Opinion Magazine
Number of visits: 9449065
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંવેદનાની સફરમાં

કમલેશ ઓઝા|Opinion - Opinion|19 June 2021

મિ. સુશીલ શર્મા, તમે આજે ત્રીસ વર્ષ પછી તમારી કર્મભૂમિ – વતન, અમદાવાદ તરફ આવો છો. તમે રાયપુરથી ફ્લાઇટમાં અમદાવાદ આવવા નીકળો છો. ૩૦ વર્ષ પહેલાં ધંધો રોજગાર, ઘરસંસાર, બાળગોપાલ, કુટુંબ કબીલા તેમ જ સામાજિક જિંદગીને સંકેલીને ગાંધી વિચારના અહિંસાના પર્વને વધુ વેગવાન બનાવવા, રાયપુર પહોંચો છો. જ્યાં છતીસગઢ એરિયામાં નક્સલવાદ પૂરેપૂરો ફાલીફૂલીને વિકસ્યો છે. જે ભારત જેવા શાંતિપ્રિય દેશ માટે ખતરનાક સાબિત થઇ ચૂક્યો છે, અને આ નક્સલવાદના હિસાબે અનેક નિર્દોષ લોકોનાં જીવન બરબાદ થઇ ગયાં છે. ભારતની કરોડરજ્જુને લગભગ અશાંત પરિસ્થિતિમાં મૂકી દેતા નક્સલવાદ ભારત જેવા લોકશાહી દેશ માટે એક સળગતો મોટો પ્રશ્ર્ન થઇ ચૂક્યો છે. તેવા સંજોગોમાં તમે, પ્રખર સામ્યવાદી વિચાર ધરાવતા હોવાના નાતે, સામાજિક સમાનતા અને માનવીય જીવન પ્રબળ કેમ બને તેની સતત ચિંતામાં હો છો. નક્ષલવાદનો જન્મ અન્યાયમાંથી થયો છે. જાગીરદારી પ્રથાથી થતો અન્યાય સામાન્ય ખેડૂત ખેતકામદારને બહેાલ બનાવી દેતા, તેનો જન્મ વર્ષો પહેલાં થયો અને હિંસાથી ક્રાંતિ કરવાના અલ્ટ્રાલેફ્ટના વિચારો ચારુ મજમુદાર કનુ સન્યાલ જેવા અનેક લોકોએ સમાનતા લાવવાના અને ખેતમજૂરને શોષણવિહીન કરવાનાં સ્વપ્ન સાથે નક્ષલવાદના પગરવ થયા અને આખા દેશમાં આ નક્ષલવાદ ફાલી ફૂલીને વિકસ્યો જેમાં છત્તીસગઢમાં બસ્તર એરિયામાં આ નક્ષલવાદ વધુ ઉગ્ર બન્યો અને અનેક નિર્દોષ લોકો મોતનાં મુખમાં ધકેલાયા અને આખી સમાજવ્યવસ્થા છિન્નભિન્ન કરી નાખી.

આ રોગ આખા દેશ માટે ખતરનાક નીવડ્યો. તમે ૩૦ વર્ષ પહેલાં આ નક્ષલવાદને કેમ ડામી શકાય અને અનેક આદિવાસી ભાઇઓને નક્ષલવાદમાંથી મુક્ત કરી તેમને મેઇન સ્ટ્રીમમાં સામાન્ય પ્રવાહમાં લાવી ગેરમાર્ગે દોરાયેલા અસંખ્ય નવયુવાનોને હથિયાર હેઠા મૂકી નવજીવન કેવી રીતે મળે તેના વિચાર સાથે રાયપુર આવી નક્ષલાદને ડામવાના સક્રિય પ્રયાસમાં લાગી ગયા. વિકાસના નામે આદિવાસી ભાઇબહેનોને માનવીય અભિગમવાળું જીવન ન મળતાં આ એરિયામાં પાવર પ્લાન્ટ, બંધ વગેરે બંધાતા મૂડીપતિઓનો વિકાસ થયો છે, મૂળ આદિવાસી ભાઇબહેનો મુખ્ય પ્રવાહથી અલગ છે, અને એટલે જ તેમને થતાં અન્યાયની સામે વિસ્ફોટ આદિ ઉલ્કાપાત રચાતા સશસ્ત્ર ક્રાંતિ સાથે માઓવાદીના વિચારો સાથે નક્ષલવાદ તરફ આકર્ષાયા આ ઇતિહાસ, અને વર્તમનાકાળથી મિ. સુશીલ શર્મા તમે પૂરેપૂરા વાકેફ હોવાથી રાયપુર જઇ બસ્તર એરિયાની મુલાકાત લઇ ભોગ બનેલા આદિવાસી વિસ્તારની મુલાકાત લઇ આપ આદિવાસી ભાઇઓ બહેનોને મેઇન સ્ટ્રીમમાં કેમ લાવવા તેના વિચાર સાથે નોન વાયોલેન્સ – અહિંસાના ગાંધી વિચાર સાથે આશ્રમશાળા સ્થાપવાનું બીડુ ઝડપ્યું અને આજે અનેક આશ્રમ શાળાઓ બસ્તર એરિયામાં સ્થાપી આદિવાસી ભાઇઓ બહેનો યુવાનોને રોજગાર પૂરો પાડી, સ્વાવલંબી બનાવી નક્ષલવાદમાં ગેરમાર્ગે ગયેલા અસંખ્ય લોકોને નવજીવન આપી તેમને સામાન્ય પ્રવાહમાં લાવી એક મોટું કામ કર્યું, સુશીલ શર્મા, તમે આ બસ્તર એરિયામાં છોટે ગાંધીના નામે નામના મેળવી શક્યા.

આજે ત્રીસ વર્ષ પછી તમે રાયપુરથી અમદાવાદમાં આવતી ફ્લાઇટમાં તમારા ભૂતકાળ તરફ યાદોનાં ટોળાંમાં ખોવાઇ જાવ છો. મિ. સુશીલ શર્મા, ધંધો રોજગાર, કુટુંબ કબીલા, સંસાર ત્યાગ તમારી ધર્મપત્ની મિત્રો, બધાને છોડીને આજે ત્રીસ વર્ષ પછી અમદાવાદ તરફ પ્રયાણ કરો છો ત્યારે, અમદાવાદમાં તમારા જૂના મિત્રો સુવિચાર ધરાવનારા પ્રગતિશીલ લેખક સંઘના નામે તમને અમદાવાદ વક્તવ્ય આપવા બોલાવે છે. "નક્ષલવાદની આસપાસ અને તેને ડામવાના ઉપાયો" પર તમારું વક્તવ્ય રાખ્યું છે અને આજે ત્રીસ વર્ષ પછી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતાં તમને જૂના મિત્રો, સહાધ્યાયીઓ અને સમાન વિચારશરણીવાળા લેખકો વગેરે મળે છે અને મિ. સુશીલ શર્મા આ પળ તમારા માટે યાદગાર બની જાય છે. તમે તમારા હૃદયમાં અનેક યાદગીરીના બનાવો નજર સમક્ષ આવતાં, સુશીલ શાર્મ તમે આહ્લાદક ક્ષણ માણો છો.

બીજે દિવસે અમદાવાદના ટાઉન હોલમાં પ્રગતિશીલ લેખક સંઘના સેક્રેટરી શાશ્વત વસાવડા તમારો પરિચય એક જૂના સામ્યવાદી વિચારક તરીકે કરાવી તમને વક્તવ્ય આપવા નિમંત્રે છે.

તમે સાવ સાદા ડ્રેસમાં કૂર્તા પાયજામામાં વધેલી દાઢી સાથે વક્તવ્ય દેવા ઊભા થાવ છો. તમે ઉદ્‌બોધન કરો છો.

ભાઇઓ અને બહેનો, આજે ત્રીસ વર્ષ પછી અમદાવાદમાં આવતા હું આનંદથી ઝુમી ઊઠ્યો છું. મારો ભૂતકાળ, મારા વિચારો સામ્યવાદી વિચારધારા સાથે સંકળાયેલા છે. મેં સૌ પ્રથમ ટ્રોટસ્કી, લેનિન અને માર્કસને વાંચ્યા છે. માર્કસ આજે પણ આખે આખા મને સમજાયા નથી, પણ સામ્યવાદી વિચારસરણીમાં હું ગળાડૂબ હોવા છતાં, શોષણવિહીન સમાજ રચનાના મંતવ્ય સાથે, સમાનતા બંધુત્વના વિચાર સાથે, હું ભૂતકાળમાં અને આજે પણ કટિબદ્ધ છું, તેમ છતાં આજે હું કબૂલ કરું છું કે હું ગાંધીવિચાર સાથે જોડાયેલ ત્યારથી હિંસા વગરની સમાજવ્યવસ્થા સ્થાપવાના મારા વિચાર સાથે ગાંધીજીના પોતાના વિચાર સાથે અડીખમ અને નીતિવિષયક જીવનશૈલીથી પ્રભાવિત થયો છું, અને મારા અનુભવે ગાંધી મને સુપેરે દેખાયા હતા તેમ જ નક્ષલવાદની સશસ્ત્ર ક્રાંતિવાળી વાતને હું અનુમોદન આપતો બંધ થયો અને નક્ષલવાદ ભલે અન્યાયમાંથી જન્મ્યો, પણ તે વિચાર સાથે માઓવાદી ચળવળ સાથે આ દેશમાં સશસ્ત્ર ક્રાંતિથી લોકશાહીની વ્યવસ્થાને તોડી ફોડીને સામાન્ય જીવન બક્ષવાનો વિચાર ગેરમાર્ગે દોરે છે. તેવું મને સમજાતા નક્ષલવાદને ડામીને અસંખ્ય આદિવાસી ભાઇઓ બહેનોને મેઇન સ્ટ્રીમાં લાવીને સ્વાવલંબી બનાવવાનું મેં ત્રીસ વર્ષ પહેલાં બીડું ઝડપ્યું અને આ વિચાર સાથે છત્તીસગઢમાં મે શરૂઆતમાં ૧૦થી ૧૫ આશ્રમ શાળાઓ સ્થાપી જે આજે અનેકની સંખ્યામાં છે અને આ આશ્રમશાળાઓ સ્થાપી ત્યાંના યુવાનોની મદદથી સ્થાપ્યા અને અસંખ્ય આદિવાસી ભાઇઓને બહેનોને હથિયાર હેઠા મૂકી મુખ્ય પ્રવાહમાં લાવી ધંધો રોજગાર અપાવી ઉત્તમ માનવીય જીવન આપવામાં મદદ કરી.

આ સરકાર કે કોઇ પણ સરકાર નક્ષલવાદને કોઇ દિવસ ડામી નહીં શકે કારણ કે સરકારનો નક્ષલવાદને ડામવા માટેનો રસ્તો હિંસા, અન્યાય, ધમકી, ડર પેદા કરી આદિવાસીઓને ઉઘાડે છોગે મોતના હવાલે કરવાનું કામ કરે છે. મારા મતે નક્ષલવાદને ડામવા માટે સહાનુભૂતિ સાથેનો વર્તાવ કરી તેમને થતાં અન્યાય દૂર કરી તેમને સ્વાવલંબી બનાવવા જરૂરી છે, જે મેં ખૂબ જ ગંભીરતાથી પ્રયાસ કર્યો. આશ્રમ શાળામાં દૂધની ડેરી, ગૌશાળા, હસ્તકલા ઉદ્યોગ, સીવણકામ કરવાના સંચા, સ્કૂલો, બાળકોને આરોગ્યની સેવા આ બધુ કરવામાં આવે તો ગેરમાર્ગે ગયેલા સશસ્ત્ર-ક્રાંતિના હિમાયતી અનેક યુવાનોને આપણે મુખ્ય પ્રવાહમાં ભેળવી શકીએ. આ મારો ગાંધી વિચાર સાથેનો નમ્ર પ્રયાસ છે. અને આ પ્રયાસ સાથે અનેક આદિવાસી ભાઇઓ બહેનો, યુવાનોને સ્વાવલંબી બનાવી ઉત્તમ માનવીય જીવન બક્ષવાનો મારો નમ્ર પ્રયાસ છે. મારા જેવા ગાંધી વિચારકોએ આ પ્રયાસ કરી આ નક્ષલવાદને ડામવાના ભગીરથ કાર્યક્રમમાં જોડાવું જોઇએ. હું ત્રીસ વર્ષ પહેલાં મારા કુટુંબને, બાળગોપાલ, સગાંવ્હાલાં, મિત્રો, બાળકો બધાને છોડીને એક નવા કાર્યક્રમ સાથે છત્તીસગઢમાં સ્થાયી થયો અને આજે આ વિસ્તારમાં નક્ષલવાદને હું થોડા ઘણા અંશે ડામવામાં સફળ થયો. આમ, નક્ષલવાદનો જન્મ ભલે અન્યાયથી થયો છે, પણ તેને સશસ્ત્ર ક્રાંતિના વિચાર સાથે આવકારવાની જરૂર નથી તેને ડામવા ભારતના દરેક સમજુ વિચારકે સહાનુભૂતિ સહૃદયથી વર્તાવથી આદિવાસી ભાઇઓ જે અત્યાચાર, અન્યાયના ભોગ બનેલા છે તેમને ફરી પાછા મુખ્ય પ્રવાહમાં સ્થાપી તેમને માનવીય અભિગમવાળું જીવન આપવાનું ભગીરથ કામ કરવું જોઇએ, તેમ કહી વિરમું છું.

તાળીઓના ગડગડાટ સાથે તમારા વક્તવ્યને ખૂબ જ આવકાર મળે છે.

મિ. સુશીલ શર્મા, તમારી સાદગીપૂર્વકની જિંદગીથી લોકો ખરેખર પ્રભાવિત થાય છે અને તમને મળવા આવનારા અસંખ્ય જૂના મિત્રો, મળીને ખુશ થાય છે. એ જ રીતે તમને મળવા તમારા બન્ને દીકરાઓ, તમારી બન્ને પુત્રવધૂઓ, તમારી સહધર્મચારિણી સરિતાદેવી, તમારા ભાઇ શૈલેષ શર્મા અનેક લોકો મળે છે.

તમારા બન્ને દીકરાઓ તમારી પાસે આવે છે, તમને ઘરે લઇ જવા માટ કહે છે, તમારી સહધર્મચારિણી સરિતાદેવી તમને મળે છે, તમારા બન્ને દીકરાઓ પુત્રવધૂઓ આખુ કુટુંબ બન્ને દીકરાઓ તેના ઘરે તમને લઇ જાય છે. આખુ કુટુંબ સાથે જમે છે, બન્ને દીકરાઓ અને આખું કુટુંબ ત્રીસ વર્ષ પછી તમને મળ્યાનો આનંદ મેળવે છે, અને તમને કહે છે કે પપ્પા, હવે તમે પાછા આવી જાવ અને આ સરસ મજાના બંગલામાં છેલ્લી જિંદગી અમારા મમ્મી સાથે ગાળો. મેં સ્પષ્ટ કહ્યું કે બધાં કુટુંબીજનો, હું મારું કામ અધૂરું છોડીને ન આવી શકું. હજું મારી યાત્રા લાંબી છે. અને આજે ૭૮ વર્ષે પણ હું થાક્યો નથી, અને એટલે મારે તો એ જ મારો આદિવાસી બસ્તર વિસ્તાર અને તમે બધા સુખી છો. સંપીને રહો છો. બધા પ્રપૌત્ર અને પ્રપૌત્રી ભણવામાં અવ્વલ નંબર છે અને તમે મારા આપેલા સંસ્કારવાળું જ જીવન જીવો છો. તમારામાં તમારી પાસે અખૂટ પૈસા હોવાનું અભિમાન નથી. તે મારા માટે મહત્તમ સુખ છે. એમ કહી સરિતાદેવી, તમારા ધર્મપત્નીને ૧૦ મિનિટ માટે એકલા મળી, તેને સ્નેહનું ચુંબન કરી, તું સુખી છે, બન્ને દિ=દીકરાઓ પુત્રવધૂઓ બધાં સારી રીતે તને સાચવે છે. એટલે મારી ગેરહાજરી તને સાલશે નહીં આમ જ જીવનયાત્રા પૂરી કર, એમ કહી તમે બન્ને દીકારાને એરપોર્ટ પર મૂકી જવાનું સૂચન કરો છો અને તમે અમદાવાદ એરપોર્ટ પરથી રાયપુર પાછા જવાની ફ્લાઇટ પકડી, તમારા મૂળ કાર્યક્રમ નક્ષલવાદને મુખ્ય પ્રવાહમાં ભેળવવાના ભગીરથ કાર્યમાં પાછા રાયપુર તરફ પ્રયાણ કરો છો.

મિ. સુશીલ શર્મા, સલામ તમારી ઝીંદાદિલીવાળી જિંદગીને સલામ. મિ. સુશીલ શર્મા, તમારી ગાંધી વિચારને મુબારક અહિંસાવાળી વિચારસરણીને સલામ સલામ તમારા કુટુંબીજનો બન્ને દીકરાઓ, પુત્રવધૂઓ, પ્રપોત્રો અને ભાઇઓને કે જેણે ત્રીસ વર્ષ સુધી તમારી ગેરહાજરીમાં તમારા સહધર્મચરિણી સરિતાદેવીને સાચવવાનું તેને સરસ રીતે જીવન જીવવાનું જીવન બક્ષવા બદલ સલામ, અને છેલ્લે લાખ લાખ સલામ સરિતાદેવીને કે જેણે ત્રીસ વરસના પતિ વિયોગને પચાવી સુખમય સામાન્ય જીવન જીવવાનું હસ્તે મોઢે જીવન જીવવાના ભગીરથ કાર્યને સલામ – મિ. સુશીલ શર્મા તમારા ગાંધી વિચારને લાખ લાખ સલામ.

e.mail : koza7024@gmail.com

Loading

19 June 2021 admin
← રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
ગાંધીજીનો અહિંસા માટેનો આગ્રહ એ લોકો માટે હતો જેઓ તેમની સાથે ચાલવા માગતા હોય →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved