Opinion Magazine
Number of visits: 9446707
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પત્ની પતિ સામે દુષ્કર્મની ફરિયાદ કરી શકે કે કેમ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 May 2022

સ્ત્રી સશક્તિકરણ :

12 મે, 2022ના સમાચારમાં એવું છે કે દિલ્હી હાઇકોર્ટની બે જજની બેન્ચે એક જ મુદ્દા પર જુદા જુદા ચુકાદા આપ્યા. આમ તો બે જજ મોટે ભાગે કોઈ ચુકાદા અંગે સંમત થતા હોય છે, પણ બંને જજને એક મુદ્દે લાગ્યું કે આ મામલે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપવો જોઈએ. મતલબ કે હાઇકોર્ટ એક મુદ્દે સંમત ન થઈ ને એમ બે મત પડ્યા. વાત જ એવી હતી કે અસંમત થવાની તકો વધે. મુદ્દો એ હતો કે પત્નીની સંમતિ વિના પતિ શારીરિક સંબંધ બાંધે તો તે ગુનો ગણાય કે નહીં? આ મામલે જાહેર હિતની અરજી થઈ હતી, જેનો ચુકાદો આપવામાં બે જજો વચ્ચે સંમતિ બની ન હતી. એક જજનું માનવું હતું કે પત્નીની સંમતિ વિના પતિ સંબંધ બાંધે તો પતિને કાયદો રક્ષણ આપે છે. કલમ 375 અને 376(ઈ)માં અપવાદ-2 હેઠળ પતિને એ છૂટ અપાયેલી છે. એમાં બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન નથી એવું એક જજનું માનવું હતું. બીજા જજનું માનવું હતું કે પત્નીની સંમતિ વિના પતિ પરાણે સંબંધ બાંધે તો એ ગુનો છે ને પત્ની, પતિ સામે દુષ્કર્મની ફરિયાદ કરી શકે. બીજા જજ સાહેબે તો લિવ ઇન પાર્ટનર કે ગર્લફ્રેન્ડ પણ શારીરિક સંબંધનો ઇનકાર કરે ને તેને સંબંધ માટે મજબૂર કરાય તો તે પણ ગુનો છે એવું પણ ઉમેર્યું હતું. બંને જજે જુદા જુદા નિર્ણયો આપ્યા, પણ બંને એ વાતે સંમત હતા કે આ કેસમાં સુપ્રીમમાં અપીલ થવી જોઈએ, કારણ, આ મુદ્દો મહત્ત્વના કાયદા સાથે સંકળાયેલો છે. આ મામલે બીજી હાઇકોર્ટે પણ ચુકાદાઓ આપ્યા છે અને તે સુપ્રીમ કોર્ટમાં નિર્ણયની રાહ જોતાં પડેલા છે. આમ તો ઘણી સંસ્થાઓએ દુષ્કર્મ કાયદા હેઠળ પતિને અપાયેલી છૂટ દૂર કરવાનો અનુરોધ કર્યો છે, પણ આ બાબત એવી છે કે એમાં સર્વસંમતિ સાધવાનું મુશ્કેલ છે.

કાયદો તો મોડો વહેલો કોઈ ચુકાદો આપશે, પણ આપણે આ મામલે સામાજિક તેમ જ માનવીય દૃષ્ટિકોણ રાખીને વિચારવા જેવું છે. કોઈ કાયદા ન હતા, ત્યારે પણ સ્ત્રીપુરુષ તો હતાં જ ! ને એમની વચ્ચે શારીરિક સંબંધો પણ હતા. એ જૈવિક, કુદરતી જરૂરિયાત હતી. એ વખતે પણ સંમતિ, અસંમતિની વાતો ચર્ચાઇ જ હશે. જેને આજે સ્વૈચ્છાચાર કહીએ છીએ તે જ કદાચ ત્યારે સહજ બાબત હતી. સ્ત્રીપુરુષ સંબંધો પર કદાચ નિયંત્રણો પણ ઓછાં હતાં. એ પછી સમાજ અસ્તિત્વમાં આવ્યો, લગ્ન સંસ્થા અસ્તિત્વમાં આવી ને સ્ત્રીપુરુષ સંબંધોને માન્યતા આપવાની વાત આવી. બીજા શબ્દોમાં કહીએ તો એવું ઠરાવાયું કે જેનાં લગ્ન થયાં છે, એ સ્ત્રીપુરુષ વચ્ચેના શારીરિક સંબંધને જ સમાજ માન્ય ગણવા અથવા તો જેમણે સંબંધમાં મુકાવું છે તે સ્ત્રીપુરુષે લગ્નનાં બંધનમાં બંધાવું અનિવાર્ય છે. એ સિવાય કોઈ સંબંધમાં મુકાય છે તો તેને સમાજ માન્યતા નહીં આપે. એ સંબંધ અવૈધ ગણાશે. એને લગતા કાયદાઓ અમલમાં આવ્યા ને એમ એક વ્યવસ્થા ઊભી થઈ.

એક સમય હતો જ્યારે સ્ત્રી પરાવલંબી હતી. તે પિતા કે પતિનો બોજ હતી, જવાબદારી હતી. લગ્ન નિમિત્તે તે એક સંપત્તિની જેમ વ્યવહારમાં મુકાતી. તેના પર અધિકાર થઈ શકતો અને તે ગુલામ કે દાસીનું જીવન જીવતી હતી. તેની ઈચ્છા કે અનિચ્છાની તો કોઈ વાત જ ન હતી. તેણે કાયમી ધોરણે આજ્ઞાંકિત જ રહેવાનું હતું. પિયરમાં હોય તો પિતાની આજ્ઞા ને સાસરે જાય તો પતિની આજ્ઞા સર્વોપરિ ગણાતી. પરમેશ્વર પછી પતિ હતો એવું ન હતું, પતિ જ પરમેશ્વર હતો. તે ઈચ્છે ત્યારે ને ઈચ્છે તેમ પત્ની સાથે વ્યવહાર કરી શકતો. પત્ની સાથે સંબંધ બાંધવો હોય તો પત્ની રાજી છે કે કેમ તે પુછાતું ન હતું. તે તો રાજી જ હોય એમ મનાતું હતું અથવા તો તેણે રાજી જ રહેવાનું હતું એ એકદમ સ્પષ્ટ હતું. સ્ત્રીની મરજી દરેક કાળમાં ગૌણ હતી ને છે.

એટલું ખરું કે શિક્ષણ અને સમજ વધતાં સ્ત્રીનો મહિમા વધ્યો છે. તેની ઈચ્છા, અનિચ્છા જોવાતી થઈ છે. લગ્ન માટે પણ તે પોતાની પસંદગી જણાવતી થઈ છે. લગ્ન સાથે કે લગ્ન વગર પણ તે રહેતી થઈ છે, પણ બંને પ્રકારમાં શરીર સંબંધ માટે તેની ઈચ્છા ભાગ્યે જ પુછાતી હોય છે. તેમાં એક માન્યતા એવી છે કે તેની ના એટલે હા છે ને હા તો હા છે જ ! એનો લાભ પુરુષો લેતા હોય છે. એટલે કે સ્ત્રીની ના તો હોઈ શકે જ નહીં, એવી માન્યતાથી આખું જગત પીડાય છે. પણ, હવે વાત થોડી બદલાઈ છે. સ્ત્રી સ્પષ્ટ અને તીવ્ર નકાર ભણતી થઈ છે. એ નકાર છતાં દુષ્કર્મનો ભોગ સ્ત્રી બનતી આવી છે ને જીવ ગુમાવવા સુધી પણ ગઈ છે. લગ્ન સિવાયના સંબંધમાં બે શક્યતાઓ છે. એકમાં સ્ત્રીપુરુષ વચ્ચે પ્રેમ હોય અને પરણે ને સંબંધમાં મુકાય કે લગ્ન સિવાય સંબંધમાં મુકાય. આ બંને પરિસ્થિતિમાં બંને રાજી હોય એવી ઘણી બધી શક્યતાઓ છે. મતલબ કે બંને સંમતિથી જોડાય છે. બીજામાં, પરિચય હોય કે ન હોય, પણ સ્ત્રીની સંમતિ નથી અને તેને કોઈ પણ રીતે પુરુષ મેળવવા મથે છે ને તેને અનેક પ્રકારે હાનિ પણ પહોંચાડે છે. આ અપરાધ છે ને તે ક્ષમ્ય નથી.

રહી વાત લગ્નની. તો એમાં પ્રેમીઓ લગ્ન સુધી પહોંચે છે ને પરસ્પરની સંમતિથી સંબંધમાં મુકાય છે. એમાં પણ સમય જતાં એવી સ્થિતિ આવે છે કે એકની ઈચ્છા ન હોય ને બીજાની હોય. છતાં સંબંધ થાય ને કોઈ એક શરણાગતિ સ્વીકારી લે તો વાત જુદી, પણ એકનો તીવ્ર વિરોધ હોય ને સંબંધ થાય તો એ દુષ્કર્મ જ ગણાય. એવું એરેન્જ્ડ મેરેજમાં પણ બની શકે. એમાં પરિચય ઓછો હોય ને બેમાંથી કોઈ એક સંબંધ માટે તૈયાર ન હોય છતાં સંબંધ થાય તો એમાં પણ કોઈ એક શરણું સ્વીકારી લે ને સંબંધ થાય તો બહુ વાંધો કદાચ ન પડે, પણ પછી એ રોજનું થઈ પડે ને કોઈ એકને સમય જતાં રસ જ ન રહે ને સંબંધ થાય તો એ પણ દુષ્કૃત્ય જ ગણાય. ડિબેટ અહીં છે. ન્યાયતંત્રમાં પણ અહીં મતભેદ છે. એક વાત સ્પષ્ટ છે કે લગ્ન સંબંધની અપેક્ષાએ જ થતાં હોય છે. લગ્ન કરનાર જાણે છે કે લગ્ન દ્વારા સ્ત્રી અને પુરુષ એકબીજાને સંબંધની અનુમતિ આપે છે. એવું ન હોય તો લગ્નની જરૂર જ ક્યાં રહે છે? હવે જો લગ્ન પરસ્પરની સંમતિથી થતાં હોય તો તેમાં સંબંધની અનુમતિ આવી જ જાય છે. એટલે કે લગ્ન સ્ત્રીને કે પુરુષને એકબીજા સાથેના સહવાસનો અધિકાર સ્થાપી આપે છે. જો એ શક્ય હોય તો પછી એકની સંમતિ હોય કે ન હોય, બીજો  ભોગવટાનો અધિકાર આગળ કરીને સામાની ઈચ્છાને અવગણી શકે. સંબંધની અનિવાર્યતા પ્રમાણવાને લીધે જ લગ્ન અસ્તિત્વમાં આવતાં હોય તો સંમતિ એમાં આપોઆપ જ વણાયેલી છે, એવું નહીં? એક વાત એ પણ છે કે લગ્ન સંમતિ હોવાને લીધે જ શક્ય બને છે અથવા સંમતિ છે એવું માની લેવામાં આવે છે. એમાં પણ સમય જતાં કંટાળાનો, અણગમાનો, ત્રાસનો અનુભવ થાય છે. એવે વખતે એકને ન ગમે ને તે સંમત ન થાય તો બીજો લગ્ને તેને ભોગવટાનો અધિકાર આપ્યો છે એવો દાવો કરીને અધિકાર ભોગવતો જ રહે તો તે શોષણ જ છે, દુષ્કર્મ જ છે. તેની સામે ફરિયાદ એટલે ન થાય કે લગ્ને અધિકાર આપ્યો છે? લગ્ન જો પવિત્ર બંધન હોય તો તે શોષણનો અધિકાર કેવી રીતે આપી શકે? આમાં સમજૂતી કામ આવી શકે. એટલે કે અમુક પ્રસંગે કોઈ એકની ઈચ્છા ન હોય તો પણ સમયની ઈચ્છાને માન આપીને કોઈ એક એડજસ્ટ કરે તો માત્ર સંમતિને નામે લગ્નને દાવ પર લગાવવાનું ન બને.

બનવું તો એવું જોઈતું હતું કે કોઈ એક બદઇરાદાથી સંમતિ ન આપતું હોય તો, પોતાનાં જ પાત્રની ઈચ્છા નથી તો તેને માન આપીને તેટલા પૂરતું પૂર્ણવિરામ બીજો મૂકે અથવા તો પોતાની જરૂરિયાત સમજાવીને સંબંધ માટે રાજી કરે. કોઈ એક જો એક વખતે થોડું જતું કરે તો બીજું, બીજી વખત જતું કરે ને એમ એકબીજાને અનુકૂળ થવાનો પ્રયત્ન કરે એ લગ્નમાં સંભવિત છે. જો બે વચ્ચે લાગણી હોય, પ્રેમ હોય તો એટલું જતું કરવાનું કોઈને ય અઘરું ન બનવું જોઈએ ને જો પ્રેમ જ નથી, તો સંમતિ હોય કે ન હોય, ક્યાંકથી તો કોઈ કાયદો પોતાનો હક કરવા આગળ આવશે જ. પ્રેમ કે લાગણી હશે ત્યાં કાયદાની જરૂર નહીં પડે ને પ્રેમ જ ન હોય તો કાયદાની તો ખોટ જ ક્યાં છે? અનિવાર્ય છે તે સ્નેહ. એ હશે તો સંમતિ કોઈ એકની કદી નહીં હોય, બંનેની જ હશે ને કોઈ એકની હોય તો બીજો સમજૂતીથી અથવા સમાધાનથી કામ લે એ વધારે મહત્ત્વનું છે. સ્નેહ નહીં હોય તો ને ત્યાં જ કાયદો યાદ આવશે. કાયદો યાદ કરવો પડે એ જ બતાવે છે કે સ્નેહની બાદબાકી થઈ ગઈ છે …

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

24 May 2022 admin
← રામભક્ત રંગબાજ : કોમી રંગની વાસ્તવિકતા ચિતરતી નવલકથા!
હોવાપણાનાં ઓસાણ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved