Opinion Magazine
Number of visits: 9448853
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિદેશી સાહિત્યનાં ભાષાન્તરો બાબતે

સુમન શાહ|Opinion - Literature|30 September 2021

આજે આન્તરરાષ્ટ્રીય ભાષાન્તર-દિવસ છે.

એટલે મને થયું કે વિદેશી સાહિત્યનાં ભાષાન્તરો બાબતે મારે કંઈક કહેવું જોઈએ. એ વિશે મેં એક લેખ કરેલો એના કેટલાક અંશ અહીં ફરીથી મૂકું છું : 

આજની પેઢીને, સ્વાભાવિક છે કે ગાંધીવાદી મગનભાઇ પ્રભુદાસ દેસાઇનાં નામ-કામની જાણ ન હોય. ‘સત્યાગ્રહ’ પત્રિકાના તન્ત્રી. ‘સત્યાગ્રહની મીમાંસા’ એમનું જાણીતું પુસ્તક. આવાં જ સુખ્યાત બીજાં બે નામ છે, પુ.છો. પટેલ અને ગોપાળદાસ જીવાભાઇ પટેલ.

ગાંધીદર્શનના જ્ઞાતા મગનભાઇ એક દિવસ, ૧૯૫૦ આસપાસ, પુ.છો.-ને કહે છે : ‘પુ. ]છો. પટેલ ! પચાસ વર્ષ બાદ અંગ્રેજી અને બીજી ભાષાઓ સારી રીતે જાણનારા ગુજરાતમાં બહુ ઓછા લોકો હશે.’ દેસાઇએ પછી જે કહેલું તે ગાંધીજીએ કહેલું એવું જ હતું. કહે, ‘વિદેશી ભાષાઓમાં જે ઉત્તમ સાહિત્યનો ખજાનો પડેલો છે, તેને આપણે ભાવિ પેઢીઓ માટે ગુજરાતમાં લાવવો જોઇએ.’ ઉમેર્યું કે ‘એ બધું વિશ્વ-સાહિત્ય ઉત્તમ રીતે ગુજરાતીમાં લાવવા માટે તમો શ્રી. ગોપાળદાસ પટેલની સેવા લઇ શકો છો. તેઓ વિશ્વ-સાહિત્યની કથન-કલામાં સિદ્ધહસ્ત નીવડેલા સ્વતંત્ર મિજાજના લેખક-અનુવાદક છે. આ કાર્યમાં તમને યશભરી સફળતા, સંતોષ અને પરમ આનંદ મળશે. તથા તમારું અને સાથી કાર્યકરોનું જીવન ધન્ય ધન્ય થઇ જશે.’

દેસાઇની એ ભલી સિફારસ પછી ‘પરિવાર પ્રકાશન સહકારી મન્દિર લિમિટેડ’ શરૂ થાય છે, ‘વિશ્વસાહિત્ય અકાદમી’ સ્થપાય છે. છેલ્લે, રાજપથ ક્લબ સામે ‘રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટ’ શરૂ થાય છે. ટ્રસ્ટ, ‘ગ્રંથમાળા’ શરૂ કરે છે. પ્રકાશક અનંતભાઇ ડી. પટેલ પુસ્તકાકારે આહલેક પોકારે છે, ‘ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારો !’ (૨૦૦૩ : પૂર્વોક્ત અવતરણો એમાંથી છે).

Picture courtesy : English Pen

એ સમગ્ર ગાળા દરમ્યાન ટૉલ્સટૉય, વિક્ટર હ્યુગો, ડૂમા, ડિકન્સ, સ્કૉટ, ડસ્ટયેસ્કી (દૉસ્તોએવસ્કી), આનાતોલ, વગેરેની સૃષ્ટિઓમાંથી અનેક કથા-કૃતિઓને ગુજરાતીમાં ઉતારવા માટેનો જાણે યજ્ઞ મંડાયો હતો. દેસાઇ-વાણી સાચી પડેલી. અનુવાદ-યજ્ઞના ઋત્વિજોને – ગોપાળદાસ ઉપરાન્ત, પુ.છો. અને સાથીઓને, યશભરી સફળતા, સંતોષ અને આનન્દ સાંપડ્યાં હતાં.

ગોપાળદાસ, લૅરી કૉલિન્સ અને ડૉમિનિક લૅપિયરકૃત ‘ફ્રીડમ ઍટ મિડનાઇટ’-નું ‘મધરાતે આઝાદી યાને ગાંધીજીની હત્યાની કહાણી’-થી જાણીતા થયા છે. પણ એમણે હ્યુગોકૃત ‘લે-મિઝરેબલ’-નું ‘પતિતપાવન’ અથવા ‘દરિદ્રનારાયણ’, ‘નાઇન્ટિ થ્રી’-નું ‘ક્રાંતિ કે ઉત્ક્રાંતિ ?’, સ્કૉટકૃત ‘કેલિનવર્થ’-નું ‘પ્રીત કિયે દુ:ખ હોય’, ડૂમાકૃત ‘થ્રી મસ્કેટિયર્સ’-નું ‘યાને પ્રેમશૌર્યના રાહે’, ‘કાઉન્ટ ઑફ મૉન્ટેક્રિસ્ટો’-નું ‘આશા અને ધીરજ’, ડિકન્સકૃત ‘પિકવિક ક્લબ’-નું ‘સૌ સારું જેનું છેવટ સારું’, જેવાં આકર્ષક શીર્ષકો બાંધીને એ બધાં ‘અનુવાદ-સમ્પાદન’ કર્યાં છે. નિષ્ઠા એવી કે પોતાનાં આ કામોને એઓ ‘અનુવાદ-સમ્પાદન’ ગણતા.

આ બધું ગુજરાતી ભાષામાં સંભવ્યું અને જે સંભવ્યું એ વિશ્વના મહાન સાહિત્યકારો સંદર્ભે સંભવ્યું છે.

વિશ્વસાહિત્યને ગુજરાતીમાં રમતું કરનારી આ પરમ્પરા દાયકાઓ પછી સુરેશ જોષી-કાળમાં એ જ વૃત્તિ-પ્રવૃત્તિના સુપરિણામ રૂપે આગળ ચાલેલી. એની વીગતે વાત કરવા માટે આજે મને જગ્યા ઓછી પડે, માટે ક્ષમાયાચના.

બાકી, ગુજરાતી સાહિત્ય, ચેખવ દૉસ્તોએવસ્કી બૉદ્લેર નિત્શે કાફ્કા કામૂ સાર્ત્ર હૅમિન્ગ્વે કાવાબાતા યાસુનારી હેરોલ્ડ પિન્ટર – એમ અનેકાનેક વિશ્વ-સાહિત્યકારોના અનુવાદો કે ભાવાનુવાદો વડે વિશ્વ-સાહિત્ય સાથે જોડાઇ ગયેલું. પરન્તુ અફસોસ ! વિકાસની એ દિશા આજે સાવ સૂની છે.

સામ્પ્રતમાં વિદેશી સાહિત્યકૃતિઓનાં ભાષાન્તર થતાં જ નથી. ‘ભાગ્યે જ થાય છે’ કહીને વિધાનને સુધારી શકું પણ આજે મને આવાં વ્યાપ્ત વિધાનો જ કરવા દો.

થઇ ચૂકેલાં સંખ્યાબંધ ભાષાન્તરોની કશી વાત પણ નથી થતી. જે થયાં તે દુનિયાભરમાં પંકાયેલા સાહિત્યકારોનાં થયાં પણ એ નામોની પણ કોઇને કશી તમા નથી. વિશ્વસાહિત્ય માતૃભાષામાં ઊતરે એ માટેનો કશો પણ પ્રયાસ કરનારી હવે કોઇ સંસ્થા રહી નથી. અનુવાદ નામે જ્યાં જે કંઇ ચાલે છે ત્યાં બધું માત્ર ભારતીય ભાષાઓ માટે ચાલે છે. દિલ્હીની સાહિત્ય અકાદમી દર વર્ષે અનુવાદનો અવૉર્ડ આપે છે એ પણ માત્ર ભારતીય ભાષાઓના અનુવાદ માટે આપે છે. શિક્ષિત સમાજને પણ આની કશી ભૂખ નથી.

મારી જ્યાં નજર પડે છે ત્યાં મોબાઇલ બધા વિદેશી – કશી મુશ્કેલ પણ આસ્વાદ્ય સાહિત્યકૃતિ જેવા. કૅમેરા બધા વિદેશી – કશી અટપટી પણ રમણીય કવિતા જેવા. પણ વાસ્તવિક સાહિત્યકૃતિ કે કવિતાપદાર્થને નામે કશું નહીં !

આ મનોદશા સાહિત્યકારોને જ ચિન્ત્ય નથી લાગતી, પ્રજાનો શો દોષ જોવો? ગાંધીજીને કેટલીયે બાબતે વીસરી ગયા છીએ એમાં કંગાળિયતની આ એમની ફરિયાદને ય ઉમેરો !

ગુજરાતી ભાષા-સાહિત્યના સંવર્ધન માટે અમેરિકામાં, યુ.કે.માં અને ગુજરાતમાં અકાદમીઓ છે. પણ આ ગોપાળદાસવાળી 'વિશ્વસાહિત્ય અકાદમી' અલોપ થઈ ગયાને ય વરસો વીતી ગયાં છે. વિશ્વસાહિત્ય સાથેનો અનુબન્ધ પણ નષ્ટભ્રષ્ટ છે. ૨૧મી સદીમાં છીએ છતાં વિચારો કે આપણે કઈ દિશામાં પ્રગતિ કરી રહ્યા છીએ?

= = =

(September 30, 2021 : USA)

Loading

30 September 2021 admin
← મનહરલાલ ચોકસી એટલે મનહર અંતરજ્યોત
કાયદાનું પાલન કરાવવાને નામે પણ લૂંટ જ ચાલે છે … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved