Opinion Magazine
Number of visits: 9726025
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નટવર ભટ્ટ : શાયરીની દુનિયાનો અલગારી વણઝારો ….

અજય પાઠક|Opinion - Opinion|30 March 2021

તાજેતરમાં ‘ગુલિસ્તાઁ-એ-શાયરી’ મૂલ્યવાન ગ્રન્થના સંપાદક તથા ભાવક શ્રેષ્ઠ “નટવર ભટ્ટ”નું વડોદરા ખાતે દુઃખદ નિધન થયું. પત્રકારણમાં લાંબી કારકિર્દી ધરાવનાર નટવર ભટ્ટ સાહિત્યનો લગાવ ધરાવતા હતા અને તેનો અનોખો ઉન્મેષ તેમના સંપાદનમાં સુપેરે પ્રગટે છે. ડિસેમ્બર, ૨૦૧૯માં પૃ. ૭૩૬, હાર્ડબાઉન્ડ ગ્રન્થમાં નટવર ભટ્ટે પોતાનું સમગ્ર જીવનસંગીત પ્રગટ કરી દીધું છે. ગ્રન્થમાં મૂલ્ય-દર્શાવ્યું છેઃ શૅરો-શાયરીનો લગાવ. ભાવયિત્રી પ્રતિભાની આવી શબ્દસાધના જવલ્લે જ જોવા મળે છે. ૭૩૬ પૃષ્ઠોમાં ૭૨૯ શૅર મૂકવામાં આવ્યો છે. વિષયવાર વર્ગીકરણ કરીને મૂક્યા છે. ગુજરાતી, હિન્દી, ઉર્દૂ ભાષાઓમાંથી પસંદગીપૂર્વકના મૂક્યા છે. પૃષ્ઠમાં છ-સાત કે આઠ શૅર લેખે ૭૨૯ પૃષ્ઠોમાં કુલ શૅર કેટલા થાય તે જોવું પણ રસપ્રદ. ૧૦૪ વિષયોમાં વર્ગીકરણ નોંધપાત્ર. અને શાયરો? જોશ મલિહાબાદી, જિગર મુરાદાબાદી ફિરાક ગોરખપુરી, નિદા ફાઝલી, કૈફી આઝમી, સાહિર લુધિયાનવી વગેરે, કેટલાં ય નામો જોવા મળે. છ દાયકાથી વધુ સમય કામ કરીને લાખો શેરમાંથી પસાર થઈને જેમાં જિન્દગી જોવા મળી તેવા શેર પસંદ કર્યા છે. નટવર ભટ્ટનું આ કામ નોંધવું જોઈએ અને તપસ્વીને ભાવભરી અંજલિ અર્પણ કરવી જોઈએ.

ભાવનગરની બાર્ટન લાઈબ્રેરીને ‘ગુલિસ્તાઁ-એ-શાયરી’ પુસ્તક ભેટ ધરવા માટે સંપાદકે મને કામ સોંપ્યું હતું તે ધન્ય સ્મરણ છે.

નટવર ભટ્ટ પોતાના અભ્યાસકાળથી શબ્દપ્રીતિ ધરાવનાર પ્રતિભા હતા. હજુ અભ્યાસ પૂરો કરે તે પહેલાં ઈ.સ. ૧૯૪૭માં ‘મુંબઈ સમાચાર’ સાપ્તાહિકમાં તેમની વાર્તાઓ પ્રસિદ્ધ થવા લાગી હતી. ઈ.સ. ૧૯૫૦માં ‘જનશક્તિ’ દૈનિક શરૂ થતાં એમાં ‘સમાજનાં વહેણ’ નામક વિભાગનું સંપાદન કર્યું. સમર્પણ, અભિષેક, અખંડ આનંદ, વિરાટ જાગે, સ્ત્રી સાપ્તાહિક, લોકતંત્ર, પ્રજાતંત્ર, લોકસત્તા, આસ્થા, પરમતત્ત્વ વગેરે સામયિકોમાં લેખો, વાર્તાઓ લખતા રહ્યા. ‘કવિ રહીમ’ પરિચય પુસ્તિકા લખી, ૧૯૭૪માં. ૧૯૭૬માં અમીર ખુસરો વિશે નાનકડું પુસ્તક કર્યું.

ઈ.સ. ૧૯૮૦-૮૧માં ‘મુંબઈ સમાચાર’ સાપ્તાહિકમાં ‘ઉર્દૂ શાયરીનું ગુલશન’ વિભાગનું સંચાલન કર્યું.

ઈ.સ. ૧૯૫૦થી શૅરશાયરીનો ગાઢ લગાવ થયો. સેંકડો પુસ્તકો આત્મસાત કર્યા. પોતાની સંવેદનાને અહીં તેમણે પ્રતિબિંબિત થતી અનુભવી. જીવનનો મર્મ અને ધર્મ શાયરીમાં જોયો. ગુજરાતી, હિંદી, ઉર્દૂ ભાષાના કવિઓને અનેક મુશાયરામાં માણ્યા. પોતાની આ સુગુંધયાત્રાની મહેંક સૌમાં વહેંચવા, પ્રસરાવવા ‘ગુલિસ્તાઁ-એ શાયરી’ પુસ્તક સંપાદિત કર્યું જેમાં સૌ ભાવકોને ઊંડા ઉતરવા ઇજન આપવાની એમની ભાવના રહી હતી.

આઁખે વિષય પર લગભગ ૭૨ શૅર પ્રસ્તુત કર્યા. મીરના બે શૅર જોઈએ :

૧.  રહતે હો તુમ આઁખોં મેં ફિરતે હો તુમ્હીં દિલમેં
મુદત સે અગરચે યહાઁ આતે હો ન જાતે હો.

૨. આઁખેં જો ખુલ રહી હૈં મરને કે બાદ મેરી
હસરત યહ થી કિ ઉનકો મૈં એક નિગાહ દેખુઁ.

ભાવભરી શ્રદ્ધાંજલિ પ્રસ્તુત છે.

ભાવનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 06

Loading

30 March 2021 admin
← બંગાળમાં મોદીની રાજનીતિઃ પડકારો અને પ્રશ્નો
દિલ્હી હવે કેન્દ્રશાસિત →

Search by

Opinion

  • ઘટથી વટ
  • સયાજીરાવ ગાયકવાડને યાદ કરવા એટલે …
  • તેઓ ભલે ‘નિર્દોષ’ છૂટ્યા હશે, પણ વગર વાંકે સજાનું શું?
  • પુલમાં સિક્કો – એક અવલોકન 
  • રાજકીય કોઠાઓને ભેદતું ઉખાણું : ભગતસિંહ

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved