Opinion Magazine
Number of visits: 9448973
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જયપ્રકાશ નારાયણ તેમને ગાંધીજી પછીના ક્રમે મૂકતા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|23 September 2020

મહામારીગ્રસ્ત મહાનગર મુંબઈ આજકાલ સુશાંત અને કંગનાને કારણે ચર્ચામાં છે. એક સમયે આઝાદીના સંગ્રામના કારણે પણ ચર્ચાયું હતું.

જયપ્રકાશ નારાયણ, પ્રભાવતીદેવી, યુસૂફ મહેરઅલી અને રામમનોહર લોહિયા

સાયમન કમિશનના બહિષ્કાર આંદોલનનું નેતૃત્વ કરીને મહેરઅલીએ આઝાદી આંદોલનમાં ઝુકાવ્યું હતું. મુંબઈમાં એમણે ગુંજતો કરેલો ‘સાયમન ગો બેક’નો નારો પછી આખા દેશનો અવાજ બની રહ્યો હતો. અહિંસક સત્યાગ્રહીઓ પર પોલીસે સિતમ ગુજાર્યો તેમાં મહેરઅલી સહિત ઘણાં ઘવાયા હતા. નિઃશસ્ત્ર અને અહિંસક સત્યાગ્રહીઓ પર લાઠીમાર કરનારા અંગ્રેજ સાર્જન્ટ સામે મહેરઅલીએ કોર્ટમાં કેસ કરી સજા અપાવી હતી. તેથી આ કેસનો ચુકાદો આપનાર ન્યાયાધીશને સરકારે નોકરીમાં કાયમ ન કર્યા તો મહેરઅલીને લોની ડિગ્રી છતાં વકીલાત કરવાની સનદ ન મળી. આઝાદીનું આંદોલન અને અન્યાયનો પ્રતિકાર કેવાં પરિણામો નિપજાવી શકે છે તે આ બાબતોથી જણાય છે, પરંતુ ડર્યા વિના મહેરઅલી આઝાદી આંદોલનમાં ડટયા રહ્યા. ૧૯૩૨ના મીઠા સત્યાગ્રહ વખતે મુંબઈના વડાલામાં તેઓ યુવાનોનું નેતૃત્વ કરી રહ્યા હતા. સત્યાગ્રહીઓ પર ઘોડેસવારોની ટુકડી દ્વારા ચાબુકો ફ્ટકારવામાં આવતા મહેરઅલીએ અંગ્રેજ સાર્જન્ટના પૂરપાટ દોડતા ઘોડાની લગામ પકડી લઈ તેમની નીડરતાનો પરચો કરાવ્યો.

ઈ.સ. ૧૯૩૪માં આચાર્ય નરેન્દ્ર દેવ, રામમનોહર લોહિયા, જયપ્રકાશ, અચ્યુત પટવર્ધન, એસ.એમ. જોશી, અશોક મહેતા અને મિનુ મસાણી સાથે મળીને તેમણે ‘કૉન્ગ્રેસ સમાજવાદી પક્ષ’ની સ્થાપના કરી હતી. સમાજવાદને આજીવન સર્મિપત મહેરઅલીનું જીવનધ્યેય સમાજવાદી સમાજરચનાની સ્થાપનાનું હતું. સમાજવાદી પક્ષોનાં સંમેલનોમાં તેમણે સમાજવાદની બુનિયાદ વધુ ને વધુ સ્પષ્ટ કરી હતી. ૧૯૩૬માં તેમણે કૉન્ગ્રેસ સમાજવાદી પક્ષના પ્રમુખસ્થાનેથી જમીનદારી નાબૂદીની ઘોષણા કરી હતી. વતન કચ્છની ‘પ્રજા પરિષદ’ સાથે પણ તેઓ જોડાયેલા હતા. આઝાદી માટે કચ્છના રાજા અને ગિરાસદારોનો પ્રતીકાર કરીને તેમણે લોકોને સક્રિય લડત માટે તૈયાર કર્યા હતા. ૧૯૪૨માં તેઓ લાહોર જેલમાં હતા ત્યારે જ તેમને મુંબઈના મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સમાજવાદીઓ નહેરુના પક્ષે હોવાનું જાણતા હોવા છતાં સરદાર પટેલે આ પસંદગી કરી હતી. મહેરઅલીએ પણ પોતાનાં કાર્યો થકી તેને દીપાવી. નગરપતિ તરીકેના પોતાના પ્રથમ પ્રવચનમાં, ‘હું તુમારશાહી અને રેઢિયાળપણાનો સજ્જડ વિરોધી છું.’ એમ કહીને તેમણે ‘સમાજવાદી સુધરાઈ’નો વિચાર અમલમાં મૂકવા પ્રયાસ કર્યો. મુંબઈના નાગરિકોની સુરક્ષા અંગ્રેજ સરકાર પર છોડી દેવાને બદલે તેમણે ‘પીપલ્સ વોલન્ટિયર બ્રિગેડ’ની રચના કરી. મુંબઈના ગવર્નરે મહેરઅલીને રાજભવનમાં ડિનર માટે નિમંત્ર્યા તો તેમણે ડિનરમાં તેમનો શોફર સાથે જોડાશે તેની શરત રાખી અને તેની આગોતરી પરવાનગી મળ્યા પછી જ ભોજન માટે ગયા હતા.

હિંદ છોડો ચળવળના વરસે મુંબઈના પહેલા સમાજવાદી મેયર તરીકે ચૂંટાયેલા યુસૂફ મહેરઅલીનું સ્મરણ એમના સમાજવાદી વિચારોના કારણે કરવા જેવું છે. આજથી ૧૧૭ પહેલાં, ૨૩મી સપ્ટેમ્બર, ૧૯૦૩ના રોજ જન્મેલા યુસૂફ મહેરઅલીના અવસાન(બીજી જુલાઈ, ૧૯૫૦)ને પણ સાત દાયકા થવા આવ્યા.

મૂળે કચ્છના ખોજા પરિવારના યુસૂફ મહેરઅલીનો જન્મ, ઉછેર અને ભણતર મુંબઈમાં થયાં હતાં. અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, વિદ્યાવ્યાસંગી બૌદ્ધિક અને બિનસાંપ્રદાયિકતાના જીવંત પ્રતીક એવા મહેરઅલીએ વિદ્યાર્થી અવસ્થાથી જ જાહેરજીવનમાં રસ લેવા માંડેલો. માંડ સુડતાલીસ વરસના ઝંઝાવાતી આયખામાં એમણે ઘણાં મોટાં કામો કર્યાં હતાં. તેમના સમાજવાદી સાથી જયપ્રકાશ નારાયણે ઉચિત જ કહ્યું હતું કે, “ મારા મનથી યુસૂફ મહેરઅલીનું સર્મિપત જીવન ગાંધીજીને બાદ કરતાં જીવનની સર્વોત્તમ અભિવ્યક્તિ છે. ધ્યેય પ્રતિ નિષ્ઠા અને આદર્શો પ્રત્યે આદર ગાંધીજી પછી તેમના જીવનમાં જોવા મળ્યા.”

૩૧ માર્ચ, ૧૯૪૯થી બીજી જુલાઈ ૧૯૫૦ સુધી તેઓ મુંબઈ ધારાસભાના સભ્ય હતા. સજાગ ધારાસભ્ય તરીકે સવા વરસની તેમની કામગીરી સંસદીય ઇતિહાસમાં નોંધપાત્ર છે. મહાનગરીય જન્મ ઉછેર છતાં તેમના હૈયે સદાય ગરીબો, કિસાનો, કામદારોનું હિત રહેલું હતું. ધારાસભ્ય તરીકેનું તેમનું સૌથી મહત્ત્વનું કામ ગુમાસ્તા ધારો તૈયાર કરાવવાનું છે. ભાડૂતો, કામદારો, અસંગઠિત શ્રમિકો અને સુધરાઈના પ્રશ્નો તથા નાગરિક અધિકારો માટે તેમણે ધારાસભામાં સતત અવાજ ઉઠાવ્યો હતો.

અનાજની પેદાશ વધારવા માટેની ‘લેન્ડ આર્મી’(ભૂમિસેના)ની રચના કરવામાં તેમને ઊંડો રસ હતો. અત્યંત માંદલી તબિયતે પણ તેઓ આ અંગેનો ઠરાવ ધારાસભામાં રજૂ કરવા આવ્યા હતા. ગૃહમાં જ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમને ઊંચકીને ગૃહની બહાર લઈ જવા પડયા હતા. તે પછી તેઓ કદી સાજા ન થઈ શક્યા. આટલી પ્રતિબદ્ધતા તેમને પોતાના કામ પ્રત્યે હતી.

હસ્તાક્ષર માંગનારને ‘લીવ ડેન્જરસલી’ અર્થાત્ ‘જોખમભર્યું જીવો’નો સંદેશ લખી આપનાર મહેરઅલી અનેક જોખમો લઈને જીવ્યા અને બહુ ટૂંકું આયુષ્ય ભોગવ્યું.

e.mail : maheriyachandu@gmail.com

પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 23 સપ્ટેમ્બર 2020

Loading

23 September 2020 admin
← પારદર્શી લેખક – ભાઈ નવીન બેંકરને શબ્દાંજલિ …
વીજળીને ચમકારે મોતીડાં પરોવો, પાનબાઈ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved