Opinion Magazine
Number of visits: 9453954
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોમી ઓળખના નામે કોણ ધરાવે અભિમાન ?

રમેશ ઓઝા|Opinion - Opinion|17 October 2021

ગયા અઠવાડિયે મેં વાચકોને સલાહ આપી હતી કે આ દુનિયામાં જેઓ તેજસ્વી છે, મેધાવી છે, મૌલિકતા ધરાવે છે, પુરુષાર્થી છે, જેમણે દુનિયાને નવી દિશા આપી છે અને નવી રીતે વિચારતા શીખવાડ્યું છે, જેમણે અલગ કેડી કંડારી આપી છે એમાં એવા કેટલા લોકો છે જે પોતાને હિંદુ તરીકે ઓળખાવે છે અને એનું અભિમાન ધરાવે છે એની એક યાદી બનાવવી જોઈએ. હિંદુ તરીકેની ઓળખ તો ગાંધીજી પણ સ્વીકારતા હતા અને ગર્વ પણ અનુભવતા નહોતા, પણ તેનું અભિમાન નહોતા ધરાવતા. માત્ર હિંદુ નહીં, આ જગતમાં ઉપર કહ્યા એવા પ્રકારના કેટલા લોકો છે જે ખ્રિસ્તી તરીકેની, મુસ્લિમ તરીકેની કે બીજી ધાર્મિક કોમી ઓળખ આગળ કરીને તેનું અભિમાન ધરાવે છે? મેં તો ખાતરીપૂર્વક કહ્યું હતું કે આવા હજાર લોકોની યાદી બનાવશો તો એમાંથી દસ જણ પણ એવા નહીં નીકળે જે ધાર્મિક કોમી ઓળખનું અભિમાન ધરાવતા હોય. માત્ર ભારતમાં અને હિંદુઓમાં નહીં, જગત આખામાં અને દરેક ધર્મોમાં. બીજી બાજુ જે લોકો ધાર્મિક કોમી ઓળખનું અભિમાન ધરાવે છે એ લોકો મૌલિક અને મેધાવી નથી નીવડતા. એવા લોકોનું પ્રમાણ પણ હજારે દસનું નહીં મળે!

શા માટે? કાંઈક તો કારણ હશે જ? તમે એમ તો નહીં જ કહો કે રવીન્દ્રનાથ ટાગોરમાં, ક્ષિતિમોહન સેનમાં, રાહુલ સાંકૃતાયનમાં, સત્યજીત રાયમાં, બર્ટ્રાન્ડ રસેલમાં, આલ્બર્ટ આઇન્સ્ટાઇનમાં, ઉમાશંકર જોશીમાં, હજારીપ્રસાદ દ્વિવેદી વગેરે પ્રકારના મૂઠી ઊંચેરા માનવીઓમાં તમારા કરતાં ઓછી બુદ્ધિ હતી અથવા ઓછા દેશભક્ત હતા. આશ્ચર્ય એ વાતનું છે કે જે લોકોએ આખી જિંદગી ભારતીય વિદ્યાઓનાં ક્ષેત્રો (જેવાં કે ફિલસૂફી, સંસ્કૃત ભાષા અને સાહિત્ય, વ્યાકરણ, અન્ય પ્રાચીન ભારતીય ભાષાઓ, અન્ય પ્રાચ્યવિદ્યાઓ, ઇતિહાસ, સાંકૃતિક ઇતિહાસ, વગેરે)માં મૌલિક કામ કર્યું છે કે કરી રહ્યા છે એવા લોકોમાં પણ હિંદુ તરીકેનું કોમી અભિમાન જોવા નહીં મળે. તેઓ હિંદુ પ્રાચીન વારસાના વારસદાર તરીકે અને એ રીતે હિંદુ હોવાનો ગર્વ અનુભવતા જોવા મળશે પણ અભિમાન ધરાવતા જોવા નહીં મળે. જે લોકો અભિમાન ધરાવે છે એ લોકોનાં કામમાં એ ઊંચાઈ જોવા નહીં મળે. જે લોકોએ હિંદુ વારસાને અને હિંદુ પ્રજાને જગત આખામાં મૂઠી ઊંચેરું સ્થાન અપાવ્યું છે એવા લોકો હિંદુ હોવાનું કોમી અભિમાન નથી ધરાવતા જેવું અભિમાન સંઘપરિવારના લોકો અને તેના સમર્થકો ધરાવે છે.

જેમના થકી આપણે જગતમાં રૂડા દેખાઈએ છીએ એવા હિંદુઓ હિંદુ કોમી અભિમાન ધરાવતા હોય એવું જોવા નહીં મળે અને જે લોકો હિંદુ કોમી અભિમાન ધરાવે છે તેમના થકી આજે જગતમાં આપણે બદનામ થઈ રહ્યા છીએ.

શા માટે? શા માટે જે લોકો ઐશ્વર્ય અને પુરુષાર્થથી સમૃદ્ધ છે એ લોકો ધાર્મિક કોમી ઓળખથી દૂર રહે છે ને જે લોકો કોમી ઓળખને પાળે અને પંપાળે છે એ લોકો ઐશ્વર્ય અને પુરુષાર્થની બાબતે નાદાર છે. આ હું કહું છું એટલે માની લેવાની જરૂર નથી, તમે પોતે, જો હજુ સુધી યાદી બનાવીને તુલના ન કરી હોય તો હજુ કરી લો અને પોતાની જાતે ખાતરી કરી લો.

આનાં કારણો તો હું આપીશ, પણ એ પહેલાં હિન્દુત્વવાદીઓનાં અને તેમના સમર્થક ગણાતા આજકાલના ભક્તોનાં વિચાર, વાણી અને વર્તણૂક ઉપર એક નજર કરી જુઓ. ભગવતગીતામાં ભગવાન કૃષ્ણે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો બતાવ્યાં છે એ રાહે તમે હિન્દુત્વવાદીઓનાં સરેરાશ એક સરખાં જોવાં મળતાં સામાન્ય લક્ષણો ઉપર એક નજર કરો. જોઈએ તો ઇસ્લામનું અભિમાન ધરાવતા ઇસ્લામવાદી મુસલમાનો અને તેના સમર્થક મુસલમાનોનાં વિચાર, વાણી અને વર્તણૂક પણ તપાસી જુઓ અને ખાતરી કરી લો કે કોઈ સમાનતા નજરે પડે છે કે કેમ! હજુ વધુ ખાતરી કરવી હોય તો આ પ્રકારના બીજા ધર્મોના અનુયાયીઓનાં વિચાર, વાણી અને વર્તણૂક પણ તપાસી જુઓ.

જગતના તમામ ધર્મોમાં ધાર્મિક કોમી ઓળખ પાળનારા, પંપાળનારા અને તેનું અભિમાન ધરાવનારા લોકોમાં આટલી સમાનતા તમે એક સરખી જોવા મળશે :

૧. તેઓ વર્તમાન અને તેની વાસ્તવિકતાઓથી દૂર ભાગે છે અને ઇતિહાસમાં રાચે છે.

૨. તેઓ વર્તમાનની ચિંતા નથી કરતા, પણ સુંદર અને સમૃદ્ધ ભવિષ્યનાં સપનાં જુએ છે. જાણે કે ભવિષ્યને વર્તમાન સાથે કોઈ સંબંધ જ ન હોય.

૩. તેઓ તર્કબદ્ધ વાત નથી કરી શકતા. એકાદ-બે વાક્યથી વધારે તેઓ કોઈ દલીલ નથી કરી શકતા.

૪. તર્કબદ્ધ દલીલના અભાવમાં તેઓ અજ્ઞાની હોવાનો કે પક્ષપાતી હોવાનો કે હિંદુ ધર્મ વિરોધી હોવાનો આરોપ કરશે અને છેવટે ગાળોનો આશરો લે છે.

૫. તેમનામાં એકલો જાને રે …નો પુરુષાર્થ જોવા નહીં મળે, તેમનો પુરુષાર્થ ટોળાંમાં ખીલે છે.

૬. જૂનવાણી વિચાર અને વર્તણૂક તેમ જ અંધશ્રદ્ધાનું પ્રમાણ તેમનામાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળશે.

આ છ લક્ષણો તમને જગત આખામાં અને દરેક ધર્મમાં ધાર્મિક કોમી અભિમાન ધરાવનારા લોકોમાં એક સરખાં જોવાં મળશે. માન્યામાં ન આવતું હોય તો ખાતરી કરી જુઓ!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 ઑક્ટોબર 2021

Loading

17 October 2021 admin
← કોલસા, હાથ તો ઠીક, મોં કાળું ના કરે તેમ ઇચ્છીએ …
મોંઘવારી જન્મ પહેલાં હતી ને મરણ પછી પણ હશે … →

Search by

Opinion

  • GEN-Z
  • સોક્રેટિસ ઉવાચ – ૧૧
  • પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?
  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved