Opinion Magazine
Number of visits: 9447633
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોને કહીશું આજે ‘ક્વિટ ઈન્ડિયા’?

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|9 August 2014

– કોને કહીશું આજે 'ક્વિટ ઈન્ડિયા’?

– ૯ ઓગસ્ટ; કદી સ્વાધીનતા આવે – વિનંતી, ભાઈ છાની : અમોનેય સ્મરી લેજો જરી, પળ એક નાની

ક્વિટ ઈન્ડિયા … યુસુફ મહેરઅલીને સૂઝી રહેલા આ બે શબ્દો કેમ જાણે સ્વરાજસંગ્રામનો મંત્ર બની રહ્યા, અને સન બયાલીસ બિલકુલ સન સુડતાલીસની નાન્હી ઘટના સરખું સંઘષવર્ષ બની રહ્યું. કૃતજ્ઞ રાષ્ટ્ર આજે નવમી ઓગસ્ટે એ સૌ કુરબાનીઓને સંભારશે જેને કારણે આપણે છીએ. ગુજરાત આંગણે મહાનગર અમદાવાદમાં વિનોદ કિનારીવાલાનું થાનક એવા જ એક પ્રેણાર્તીથ શું ખડું છે – રાષ્ટ્રીય શાયર મેઘાણીની એ યાદગાર અમર પંક્તિઓ સાથે કે 'કદી સ્વાધીનતા આવે – વિનંતી, ભાઈ છાની : અમોનેય સ્મરી લેજો જરી, પળ એક નાની’

જુલાઈમાં વસન્ત-રજબની શહાદત સંભારવાનું બને છે, ઓગસ્ટમાં કિનારીવાલા વગેરેને. જે એક વાત, આવે વખતે, કર્ણબધિર સૂત્રોચ્ચારો સાથે આપણા ખયાલમાં ઝટ કદાચ નથી આવતી તે એ છે કે આ સૌનાં બલિદાનો કોઈ સ્વપ્નરંગી ક્ષણાવેશ શી બીના નહોતી અને નથી. એક સમગ્ર ચિત્ર વસન્ત-રજબ, વિનોદ વગેરે સામે પોતપોતાની સમજ પ્રમાણે હતું. એ સ્વરાજસમણું હતું, એક એવા સ્વરાજનું જેમાં સૌહાર્દ તેમ સમતા પણ હોય.

નાતજાત કોમધરમ મજહબની સાંકડી ઓળખમાં નહીં ગંઠાતા સમાજ આખાની એક સમતાલક્ષી કલ્પના એ હતી. ત્યારે પ્રચલિત પ્રયોગ ખપમાં લઈને કહીએ તો દેશની તરુણાઈના ખાસા હિ‌સ્સાને લોકશાહી સમાજવાદ ઈષ્ટ હતો. તમે જુઓ કે સ્વરાજ આડે અઠવાડિયું પણ નહોતું અને કિનારીવાલાની ખાંભી ખુલ્લી મૂકવા કોણ આવે એ પ્રશ્નનો ઉત્તર ગુજરાતના ત્યારના તરુણ નેતૃત્વને જયપ્રકાશમાં જડયો હતો જે કોંગ્રેસ સમાજવાદી પક્ષના લગભગ પર્યાયપુરુષ હતા.

બે વડા સાથીઓ અને સુભટો, નેહરુ અને પટેલ, જ્યારે સરકારસ્થ થયા ત્યારે કોંગ્રેસનું પ્રમુખપદ કોને સોંપવું એ સવાલનો ગાંધીને જડેલો જવાબ જયપ્રકાશનો હતો. જો કે, સ્થાપિત કોંગ્રેસ નેતૃત્વને એ નામ ગ્રાહ્ય નહોતું, જેમ ગુજરાતના વડીલ કોંગ્રેસજનોને ખાંભી સંદર્ભે પણ એ સ્વીકાર્ય નહોતું. પરંતુ, ગુજરાતના તરુણ નેતૃત્વે એ વાનું ગણકાર્યું નહીં અને તે જયપ્રકાશને નિમંત્રીને જ જંપ્યું. આ એ જ જયપ્રકાશ દિવસોમાં 'જરૂર પડે તો હાઈજેક કરીને પણ લાવો’ એવો આ બધું સંભારવાનો ધક્કો કોઈ પલપલ ઇતિહાસે ભરી બારમાસી કંદરામાં ભમવાભટકવાનો નથી; પણ સ્વરાજનિર્માણની સમાજવાદ કહેતાં આર્થિ‌ક-સામાજિક ન્યાયના વ્યાપક સંદર્ભમાં જે આર્થિ‌ક-સામાજિક કાર્યક્રમનો તકાજો આ દિવસોમાં પૂર્વે કદાપિ નહીં એ હદે સામે આવ્યો છે એની સમજને ધાર કાઢવાનો અને સંકલ્પને ઊંજવામાંજવાનો છે.

નરેન્દ્ર જ્યારે ચૂપેન્દ્ર નહોતા એ ગાળામાં બહુ ગાજેલો પ્રયોગ 'ગુજરાત મોડલ’નો હતો. વિકાસ શેનું નામ એવા કોઈ સાક્ષાત્કારક ચમત્કાર પેઠે સતત ઊછાળાતો રહેલો એ પ્રયોગ હતો અને છે. આ મોડલને જેટલો પ્રચારલાભ મળ્યો છે એટલો તપાસલાભ કદાચ નથી મળ્યો.

પણ સંક્ષેપમાં એટલું જ કહેવું બસ થશે કે એમાં વૃદ્ધિદરનો નિરતિશય મહિ‌મા છે. વૃદ્ધિ ઉચકાય એટલે વિષમતા જાય એવી એક દંતકહેણીએ મચેલો જે વિશ્વહંગામો એની જ એ ગુજરાત આવૃત્તિ છે. માત્ર, વિષમતા નિર્મૂલન અને સહભાગી વિકાસને 'વૃદ્ધિ’ ઉપરાંતની સારસંભાળ જોઈએ છે અને એ એક ન્યારો અગ્રતાવિવેક માગી લે છે એવી કોઈ જરૂરત પ્રચારશોર વચાળે ભાગ્યે જ કોઈના ખયાલમાં આવતી હશે. આમ લખતીકહેતી વખતે અલબત્ત એ વાનું તો ખયાલમાં જ હોય કે મૂડીવાદ અને સમાજવાદની કોઈ એક પરંપરાગત વ્યાખ્યા કે એમને વિશે કોઈ ચાલુ સમજ યથાવત્ નથી.

પણ જો મેળાપી મૂડીવાદની કળ ન વળે અને વૃદ્ધિ જ વૃદ્ધિ એવી મૂર્છા ન ઊતરે – સમતાલક્ષી સહભાગિતાનો ઇતિહાસબોધ ન પકડાયમપાય તો મળ્યું જણાતું સ્વરાજ અને જડયો કહેવાતો વિકલ્પ બેઉ ખાલી ખાલી ખખડવા લાગે. વડાપ્રધાને રાષ્ટ્રપતિના અભિભાષણ સબબ લોકસભામાં મૌનભંગ કીધો ત્યારે એક વાત માર્કાની કહી કે વિકાસ શા માટે જનઆંદોલનની જેમ ન ચાલે. ચાલે ભાઈ, ચાલે; જરૂર ચાલી જ શકે.

પણ મહુવા જનઆંદોલનની પરત્વે ગુજરાત મોડલ જે રીતે પેશ આવ્યું એમાં આ ગુંજાશ નથી તે નથી. જગદીશ ભગવતી અને અરવિંદ પાટનગરિયા તો શું અમત્ર્ય સેન પણ એક તબક્કે બજારદેવતા સમક્ષ અટકી જાય છે. વસંત, રજબ, વિનોદ તો શું જયપ્રકાશ પણ કોઈ અર્થશાસ્ત્રી નહોતા. પણ સ્વતંત્રતા હો કે વિકાસ, સમતા ને સહભાગિતા વગર તે ગંઠાયેલા અને મોચવાયેલા છે એટલો એક બુનિયાદી સમજ અને તેને સારુ જલતું જિગર એ તો સુવાંગ એમનાં અને એમનાં જ હતાં.

જો ભાજપના સત્તાકીમિયામાં આ મુદ્દાનો સમાસ નથી તો રાહુલને બદલે પ્રિયંકા અગર તો રાહુલપ્રિયંકાની જુગલબંદી એ પણ જવાબ નથી … અને મેનકા ગાંધીના વરુણ બલૂન વિશે તો શું કહેવું. રાષ્ટ્રવાદ અને વિકાસને એકબીજાના પર્યાયરૂપે પ્રયોજતાં ગર્જનતર્જનથી કોઈ પ્રજાવર્ગને મૂઠ વાગી શકે, કોઈ પ્રજાવર્ગને એની મોહની પણ લાગી શકે, પણ સમતાલક્ષી કહી શકાય એવો તો શેકયો પાપડ પણ ન ભાંગી શકે. જે રાજનીતિ લોકસભાનાં પરિણામો પછી ઉત્તરપ્રદેશમાં છસો જેટલાં કોમી તનાવકિસ્સાને હવા અને ખાણદાણ આપી શકે છે અને પેટાચૂંટણીઓમાં એનો પ્રભાવ પાડવા ઈચ્છે છે એને જ કાં 'ક્વિટ ઈન્ડિયા’ ન કહીએ?

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 09 અૉગસ્ટ 2014

Loading

9 August 2014 admin
← કેમેરો ક્યાં માંડવો, બહાર કે ભીતર?
એક દુજે કે લિયે ! →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved