Opinion Magazine
Number of visits: 9448344
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના વિજયની ક્ષણ

મનીષી જાની|Opinion - Opinion|14 May 2022

યાદ આવે છે ૧૯૨૨નું વર્ષ. બરાબર સો વર્ષ પહેલાંની વાત. એ વર્ષે અંગ્રેજ સરકારે કલમ ૧૨૪-છ હેઠળ ગાંધીજી પર અમદાવાદના સર્કિટ હાઉસમાં રાજદ્રોહનો ખટલો ચલાવ્યો હતો. અંગ્રેજ સરકાર સામે 'યંગ ઈન્ડિયા’ સામયિકમાં ત્રણ લેખ લખવા બદલ રાજદ્રોહની કલમ લગાવી ગાંધીજીને દોષિત ઠેરવી, છ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી.*

આ વાંચતા ગયા વર્ષે આપણા ગુજરાતમાં જ ધવલ પટેલ નામના યુવા પત્રકાર પર ‘રૂપાણી મુખ્ય મંત્રી પદેથી જશે’ એવું લખવા બદલ રાજદ્રોહની કલમ ૧૨૪-છ લગાવી આપણા 'કાળા અંગ્રેજો’એ ધરપકડ કરી હતી, એવું ઘણાને યાદ આવશે જ!

૧૯૨૨માં સરકારને ડર હતો કે જો આ ગાંધીજી પરનો કેસ અમદાવાદમાં ભદ્ર વિસ્તારમાં આવેલી સેશન્સ કોર્ટમાં ચલાવીશું તો હજારો લોકો કોર્ટમાં આવી જશે એટલે આ કેસ શાહીબાગ વિસ્તારમાં આવેલા સર્કિટ હાઉસમાં ચલાવ્યો. જેમાં હાજર રહેવા માટે પાસની વ્યવસ્થા રાખી હતી ને માત્ર ૨૦૦ વ્યક્તિઓને જ પ્રવેશ આપ્યો હતો, જેમાં સરોજિની નાયડુ હતાં, આપણા સુપ્રસિદ્ધ ચિત્રકાર રવિશંકર રાવળ પણ ત્યાં હાજર રહેલા. તેમણે કોર્ટમાં જે જોયું તેનું રેખાંકન ત્યાં જ બેસીને કર્યું અને પછી ઐતિહાસિક તૈલચિત્રનું સર્જન કર્યું … જે હજી ય આપણે અમદાવાદ જૂના સર્કિટ હાઉસમાં જોઈ શકીએ છીએ..

ગાંધીજીએ ત્યાં કહ્યું હતું કે તમે જે રીતે કહો છો એ રીતે તો હું ગુનેગાર છું જ .. આ કલમ ૧૨૪-છ હેઠળની કડકમાં કડક સજા મને કરો ..!

અને અંગ્રેજ જજે ગાંધીજી ને છ વર્ષની સજા કરી.

આજે આ વાતને સો વરસ થયાં ..

ઠેઠ ૧૮૧૨માં ગુલામ ભારતમાં રાજ્યકર્તાઓ એ આ કાયદો અમલમાં મૂક્યો હતો તેને દેશ આઝાદ થયો એ પછી પણ પોતાના સ્વાર્થ ખાતર દરેક સરકારે એ ચાલુ રાખ્યો અને સત્ય માટે, હક માટે સરકાર સામે અવાજ ઉઠાવનારને પાઠ ભણાવવા તેનો ઉપયોગ થતો રહ્યો છે.

છેવટે આ દેશની સર્વોચ્ચ અદાલતે પોતે જાતે જ 'સુઓ મોટો’ અરજી દાખલ કરી તેની નાબૂદી માટે સરકાર પાસે જવાબ માગ્યો. સરકાર ઠાગાઠૈયા કરવા માંડી. અનિર્ણિત

રહી સમય વીતાવતી રહી. છેવટે પુનઃવિચારનો સમય માગ્યો … પણ સુપ્રીમ કોર્ટે આ કલમ પર રોક લગાવી, ૧૨૪-છના અમલને સ્થગિત કરી પોતાની તાકાતનો પરિચય આપ્યો છે .. એ દેશની આમજનતા માટે ગૌરવની ક્ષણ છે. ગુલામીની મુક્તિની ક્ષણ છે. અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના વિજયની ક્ષણ છે.

૧૯૨૨માં કૉર્ટમાં આ કલમ ૧૨૪-છ માટે ગાંધીજીએ જે કહ્યું હતું તે આપણે સૌએ યાદ રાખવા જેવું છે :

Calling section 124-A, the “prince among the political sections of the Indian Penal Code designed to suppress the liberty of the citizen", Gandhi said, “Affection cannot be manufactured or regulated by law. If one has no affection for a person or system, one should be free to give the fullest expression to his disaffection, so long as he does not contemplate, promote, or incite to violence. But the section under which Mr. Banker and I are charged is one under which mere promotion of disaffection is a crime…I have studied some of the cases tried under it (section 124A) and I know that some of the most loved of India’s patriots have been convicted under it. I consider it a privilege, therefore, to be charged under that section.”

* જો કે ૧૯૨૪માં ગાંધીજીની તબિયત લથડતાં તેમના સજાની મુદ્દત પૂરી થયાં પહેલાં ૫ ફેબ્રુઆરી, ૧૯૨૪ના રોજ જેલમુક્ત કરાયા હતા.

૧૧ મે ૨૦૨૨

(મનીષી જાનીની ફેસબુક વૉલ પરથી સાભાર)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 16 

Loading

14 May 2022 admin
← મારા પ્રકાશિત – અપ્રકાશિત હાઈકુ
શું રાજદ્રોહના કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે ? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved