Opinion Magazine
Number of visits: 9448807
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોનાની રસી, વાયદાનો વાઇરસ

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|27 October 2020

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભા.જ.પે. કોરોનાવિરોધી રસી મફત આપવાનું વચન આપ્યું. આ તે કોઈ મત માગવાની રીત છે? વિના મૂલ્યે રસીકરણનો જે કાર્યક્રમ દાયકાઓથી ચાલે છે, એની ચૂંટણીઢંઢેરામાં જાહેરાત કરવી અને મત માગવા એ તો તદ્દન શરમજનક બાબત છે.

ભારતમાં રસીકરણનો કાર્યક્રમ ૧૯૭૮માં શરૂ થયો. એ પહેલાં રસીકરણ દ્વારા જ દેશમાંથી શીતળા નાબૂદ થઈ ચૂક્યો હતો. ૧૯૮૫માં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ શરૂ થયો. ૧૯૭૮માં મોરારજી દેસાઈની અને ૧૯૮૫માં રાજીવ ગાંધીની સરકાર હતી. રાજીવ ગાંધીની સરકારે જ 'રાષ્ટ્રીય રસીકરણ મિશન' શરૂ કરેલું અને તેનું નામ નરેન્દ્ર મોદીની સરકારે બદલીને ૨૦૧૪માં 'મિશન ઇન્દ્રધનુષ' કરી નાખ્યું,

સરકારી રસીકરણ કાર્યક્રમ હેઠળ BCG, OPV, PCV, FIPV, MR, JE, DPT અને TT સહિતની અને તેમાં જુદા જુદા પ્રકારની ૨૦ રસીઓ બાળકો, કિશોરો અને સગર્ભા મહિલાઓને સરકારી દવાખાનાંમાં અને આરોગ્ય કેન્દ્રોમાં હાલ પણ મફત મૂકવામાં આવે છે. ધનવાનો સરકારી દવાખાને ન જાય અને ખાનગી ડોક્ટર પાસે જાય અને પૈસા ચૂકવે એ તેમની પસંદગીની વાત છે. ૧૯૭૦ના દાયકામાં શીતળા અને આ સદીમાં પોલિયો નાબૂદ થયો, તે પણ સરકારી રસીકરણ દ્વારા જ. તેને પરિણામે કરોડો લોકોને ફાયદો થયો અને અસંખ્ય મોત નિવારી શકાયાં. રસીકરણના મુદ્દે અદાણી, અંબાણી, તાતા, બિરલા કે બીજી કોઈ ખાનગી કંપનીએ કશું કર્યું નથી. હા, રસીનું ઉત્પાદન ખાનગી કંપનીઓએ કર્યું ખરું. પણ રસી થકી રોગનાબૂદીની સફળતા સરકારી છે. બધી બાબતોમાં ખાનગીકરણની દુહાઈ દેનારાએ આ હકીકત નજરઅંદાજ ન કરવી જોઈએ.

રસીકરણ માટે દાયકાઓ સુધી તમામ પક્ષોની રાજ્ય અને કેન્દ્ર સરકારોએ અબજો રૂપિયા ખર્ચ્યા તેમ જ સરકારી કર્મચારીઓએ હરિયાળી ક્રાંતિ માટે જે મહેનત કરી હતી, તેવી જ મહેનત કરી. દુનિયાભરમાં એ કાર્યક્રમ પ્રશંસા પામ્યો. કારણ કે બાળમૃત્યુ દર (IMR) અને માતૃત્વ મૃત્યુ દર (MMR) ઘટાડવામાં તેનો ફાળો નોંધનીય છે. 

ભા.જ.પ.ના મફત રસીના વાયદાનો અર્થ એવો થાય ખરો કે દેશમાં ચૂંટણીઓ આવવાની જ ના હોત તો મોદી સરકાર મફતમાં કોરોના રસી આપત જ નહીં? ભલું થજો આંબેડકર, નહેરુ અને સરદાર સહિતના એ જમાનાના બંધારણ સભાના નેતાઓનું કે એમણે બંધારણમાં લોકશાહીની અને ચૂંટણીની વ્યવસ્થા રાખી. હવે સાચવવાની જવાબદારી આપણા સૌની.

e.mail : hema_nt58@yahoo.in

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 26 ઑક્ટોબર 2020; પૃ. 01

Loading

27 October 2020 admin
← સમાજ અને રાષ્ટ્રહિત-ચિંતક, સર્જક મોહનભાઈની વિદાય ….
કૉલેજને વિદ્યાર્થિનીઓ સુધી લઈ જવાનો સફળ પ્રયાસ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved