Opinion Magazine
Number of visits: 9446641
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ક્યાં માનવતાવાદી ડૉ કોટનીસ અને ક્યાં હિન્દુત્વવાદી બાબા રામદેવ …

રમેશ ઓઝા|Opinion - Opinion|5 July 2020

જૂન ૧૯૩૮ :

૧૯૩૮ની સાલ હતી. બીજું વિશ્વયુદ્ધ શરૂ થવામાં હતું, પરંતુ એ પહેલા જપાને ચીન ઉપર આક્રમણ કર્યું હતું. એ સમયે સુભાષચંદ્ર બોઝ કૉન્ગ્રેસના અધ્યક્ષ હતા અને તેઓ એમ માનતા હતા કે જો બીજું વિશ્વયુદ્ધ શરૂ થાય તો ભારતની કૉન્ગ્રેસ પાર્ટીએ અને પ્રજાએ જપાન-જર્મની-ઇટલીના ધરી દેશોની મદદ લઈને ભારતને આઝાદ કરવું જોઈએ. દુશ્મનનો દુશ્મન મિત્રનો ન્યાય અપનાવવો જોઈએ. આ બાજુ ચીનના લશ્કરી વડા જનરલ શું દેએ જવાહરલાલ નેહરુને પત્ર લખ્યો હતો કે જપાન સામે લડી રહેલા ચીની સૈનિકોની સારવાર સારુ અમને ડોકટરોની જરૂર છે. નેહરુએ એ પત્ર કૉન્ગ્રેસ પ્રમુખ સુભાષચન્દ્ર બોઝને પહોંચતો કર્યો હતો અને સુભાષબાબુએ ૩૦મી જૂન ૧૯૩૮ના રોજ એક નિવેદન બહાર પાડીને ચીન જઈને લશ્કરી સેવા આપનારા ડોકટરો માટે અપીલ કરી હતી.

સુભાષબાબુની અપીલને પાંચ ડોકટરોએ પ્રતિસાદ આપ્યો હતો. એક હતા અલ્હાબાદના ડૉ. એમ. અટલ, બીજા નાગપુરના ડૉ. ચોલકર, બે ડોકટરો કલકત્તાના હતા : ડૉ. બી.કે. બસુ અને ડૉ. દેબેશ મુખર્જી અને એક ડોક્ટર સોલાપુરના ડૉ. દ્વારકાનાથ કોટનીસ. આ પાંચ ડોકટરોને ચીન મોકલવા માટે જાહેર ફાળો ઉઘરાવવામાં આવ્યો હતો, જેમાં બાવીસ હજાર રૂપિયા જમા થયા હતા. આ પાંચ ડોક્ટરોએ ચીનમાં ખૂબ સેવા આપી હતી, જેમાં ડૉ. કોટનીસનો ચીન માટેનો પ્રેમ અનોખો હતો. થાક્યા વિના કલાકો સુધી તબીબી સેવા આપતા હતા. તેમણે ચીની ભાષા શીખી લીધી હતી અને ચીની મહિલા સાથે લગ્ન પણ કર્યાં હતા. ૧૯૪૨માં તેમને ઘરે દીકરો જન્મ્યો અને બીજા જ મહિને ડૉ. કોટનીસ વાઈની બીમારીમાં ગુજરી ગયા. યોગાનુયોગ એવો હતો કે જે મોરચે ડૉ. કોટનીસ સેવા આપતા હતા એ મોરચે સામ્યવાદી ચીનના સ્થાપક ચેરમેન માઓ ઝેદોંગ પણ હતા અને તેમણે ડૉ. કોટનીસનું ઋણ યાદ રાખ્યું હતું.

કઈ પ્રેરણાથી ડૉ. કોટનીસ અને બીજા ચાર ડોકટરો ચીન ગયા હતા? કોઈએ તેમને મોટો પગાર ઓફર નહોતો કર્યો. તેમના પ્રવાસ ખર્ચ માટે પણ ભારતમાં ફાળો કરવામાં આવ્યો હતો. તેમણે સેવા આપવાનું સ્વીકારીને જીવને જોખમમાં નાખ્યો હતો. તેમને ખબર હતી કે તેમને ગોળી વાગી શકે છે. તો પછી કઈ પ્રેરણા હતી? પ્રેરણા હતી સેવા કરવાની. ખાસ કરીને શક્તિશાળી પ્રજાઓ ગરીબ પ્રજા ઉપર જુલમ કરતી હોય ત્યારે જગતની તમામ શોષિત પ્રજાએ એકબીજાને મદદ કરવી જોઈએ એવી ભાવના હતી. એ ભાવનાની પ્રેરાઈને ચીન માટે ખપી જવા, એક નહીં, પાંચ ભારતીય ડોકટરો આગળ આવ્યા હતા. એ યુગમાં ભારતમાં ગાંધીનો પ્રભાવ હતો, જે શોષણમુક્ત અહિંસક સમાજની રચના કરવા માગતા હતા. એ પ્રભાવથી પ્રેરાઈને પાંચ ડોકટરો ચીન જવા તૈયાર થયા હતા. તેઓ ભારતમાં રહીને ડોકટરી પ્રેક્ટીસ દ્વારા ખૂબ પૈસા કમાઈ શક્યા હોત.

જૂન ૨૦૨૦ :

જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં બાબા રામદેવે બજારમાં દવા મૂકી અને દાવો કર્યો કે એનાથી કોરોનાની બીમારી મટી શકે છે. સરકાર સમક્ષ શરદી-ઉધરસની દવાની મંજૂરી મેળવીને તેને માટેની દવાને કોરોનાની દવા તરીકે રજૂ કરી. નામ રાખ્યું; ‘કોરોનીલ’ આયુર્વેદની દવા બનાવનારાઓ સામાન્ય રીતે તેમની દવાને સંસ્કૃત નામ આપતા હોય છે, જેમ કે અવિપત્તીકર ચૂર્ણ વગેરે. પણ અહીં તો ઝડપથી પૈસા કમાવા હતા એટલે નામ રાખ્યું કોરોનીલ.

સામાન્ય રીતે દવાઓની ચકાસણી થતી હોય છે અને તેના ત્રણથી-ચાર તબક્કા હોય છે. દવા બનાવ્યા પછી ઓછામાં ઓછા છ મહિના બજારમાં મુકતા થાય છે. અનેક ચકાસણીઓમાંથી પસાર થવું પડે છે અને દવા જો જીવનાવશ્યક હોય તો વિશ્વ આરોગ્ય સંસ્થાની પણ મંજૂરી લેવી પડે છે. આપણા બાબાએ રાજસ્થાનની એક હોસ્પિટલમાં કોરોનાના સો દરદીઓને તેમની દવા આપી. સેમ્પલ સાઈઝ માત્ર સો દરદીઓની. એ દરદીઓ કોણ હતા ખબર છે? સોએ સો કોરોનાના સિમ્પટમ્સ વિનાના (માઈલ્ડ પોઝીટીવ) હતા અને સોએ સો યુવાન હતા. બધા સારા થઈ ગયા અને દવા પાસ થઈ ગઈ.

આ માનવજાત સાથેની ઊઘાડી છેતરપીંડી હતી. એમાં માનવીની મજબૂરીનો લાભ લેવામાં આવ્યો હતો. મોતથી ડરતા માનવીને બચાવી લેવાના નામે ખંખેરવાનો ઈરાદો હતો. માત્ર અઢળક પૈસા કમાવા.

કોણ છે આ માણસ? સાધુ છે. ભગવા પહેરે છે. સંન્યાસી છે. દેશપ્રેમી છે. રાષ્ટ્રવાદી છે. હિંદુ છે. હિંદુધર્માભિમાની – આર્યસમાજી – હિન્દુત્વવાદી છે. અને છેતરપીંડી કરીને કોના ખિસ્સા ખાલી કરવાના હતા? ભારતના લગભગ ૮૫ ટકા હિંદુઓના!

આ ફરક છે માનવતાવાદી માનવી ડૉ. દ્વારકાનાથ કોટનીસમાં અને હિન્દુત્વવાદી દેશપ્રેમી બાબા રામદેવમાં. અંગ્રેજી શબ્દકોશનું સંપાદન કરનારા સેમ્યુઅલ જોહન્સન કહી ગયા છે કે, ‘દેશપ્રેમ ધુતારાઓનું આખરી આશ્રયસ્થાન છે.’

આંખ પરની છારી ઉતારવા માટે એટલું પૂરતું નથી? 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 જૂન 2020

Loading

5 July 2020 admin
← Mahatma Gandhi, Race and Caste
મુશ્કેલ સમયમાં (29) →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved