Opinion Magazine
Number of visits: 9447891
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૂઝ કનેક્શન શ્રેણી (25)

સુમન શાહ|Opinion - Opinion|9 February 2022

(મારી તબિયત ઝડપથી સુધરી રહી છે, ચિન્તાનું કારણ ટળ્યું છે. સૌ સ્વજનો સ્નેહીઓ મિત્રો FB મિત્રોનો આભારી છું.)

સૅક્સ્યુઅલ રીલેશનશિપ :  લેખાંક – 6 : પરમ્પરાગત ફિલસૂફીમાં … :

સાત હકીકત ધ્યાનપાત્ર છે :

૧ :

ફિલસૂફીએ સદીઓથી ભેદોની ભૂમિકાએ વિચાર્યું છે. ખાસ તો, આટલાં જોડકાંઓમાં – ડાયકોટમીઝમાં – વિચાર્યું છે : દેહ અને આત્મા, ચિત્ત અને શરીર, તર્ક અને ભાવ તેમ જ સ્ત્રી અને પુરુષ.

૨:

એટલું જ નહીં, આ જોડકાંઓમાં, આત્મા કરતાં દેહને ઊતરતી કોટિનો ગણવામાં આવ્યો છે. એ જ રીતે, શરીર કરતાં ચિત્ત, ભાવ કરતાં તર્ક, અને સ્ત્રી કરતાં પુરુષ ચડિયાતાં ગણાયાં છે.

૩ :

ફિલસૂફીના સમગ્ર ઇતિહાસમાં માનવશરીરની ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે – તેને માત્ર હાડમાંસનો પિણ્ડ ગણવામાં આવ્યો છે. પરિણામે, સંસારમાં શરીર કે જેથી મનુષ્યનું અસ્તિત્વ છે તેને જ વિશે ઘૃણા અને તિરસ્કાર પ્રસર્યાં છે.

૪ :

શરીર જેમ તુચ્છ મનાયું છે તેમ સ્ત્રી કે જે ગર્ભધારણ કરે છે, જે માનવજાતના અસ્તિત્વ અને સાતત્યનું મહત્ કારણ છે, તેને જ વિશે સંસારમાં હીનભાવ દૃઢ થયો છે, એટલે લગી કે સ્ત્રીને વસ્તુ ગણીને વાપરવાની વૃત્તિ-પ્રવૃત્તિ દૃઢ થયેલી છે, જાણે સ્ત્રી મનુષ્ય જ નથી !

૫ :

પરિણામે, ઉત્તરોત્તર વિચારજગતમાંથી સ્ત્રીને બાકાત રાખવામાં આવી છે. તેનું કશું સ્થાન કે માન જળવાયું નથી.

૬ :

સ્ત્રીને વિશેના આ તુચ્છકારનો સ્ત્રીના જીવન પર ઘેરો પ્રભાવ પડ્યો છે : મનુષ્યના જાતીય જીવનમાં સ્ત્રીને વધુ ને વધુ ભાવે ભોગની વસ્તુ તો ગણવામાં આવી જ પણ તેનાં નગરવધૂ, રૂપજીવીની, રખાત જેવાં સ્વરૂપો પણ પેદા કરવામાં આવ્યાં, જેમાં એના શરીર સિવાય કશાયને લક્ષમાં લેવાયું જ નથી.

૭ :

પરિણામે, પરમ્પરાગત ફિલસૂફી પક્ષિલ અને એકાંગી રહી ગઈ છે.

આ સાતેય હકીકતોના મૂળમાં મોટા મોટા ફિલસૂફોની વિચારસરણીઓએ ભાગ ભજવ્યો છે.

પ્લેટો

જેમ કે, પ્લેટો :

પ્લેટોમાં ‘ફૉર્મ’-નો સમ્પ્રત્યય કેન્દ્રવર્તી છે. તદનુસાર, એમણે ઠસાવ્યું છે કે સત્ય શિવ સૌન્દર્ય કે પ્રેમ, જીવન જીવવા માટેના આદર્શો છે, અને તે માટેનાં ફૉર્મ્સ ચિત્તથી જ સમ્પાદિત કરી શકાય છે, અને તે માટે શરીરથી માણસે મુક્ત થવું જરૂરી છે.

જેમ કે, ભારતીય પરમ્પરામાં, આહાર નિદ્રા ભય અને મૈથુન વિશે જે અંગુલિનિર્દેશ થયો છે તેમાં શરીરને વિશેની મૂળભૂત સમજદારી વ્યક્ત થઈ છે. અને તેમાં પણ નૉંધનીય સમજ એ છે કે શરીરને માત્ર મનુષ્યનું નથી કહ્યું, જીવ માત્રનું કહ્યું છે – આહારનિદ્રાભયમૈથુનમ્ ચ સામાન્યમેતત પશુભિર્નરાણામ્.

પણ પછી છલાંગ લગાવાઈ છે કે – ધર્મો હિ તેષામધિકો વિશેષો, ધર્મેણ હીના પશુભિ: સમાના: એટલે કે માણસ અને પશુમાં ફર્ક એ છે કે માણસમાં ધર્મની વિશેષતા વધારે હોય છે; અને ધર્મ વિનાને પશુ સમાન ગણવો. મન્તવ્ય એમ બન્યું છે કે માણસ તો પશુથી શ્રેષ્ઠ છે અને તે આ ચાર મૂળ બાબતો પર અંકુશ જો મેળવે, તો એનું ધર્મજીવન શરૂ થઈ જાય.

એ પ્રકારે માનવશરીરને ગૌણ અને અધ્યાત્મસાધનાનું માત્ર સાધન ગણી લેવાયું છે. એ કાજે એમાંથી છૂટી જવાનો મહિમા દૃઢ થયેલો છે.

રેને દેકાર્ત

જેમ કે, રેને દેકાર્ત :

દેકાર્તે ચિત્ત અને શરીર વચ્ચેની ભેદક માનસિકતાને દૃઢ કરી. એમણે શરીર વિનાના ‘હું’-નો ખયાલ નીપજાવ્યો, કહ્યું કે 'હું વિચારું છું, માટે હું છું'. ઇગોનું આ ડિસ્ઍમ્બૉડિમૅન્ટ સૌને ગમી ગયું અને એમના એ કોગિટોએ – એ સમ્પ્રત્યયે – છેક આપણા સમય લગી વિચારજગતનો કબજો કરી રાખ્યો.

દેહ અને આત્મા વગેરે જોડકાંમાંથી જ પ્રસરેલું જોડકું – ડાયકોટમી – છે, વિષયી અને વિષય – સબ્જેક્ટ અને ઑબ્જેક્ટ અને તે પરથી, સબ્જેક્ટિવિટી અને ઑબ્જેક્ટિવિટી – આત્મલક્ષીતા અને પરલક્ષીતા. પરમ્પરાગત ફિલસૂફીએ આત્મલક્ષીતા પાછળ પોતાનો ઘણો સમય ખરચ્યો છે.

આત્મલક્ષી વિચારણા ‘હું’-ને બાહ્ય જગતથી કાપીને જુએ છે પણ એ હકીકત પરથી ધ્યાન ઊઠી જાય છે કે ‘હું’-ને ઘડે છે જ બાહ્ય જગત ! ‘હું’-માં બાહ્ય જગતે ઘણો મોટો ભાગ ભજવ્યો હોય છે. શુદ્ધ ‘હું’ એક મહામોટી અશક્યતા છે.

અને આ 'હું' તે શું? મનુષ્યશરીર !  મનુષ્યશરીરને પણ બાહ્ય જગતે, પંચમહાભૂતે, સરજ્યું છે, એને જળ વાયુ અગ્નિ આકાશ હમેશાં ઘડે છે, બદલે છે.

આધુનિક ફિલસૂફી ઑન્ટોલૉજિકલ તેમ જ ઍપિસ્ટમોલૉજિકલ બન્ને ક્ષેત્રે માનવશરીરને જ પાયામાં મૂકીને વિચારે છે.

શરીરને પૉન્તિ જગતનું ઍજન્ટ ગણે છે. આ અગાઉના લેખમાં મેં જણાવ્યું કે દેકાર્તના કોગિટોના વિકલ્પે પૉન્તિ ‘બૉડિ-સબ્જેકટ’-નો વિકલ્પ લાવ્યા. મારે ઉમેરવું જોઇએ કે પૉન્તિ અનુભૂતિના સભાન – ખરા – વિષય લેખે શરીરને અંકિત કરનારા પહેલા ફીનૉમિનોલૉજિસ્ટ છે.

મનુષ્યનો વિશ્વ સાથેનો સમ્પર્ક અને સમ્બન્ધ-અનુબન્ધ હમેશાં સેન્દ્રિય હોય છે, શારીર, અને તે સદા હોય છે. સમજાય એવું છે કે જો મને શરીર અને તેમાં ય દસ ઇન્દ્રિયો ન મળી હોત તો વિશ્વ શું છે તે ન સમજાત, ઉપરાન્ત, હું પોતે શું છું તે પણ ન સમજાત.

પૉન્તિ એટલે લગભગ ચીડાઈને કહે છે કે સ્વને અને ચેતનાને ખોપરીના અવકાશમાં ન શોધો ! ચેતના નથી તો ચિત્તમાં, હૃદયમાં કે ક્યાંયે ! એ શરીરની બહાર પણ નથી. એ કંઈ ચીજ નથી કે અમુક સ્થળે પડી રહી હોય ! ચેતના તો શરીર, વાણી અને કાર્યોની આપણા વાતાવરણ વચ્ચે ચાલતી એક આન્તરલીલા છે – ઇન્ટરપ્લે છે.

પૉન્તિ આત્માને શરીરમાં પડેલો hollow કહે છે – પોલાણ. લખે છે કે તેથી શરીર અને આત્મા વચ્ચેના સમ્બન્ધને convex અને concave વચ્ચેના bond રૂપે જોવો જોઈશે; solid vault અને તેનાં hollow forms રૂપે જોવો જોઈશે.

= = =

(February 9, 2022: Ahmedabad)

Plato. Descartes. : Pictures courtesy : Encyclopedia Britanica

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

9 February 2022 admin
← કવિ ‘રાઝ’ નવસારવીના ગઝલસર્જન વિશે
રાહુલ ગાંધીએ રાષ્ટૃીય પ્રશ્નોની સંસદમાં ચર્ચા કરી →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved