Opinion Magazine
Number of visits: 9446628
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતને ‘ઘોડે’ ચઢાવનારા બજાજ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 February 2022

રાહુલ બજાજની વાર્તાને ભારતની વાર્તા કહેવામાં અતિશયોક્તિ નથી. સ્વતંત્ર ભારત જ્યારે રાજકીય, સામાજિક, સુરક્ષા, શિક્ષણ અને સ્વાસ્થ્યના મોરચે પોતાના પગ પર ઊભા રહેવાની મથામણ કરી રહ્યું હતું, ત્યારે જે અમુક સ્વદેશી ઉદ્યોગપતિઓએ દેશની આર્થિક કરોડરજ્જુને મજબૂત કરવામાં યોગદાન આપ્યું હતું, તેમાં એક નામ રાહુલ બજાજનું હતું.

લડાઈઓ માત્ર તલવારોથી જ નથી લડાતી. બ્રિટિશરો જ્યારે ભારતના ઔધોગિકરણ અને બિઝનેસ સમુદાય પ્રત્યે ઉપેક્ષા સેવતા હતા, ત્યારે ભારતીય બિઝનેસમેન અને ઉદ્યોગપતિઓએ ઉદ્યોગ-ધંધાને સ્વાયત્ત બનાવાનું જ નહીં, સ્વાયતત્તાની ચળવળને આર્થિક ટેકો પૂરો પાડવાનું પણ નક્કી કર્યું હતું.

બ્રિટિશરોની તાકાત જ તેમના ઉદ્યોગો અને બિઝનેસ હતા. મહાત્મા ગાંધીએ એ તાકાતને તોડવા માટે જ વિદેશી માલના બહિષ્કાર અને સ્વદેશી માલનો પ્રચાર શરૂ કર્યો હતો. એમાં ગાંધીજીની પડખે ઊભા રહેનારા ઉદ્યોગપતિઓમાંથી એક હતા જમનાલાલ કણીરામ બજાજ, રાહુલ બજાજના દાદા.

મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા, ત્યારે જમનાલાલ બજાજને તેમના વિચારોમાં રસ પડી ગયેલો અને સ્વતંત્રતા ચળવળના કેન્દ્ર તરીકે વર્ધામાં ૨૦ એકર જમીન ગાંધીજીને દાન કરી હતી. ગાંધીજી એટલે જ જમનાલાલને તેમના પાંચમા પુત્ર ગણતા હતા. જમનાલાલે ૧૭ વર્ષની ઉંમરે કોટનના ધંધાથી શરૂઆત કરી હતી. ૧૯૪૨માં તેમનું અવસાન થયું ત્યારે બજાજ કંપનીનું ૧ કરોડનું સેલ્સ હતું અને મિલોમાં ૨૦૦ કર્મચારીઓ હતા. તે વખતે, જમનાલાલના મોટા દીકરા (રાહુલ બજાજના પિતા) કમલનારાયણ બજાજે કંપનીનું સુકાન સંભાળ્યું હતું.

ભારતને આઝાદી મળી ત્યારે રાહુલ બજાજની ઉમર નવ વર્ષની હતી. તે દિવસે તેમને દાદા જમનાલાલની ખોટ સાલી હશે. મહાત્મા ગાંધી ભારતને આઝાદ જોવા ઇચ્છતા હતા, અને જમનાલાલ ભારતને આર્થિક રીતે મજબૂત જોવા ઇચ્છતા હતા. રાહુલ બજાજને એ સપનું વારસામાં મળ્યું હતું. ૧૯૭૨માં પિતાનું અવસાન થયું, ત્યારે કંપનીનું સેલ્સ ૭૬.૨૪ કરોડનું અને નફો ૮.૪૧ કરોડનો હતો.

બજાજ સમૂહનો એ ચઢતો સૂરજ હતો. બજાજ ત્યાં સુધીમાં કોટન ટ્રેડીંગ કંપનીમાંથી સ્કૂટર, ઈન્સ્યોરન્સ અને ફાયનાન્સ સમૂહ બની ગઈ હતી. આજે તો ૩૪ કંપનીઓનો બજાજ સમૂહ ઇલેક્ટ્રિકલ્સથી લઈને સ્ટીલ, ટ્રાવેલ્સ અને ઓટોમોબાઇલમાં ધંધો કરે છે, પણ એક જમાનામાં તેનું નામ ઘેર-ઘેર સ્કૂટર નિર્માતા તરીકે જાણીતું હતું. ભારતને સ્કૂટર પર ફરતું કર્યું જ રાહુલ બજાજે. કંપનીએ ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનો બનાવવા માટે ૧૯૫૯માં ભારત સરકાર પાસેથી લાઈસેન્સ મેળવ્યું હતું.

૧૯૬૧માં કંપનીએ ટુ-વ્હીલર બનાવવાનું શરૂ કર્યું. ૧૯૭૨માં તેનું સૌથી પ્રસિદ્ધ ચેતક સ્કૂટર આવ્યું. સ્વતંત્ર ભારતની અનેક સફળ વાર્તાઓ છે. તેમાંથી એક આ ચેતક. તેની એડવર્ડટાઈઝ લાઈનમાં જ ભારતની વાર્તા હતી : બુલંદ ભારત કી બુલંદ તસ્વીર … હમારા બજાજ! ૧૯૭૦ના દાયકાનું ભારત આજના કરતાં અલગ હતું. આજે કોઈને અંદાજ ન આવે કે તે જમાનામાં બજાજ સ્કૂટર હોવું એ સ્ટેટ્સ સિમ્બલ હતું. આજે હસવું આવે, પણ ત્યારે પૂરા ભારતમાં ત્યારે મોટા ભાગના લગ્નોમાં છોકરીઓ દહેજમાં ચેતક સ્કૂટર લઈને આવતી હતી. વિવાહ નક્કી થાય એટલે છોકરીનો પરિવાર પહેલું કામ ચેતકનું બુકિંગ કરાવાનું કરતો કરતો હતો.

લાઈસેન્સની શરતના કારણે, સ્કૂટરનું ઉત્પાદન વર્ષે ૨૦,૦૦૦ યુનિટ પર અટકાવી દેવામાં આવ્યું હતું, પરિણામે એક વર્ષ સુધી સ્કૂટરનું વેઈટિંગ સામાન્ય ગણાતું હતું. સ્કૂટરની ડિલીવરી પ્રમાણે લગ્નોની તારીખ નક્કી થતી. ઘણા લોકો તો દસ વર્ષ સુધી રાહ જોવા તૈયાર હતા એટલી ચેતકની ડિમાન્ડ હતી. જે રાહ જોવા માંગતા નહોતા તે બ્લેક માર્કેટમાં પૈસા આપીને (તેને ‘ઓન’ કહેવાતું) સ્કૂટર મેળવતા હતા.

મહારાણા પ્રતાપના પ્રસિદ્ધ ઘોડાના નામ પરથી શરૂ કરાયેલું ચેતક સ્કૂટર દેશનું તો પ્રિય સ્કૂટર હતું જ, રાહુલ બજાજના દિલની કરીબ પણ હતું. તેમણે ઇટાલિયન પિઆગીઓ સ્કૂટરને ભારતમાં બનાવવાનું લાઈસન્સ લીધું હતું, પણ એ રિન્યુ ન થયું એટલે દાઝમાં આવીને ચેતક શરૂ કર્યું હતું. આમિર ખાનની ‘3 ઈડિયટ્સ’ ફિલ્મને ટાંકીને એકવાર બજાજે કહ્યું હતું, “જુસ્સો ન હોય, પેટમાં આગ ન હોય, તો ટોચ પર ન જવાય.”

ભારતમાં સ્કૂટરનું બજાર બદલાઈ ગયું અને જાપાનીઝ મોટરબાઈક્સનો જમાનો આવ્યો, ત્યારે એવી જ આગ રાહુલ બજાજના પુત્ર રાજીવ બજાજના પેટમાં લાગી હતી. રાજીવ બજાજનો મત હતો કે ચેતક આઉટડેટેડ થઇ ગયું છે અને નવી પેઢીને મોટરબાઈક ચલાવવામાં રસ છે. તેને લઈને પિતા-પુત્ર વચ્ચે મતભેદ પણ થયા હતા. ‘મનીકંટ્રોલ’ નામના પોર્ટલમાં આ સંબંધમાં એક રસપ્રદ કિસ્સો છે:

૨૦૧૮માં, શેરહોલ્ડરોની મીટિંગમાં રાજીવ બજાજે કહ્યું હતું, “મારા અમુક સહયોગીઓએ મને કહ્યું હતું કે હું જો સ્કૂટર બનાવીશ તો કદાચ તેઓ (રાહુલ બજાજ) નિવૃત્તિનું વિચારશે. આજે એવો વિશેષ દિવસ છે કે આપણે મૂરખ જેવું સો સી.સી.નું સ્કૂટર ના બનાવવું જોઈએ. મને લાગે છે કે આપણે બે પૈંડા પર રોલ્સ-રોયસ જેવું એક એવું સર્વોત્તમ સ્કૂટર બનાવવું જોઈએ જે દુનિયામાં ક્યાં ય ન હોય.”

રાજીવ : “આપણે આવું સર્વોત્તમ સ્કૂટર બનાવવું જોઈએ?”

શેરહોલ્ડર્સ: “યેસ.”

રાજીવ : “અને આપણે જો એવું સ્કૂટર બનાવીએ, તો મારા પિતાએ નિવૃત થવું જોઈએ?”

શેરહોલ્ડર્સ : “ના.”

રાજીવ : “મને એ ખબર છે.”

આજે સિનિયર બજાજ જીવનમાંથી જ નિવૃત થઈને ભગવાન માટે સ્કૂટર બનાવવા જતા રહ્યા છે!

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 21 ફેબ્રુઆરી 2022

Loading

22 February 2022 admin
← ઑગસ્ટ ક્રાંતિનું ઊગમસ્થાન : ટેનિસ કોર્ટ
હિજાબનું શૂળ પેટ ચોળીને ઊભું કરવામાં આવ્યું છે … →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved