના હતા? પેટ્રોલના ભાવ આસમાને પહોંચે તો પણ લોકો ખમી ખાય એવા છે એટલે બધું મોંઘું થાય તો પણ મત આપવા આ જ અળસિયાં આવવાના છે તે સરકાર જાણે છે ને કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ સસ્તું કર્યું જ ને ! બીજું શું જોઈએ? જો કે કેન્દ્રે રાજ્યને વેટમાં ઘટાડો કરવાનું કહ્યું, પણ ગુજરાતે વેટમાં ઘટાડો કરવાનો સાફ ઇનકાર કર્યો. તેને ખાતરી છે કે વેટમાં ઘટાડો કરે કે ન કરે, આ પ્રજા વેઠી લે તેમ છે. જો કે સરકારે કહ્યું ખરું કે બીજા 12 રાજ્યો કરતાં ગુજરાતમાં પેટ્રોલના ભાવ ઓછા છે. બીજા રાજ્યો જેટલા ભાવ વધે તેટલી રાહ પ્રજા જોઈ શકે એમ છે. ભાવ ન વધારવાનું બીજું કારણ પણ પ્રજા વત્સલ સરકારે એમ આપ્યું કે સરકારથી તિજોરી પર આર્થિક નુકસાન વેઠી શકાય એમ નથી. એમ કરતાં લોકોની તિજોરી ખાલી થાય તેનો વાંધો નથી, કારણ પ્રજા હોય છે જ ખંખેરાવા માટે. તેની તિજોરી તો ખાલી થવા માટે જ હોયને ! ના, ના, લોકો ખાલી થાય તે સારું કે સરકાર ખાલી થાય તે? પ્રજા પણ સમજે છે કે શ્રીલંકાવાળી કૈં અહીં થવા દેવાય નહીં. શ્રીલંકામાં પેટ્રોલ 420 પર પહોંચે તેવું તો નથીને અહીં ! કમ સે કમ અહીં તો 420 નથીને ! સરકાર ભલે વેઠ ના ઘટાડે, સોરી, વેટ ના ઘટાડે, તે 420ની હદે તો નથી પહોંચીને ! સરકાર એટલી સારી તો ખરી કે નહીં?ને ધારો કે 420 થાય તો પણ સરકાર તો આ જ રિપીટ થશે. જરા શ્રીલંકા અને પાકિસ્તાનની હાલત તો જુઓ. ગુજરાતે નાદારી નથી નોંધાવી તે જુઓ. એટલે કુછ ભી હો જાય, આવશે તો આ જ !

સરકાર હવે એટલી તટસ્થ થઈ છે કે તે તિજોરીને પણ અડવા રાજી નથી. અડવું એટલે વેટ ઘટાડવો ! એ ઝંઝટ જ શું કામ જોઈએ? સરકારી તિજોરીની વિશેષતા એ છે કે તે ખાલી થવા માટે નથી જ ! એ સાથે જ તે ભરાય તેની ચિંતા પણ સરકાર કરે છે. એટલી પણ ચિંતા ન કરે તો તિજોરી રાખવાનો મતલબ જ શો છે? તિજોરી ખાલી ન થાય એટલે બધી જ વસ્તુઓ મોંઘી થઈ છે. એમાં સરકારનો વાંક નથી. જે વેપારીઓ મદદ કરે તે કૈં ધર્માદા તો ન કરેને ! ને સરકાર એટલી સ્વમાની છે કે કોઈનો બોજ માથે નથી રાખતી. વેપારીઓને અને ઉદ્યોગપતિઓને પણ એ કમાવાની તક આપે છે. એ કમાય ક્યારે? જો ટામેટાં 100 રૂપિયે વેચે તો ! એટલે જ પાંચ મહિનામાં 30 રૂપિયે મળતાં ટામેટાં 100 રૂપિયે પહોંચ્યા છે. 400 રૂપિયે લીંબુ નિચોવ્યા તે શું એમ જ ! એ જ લીંબુ 100 પર લાવીને મૂક્યાં કે નહીં ! એમ ત્યારે. સરકાર 100 વધારીને 10 ઘટાડે તો તે શું ઘટાડો નથી? યાદ રાખો કે સરકાર ભાવ ઘટાડે પણ છે ને લીંબુ ઘટયા તો ટામેટાં ના વધે? જો કૈં વધારવાનું જ ન હોય તો સરકારે કરવાનું શું? મફતમાં મત મેળવીને ચૂંટાયા કરવાનું? એ તો બરાબર નથીને !

– ને ટામેટાં કેમ મોંઘાં કર્યાં તે જાણો છો? જરા સમજો કે ચૂંટણી આવી રહી છે, તો રેલી, રેલા ય નીકળશે. સભાઓ થશે. મત મંગાશે. એમાં કોઈ વિઘ્ન સંતોષી ટામેટાં મારે તો સરકારનો ફજેતો જ થાય કે બીજું કૈં? કોઈ ટામેટાં ન ફેંકે એટલે તે મોંઘાં કર્યાં છે. સમજાયું? હવે જો કોઈ કાંદા ફેંકવાના હોય તો કહી દેજો. એ ય મોંઘા કરતાં સરકારને વાર નહીં લાગે. તમે કાંદા ફેંકો ને તેનો બગાડ ન થાય એટલે સરકાર ભાવ વધારે તો તમે પાછા બૂમાબૂમ પણ કરો કે મોંઘવારીએ માઝા મૂકી ! નૉનસેન્સ ! બધી ચીજ વસ્તુઓના ભાવમાં 37થી 118 ટકાનો વધારો થયો છે તે એ જ કારણે કે તમે ચીજવસ્તુઓનો બગાડ ન કરો.

પેટ્રોલને વિકલ્પે સી.એન.જી. કાર, રિક્ષા આવી. તેનો ભાવ 2013માં 35.02 હતો, તે આજે 85 રૂપિયા છે. વનસ્પતિ તેલમાં 118 ટકાનો વધારો થયો છે, સીંગતેલના ડબ્બાના 3,050 થઈ ગયા છે. કપાસિયાં સસ્તાં  થાય તો પણ તેનું તેલ મોંઘું વેચાય છે. સિમેન્ટની થેલીમાં 55 રૂપિયા વધ્યા છે. કેરી ઓછી છે ને મોંઘી છે ત્યારે ગાંધીનગરમાં મેંગો મહોત્સવ ઉજવાય છે. આ એટલે થાય છે કે ચૂંટણી પહેલાં મોંઘવારીનો ઉત્સવ થાય ! તમે ફાલતુ દિવસો ઊજવો તો ‘મોંઘવારી ડે’ નહીં ઊજવવાનો? 2014માં ગેસ સિલિન્ડર 414 રૂપિયાનો હતો તે હવે 1,000 ને વટાવી ગયો છે, તે ઊજવણીના ભાગ રૂપે જ ! મોંઘવારી ઊજવી શકાય એટલે સરકાર કાળજી રાખી રહી છે કે કોઈ વસ્તુ મોંઘી થવામાં રહી તો નથી જતીને !

આમ છાપાંવાળાં લોકોની દયા ખાય છે કે મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઇ ગયું છે, પણ એ સાચું નથી. કોઈનું બજેટ ખોરવાતું નથી. હકીકત એ છે કે મોંઘવારી કોઈને લાગતી જ નથી. એમને બધું કોઠે પડી ગયું છે. લોકો તો રોજ સવારે રાહ જુએ છે કે સરકાર આજે શું મોંઘું કરશે? કોઈ દિવસ ખાલી જાય છે તો લોકોને ખાલી ચડી જાય છે. ઘણાંને તો એમ પણ થાય છે કે સીંગતેલના ડબ્બાના 3,050 જ થયા? આટલો મોટો ડબ્બો તે ખાલી 3,050માં જ ! વધારે નહીં તો ડબ્બાના લાખેક તો હોવા જોઈએને ! આટલી લુચ્ચાઈ કરીએ, આટલી લાંચ લઇએ, આટલા કાળા બજાર કરીએ અને ડબ્બાના ખાલી 3,050 જ? બહુત ના ઈન્સાફી હૈ ! સરકાર પણ આ જાણે છે. એ જાણે છે કે કેટલાંને વધેરીને 3,050નો ડબ્બો ઊંચકી જવાય છે. એ પણ જાણે છે કે હરામનું ભેગું કરવાની તક જોઈએ છે લોકોને, એટલે એ એવી તક આપનારને જ ચૂંટે કે બીજાને? સરકાર હજી ભાવ આસમાને લઈ જાય તો પણ ભક્તજનો તો એને જ ચૂંટશે. સરકાર ચૂંથે તો ય લોકો એને જ ચૂંટે એમ બને. કારણ કૈં બદલવા માટે સામે કૈં હોવું પણ જોઈએને ! બીજો વિકલ્પ જ નથી એટલે સરકાર આખે આખા વેતરી નાખે તો પણ લોકો ચૂંટશે તો એને જ ! સરકાર લૂંટશે ને લોકો ચૂંટશે. ટ્રેજેડી એ છે કે સરકાર નબળી પ્રજાને બદલી શકે એમ નથી અને લોકોની લાચારી એ છે કે એ એકાદ બે કમળથી વધુ તે બદલી શકે એમ નથી ને જરૂર છે તે આખા તળાવનું પાણી બદલવાની, પણ સવાલ એ છે કે બિલાડીને ગળે ઘંટ બાંધે કોણ?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 મે 2022

Loading

30 May 2022 admin
← કાઁગ્રેસમાં સવાલ ઉઠાવનારા અને પક્ષ છોડનારા મોવડીઓની રાજનૈતિક મજલનો આગલો પડાવ શું?
ડૉ. આંબેડકર વિશેની બે અગત્યની ચરિત્રાત્મક ગુજરાતી પુસ્તિકાઓ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved