Opinion Magazine
Number of visits: 9448925
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શહેરોનું બાયોમોર્ફિક જીવન

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 November 2021

૧૯૦૧માં, ભારતમાં એક લાખથી વધુ વસતીવાળાં ૧૫ શહેરો હતાં. તેમાં, અમૃતસરની વસ્તી સૌથી ઓછી (૧,૬૨,૪૨૯) હતી, અને સૌથી વધુ કલકત્તાની (૧૫,૨૦,૭૨૧) હતી. ૨૦૧૧માં, એ જ ૧૫ શહેરોની યાદીમાં, ઇન્દોરમાં સૌથી ઓછી વસ્તી હતી ( ૨૧,૭૦,૨૯૫), જ્યારે મુંબઈની વસ્તી સૌથી વધુ હતી (૧,૮૩,૯૪,૯૧૨). ભારતમાં અત્યારે ૪,૦૦૦ શહેરો અને ટાઉન્સ છે. ગામડાઓની સંખ્યા ૬ લાખથી ૧૦ લાખની વચ્ચે છે.

આ બધા આંકડા ભારત સરકારના વસ્તી ગણતરી વિભાગના છે. ભારતમાં છેલ્લી એક સદીમાં કેટલાં નવાં શહેરો બન્યાં, તેના આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ ૨૦૧૧ના વસ્તી ગણતરીના ડેટા પ્રમાણે, ૭.૮ કરોડ લોકો ગામડાં છોડીને શહેરોમાં વસ્યા હતા. સ્વાભાવિક રીતે જ, વસ્તી વધારો થાય એટલે શહેરોમાં વધારો પણ થાય છે, કારણ કે વિકાસનું એન્જીન શહેરો કેન્દ્રિત છે, અને માણસો વધુ સુખ-સગવડો માટે સ્થળાંતર કરતા રહે છે.

આ વાત ભારત પૂરતી સીમિત નથી. પૂરી દુનિયામાં શહેરોની સંખ્યામાં તોતિંગ વધારો થયો છે, અને જાણકાર લોકો તેને ચિંતાનું કારણ માને છે. તાજેતરમાં, સંયુક્ત રાષ્ટ્રસંઘની કલાઈમેટ ચેન્જ કોન્ફરન્સ મળી હતી. તેમાં ભારત સહિત તમામ દેશોએ પર્યાવરણ અને આબોહવાને બચાવવા માટે ઝેરી ગેસને અટકવવાના શપથ લીધા હતા.

નિષ્ણાતો કહે છે કે પર્યાવરણ-આબોહવા ઉપરાંત પણ, દુનિયામાં શહેરોનો બાયોમોર્ફિક, એટલે કે જૈવિક વિકાસ પણ એટલો જ ખતરો પેદા કરી રહ્યો છે. બાયોમોર્ફમાં 'બાયો' એટલે 'જીવ' અને 'મોર્ફ' એટલે 'સ્વરૂપ'; જીવોથી બનેલાં શહેરો.

૨૦મી સદીના સાઇકોલોજિસ્ટ એરિક ફ્રોમે બાયોફિલા નામનો શબ્દ આપ્યો હતો. 'બાયો' એટલે 'જીવ' અને 'ફિલા' એટલે 'પ્રેમ'; જીવન માટેનો પ્રેમ. એ થિયરી પ્રમાણે, માણસોની અંદર પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવાની ગહેરી શારીરિક જરૂરિયાત હોય છે. પ્રકૃતિ સાથેના કનેક્શનને બાયોફિલા કહે છે. શહેરીકરણનાં પગલે લોકો ઉત્તરોત્તર પ્રકૃતિથી દૂર જઈ રહ્યા છે, તેને બાયોમોર્ફ કહે છે. આર્કીટેક્ચર અને અર્બન પ્લાનિંગમાં  શહેરોની પ્રાકૃતિક રચના પર ભાર એટલે જ આપવામાં આવી રહ્યો છે.

દુનિયામાં ગામડાં ગાયબ થઇ રહ્યાં છે અને શહેરો ઉમેરાઈ રહ્યાં છે. ભવિષ્યની દુનિયાની શહેરોની દુનિયા હશે. સંયુક્ત રાષ્ટ્રના એક અભ્યાસ પ્રમાણે, વિશ્વની ૫૫ ટકા વસ્તી અત્યારે શહેરોમાં રહે છે. ૨૦૫૦ સુધીમાં, ૬૮ ટકા, એટલે કે વધારાના ૨૫૦ કરોડ લોકો શહેરોમાં ગયા હશે. એકલા ચીનમાં જ ૯૦ કરોડ લોકો શહેરોમાં રહેતા હશે. આ નવા લોકો માટે, આગામી ૩૦ વર્ષ સુધી, દર વર્ષે ન્યૂયોર્કના કદ જેવું આધુનિક સુખ-સગવડોવાળું એક શહેર બનાવવું પડશે – એમાં, પર્યાવરણ અને આબોહવાનું રક્ષણ કરવું પડશે એ વધારાની શરત.

૨૧મી સદીમાં, ઝડપી શહેરીકરણનાં પગલે દુનિયાની પ્રાકૃતિક વ્યવસ્થા મજબૂત થશે કે તેનું ઔર પતન થશે, તેને લઈને કોઈ ખોખરીને બોલતું નથી.

જર્મનીના અગ્રણી એન્થ્રોપોલોજિસ્ટ જોશ બેર્સોન તેમના અભ્યાસમાં કહે છે કે, ૧૯૯૬માં, ત્રણમાંથી એક ચીની નાગરિક શહેરમાં રહેતો હતો. ૨૦૨૧માં, ત્રણમાંથી બે જણા શહેરમાં ગયા છે. અમેરિકામાં, પાંચમાંથી ચાર લોકો શહેરમાં રહે છે. દુનિયામાં શહેરોનો જબરદસ્ત વિકાસ થઇ રહ્યો છે. સ્વર્ગ જો ક્યાં ય હોય તો શહેરોમાં છે. પાછલાં ૨૦૦ વર્ષથી શહેરોનો વિકાસ થયો હતો, અને ૧૫ વર્ષ પહેલાં જ શહેરોની વસ્તી ગામડાંઓની વસ્તી કરતાં આગળ નીકળી ગઈ છે.

એ અભ્યાસ પ્રમાણે, ૨૫૦ વર્ષ પહેલાં પૃથ્વી પર દસ લાખથી વધુ વસ્તીવાળાં ત્રણ શહેરો હતાં; એડો (આજનું ટોકિયો) બેજિંગ અને લંડન. આજે, એવાં શહેર ૫૫૦ છે. બેર્સોન કહે છે કે આબોહવાના સંકટ, અન્ન સુરક્ષા, ઉર્જાની ખપત, ઔદ્યોગિક કોમોડિટીઝની ડિમાન્ડ, બાયોડાયવર્સિટીના પતન કે વૃદ્ધ થતી વસ્તીની સમસ્યાની આપણે જેટલી ચર્ચા કરીએ છીએ, તેની સરખામણીમાં શહેરીકરણની વાતો થતી નથી, પણ હકીકત એ છે કે આ તમામ સંકટોમાં શહેરીકરણનો એટલો જ હાથ છે.

ભવિષ્યમાં આપણે ઉત્તમ જીવન જીવતા હોઈશું કે કીડીમકોડાની જેમ માંડ-માંડ જીવતા રહીશું તેનો ઉત્તર આપણે વૈશ્વિક સ્તરે કેટલા સહકાર અને પ્લાનિંગથી કામ કરીએ છીએ તેના પર નિર્ભર છે.

બેર્સોન એવી કલ્પના કરે છે કે માનવ સમુદાય બીજાં ૧૦,૦૦૦ વર્ષ સુધી પૃથ્વી પર ટકી જાય, તો તે વખતના આર્કીઓલોજિસ્ટને વિસ્મય થશે કે સેપિયન્સોમાં એવું તે શું ગાંડપણ આવ્યું હતું કે પેઢીઓની પેઢીઓએ મુઠ્ઠીવાળીને શહેરો તરફ દોટ મૂકી હતી? આજથી ૧૦,૦૦૦ વર્ષ પહેલાં, જંગલના શિકારી સેપિયન્સોએ જંગલો છોડીને ગામડાંઓ વસાવ્યાં હતાં, ત્યારે તે વખતના 'નિષ્ણાતો'ને થયું હશે કે આ સૌથી ડહાપણભર્યું કામ થઇ રહ્યું છે.

શહેર સુખ-સુવિધા લાવે છે તે સાચું, પરંતુ સ્વાસ્થ્ય પર તેની અવળી અસર પડે છે, તે સૌને ખબર છે. કોરોના વાઈરસનો જે ઝડપે ફેલાવો થયો, તેનું એક મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય યાત્રાઓની સુવિધા અને ગીચ રહેણીકરણી છે. ગીચ વિસ્તારોમાં હવાથી ફેલાતી બીમારીઓનું પ્રમાણ વધુ હોય છે. હવા-પાણીનું પ્રદૂષણ પણ વધુ હોય છે. અવાજનું પ્રદૂષણ, સિમેન્ટ-કોન્ક્રીટની ગરમી એ પણ શહેરોની દેન છે.

‘લાન્સેટ’ નામના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક મેગેઝીનનો ૨૦૧૭નો અહેવાલ કહે છે કે દુનિયામાં ૨૦૧૫ની સાલમાં એઇડ્સ, ટી.બી. અને મલેરિયા મળીને પણ સૌથી અકાળ મૃત્યુ પ્રદૂષણનાં કારણે થયાં હતાં. અને પ્રતિવર્ષ પ્રદૂષણમાં વધારો થઇ રહ્યો છે.

૧૦,૦૦૦ વર્ષ પહેલાં, કૃષિ ક્રાંતિમાં જમીનને ઉપરતળે કરવાનું શરૂ કર્યું હતું. ઔધોગિક ક્રાંતિમાં આપણે વાતાવરણને અસર કરવાનું શરૂ કર્યું હતું. હવે વૈશ્વિક વસ્તી વધારા અને શહેરીકરણથી આપણે એ બંને ફેરફારોમાં ગતિ આણી દીધી છે. આપણે ક્યાંક દોટ મૂકીને જઈ રહ્યા છીએ. ક્યાં? તેનો ઉત્તર ૧૦,૦૦૦  વર્ષ પછીના આર્કીઓલોજિસ્ટ આપશે, જો ત્યાં સુધી આપણે બચ્યા તો.

પ્રગટ : લેખકની ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 21 નવેમબર 2021

Loading

23 November 2021 admin
← મામાનું ઘર એટલે …
આરોગ્ય સેવાઓનું આરોગ્ય સુધારા માંગે છે →

Search by

Opinion

  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved