Opinion Magazine
Number of visits: 9452346
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતી ગઝલ વિશે

રવીન્દ્ર પારેખ|Opinion - Literature|19 May 2020

ગુજરાતીમાં ગઝલો ઘણી લખાય છે તેનો આનંદ છે, પણ લખાય છે તે ગઝલ જ છે તે અંગે વિચારવા જેવું છે.

કેટલાક સંજોગોમાં લઘુને સ્થાને ગુરુ નભી જાય, પણ ગુરુને સ્થાને લઘુ ન જ ચાલે તે નક્કી છે. જો આપણે ગુજરાતી ગઝલ લખતા હોઈએ તો ગઝલ ઉર્દૂ છે કે ગુજરાતી તે જોવું જોઈએ. જો ગુજરાતી વિકલ્પો મળતા હોય તો ઉર્દૂની ભરમાર વિશે વિચારવાનું રહે. ગુજરાતી ગઝલમાં હજી જનાજાઓ નીકળે છે, હજી જુર્મ થાય છે, હજી ઝુલ્ફો ઊછળે છે, દારૂબંધી છતાં હજી સાકી શરાબ વહેંચે છે. આ બધું ઉર્દૂ પરંપરાની નબળી નકલને કારણે ચાલે છે. આ હવે અટકવું જોઈએ.

આપણે જાણીએ છીએ કે ગઝલ બોલચાલની ભાષામાં લખાય છે. જો એ માનતા હોઈએ તો એ જોવાનું રહે કે સાધારણ રીતે નથી બોલાતા એવા શબ્દો તો ગઝલમાં નથી લખતાને! એક સમયે તુજ, મુજ, વિણ જેવા શબ્દો કવિતામાં લખાતા હતા, પણ એ હવે સામાન્ય વાતચીતમાં પણ બોલાતા નથી, તો એનો ઉપયોગ ટાળવો જોઈએ.

જો ગઝલ વાતચીતની ભાષામાં લખાતી હોય તો ગઝલકારોએ પાંડિત્ય પ્રગટ કરવાનું નથી તેનું ધ્યાન રાખવાનું રહે. અસંપ્રજ્ઞાત, સુવિદિત, અહર્નિશ, પ્રતાડિત, કર્ણ, ચક્ષુ જેવા શબ્દો સામાન્ય વાતચીતમાં વપરાતા નથી તો ગઝલમાં તેનો ઉપયોગ કારણ વગર કરવાનો અર્થ નથી. એ પણ સમજવાનું રહે કે ગઝલકાર, ઉપદેશક કે સલાહકાર નથી. તેનું કામ સંકેત આપવાનું છે. તે પરિસ્થિતિને સૂચવે ને ચમત્કૃતિ સાધે ત્યાં તેનું કામ પૂરું થઈ જાય છે. તે ઈલાજ બતાવે, કરવા ન બેસે. તે ઉકેલની દિશા સૂચવે, ઉકેલ ન બને. કોઈ પણ કવિતામાં સંગોપનનો મહિમા છે તે ગઝલમાં પણ છે, કારણ ગઝલ પણ કાવ્ય પ્રકાર છે.

ગઝલનો શે'ર બે પંક્તિઓથી બને છે એ સાચું, પણ રદીફ, કાફિયા જાળવીને બે પંક્તિ લખી દેવાથી શે'ર બનતો નથી. બે પંક્તિઓ એવી રીતે સંકળાવી જોઈએ કે તેમાંથી વિશેષ અર્થ નીપજે અથવા તો શે'રને અપેક્ષિત ચમત્કૃતિનો અનુભવ થાય. સર્જક માત્ર શબ્દકોશના શબ્દોનો જ ઉપયોગ કરે છે, પણ તે ત્યાં જ અટકી જતો નથી, તે શબ્દકોશના શબ્દને રક્તકોશમાં મૂકે છે ને રક્તને આંદોલિત કરે છે. એ આંદોલન કરુણા ને આનંદ પ્રગટાવે છે. એ આનંદ એટલે થાય છે કે પરિચિત શબ્દોનો અપરિચિત એવો અર્થ પ્રગટ થાય છે. સર્જક આ કામ કરે છે. તે પરિચિતમાંથી અપરિચિત એવું આનંદવિશ્વ ઊભું કરે છે. એટલે જ તો તેના વિશ્વનો તેને સર્જક કહ્યો છે.

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

19 May 2020 admin
← કામદારો માટે કોરોના કરતાં લૉક ડાઉન બદતર છે
લોકડાઉનમાં લોકો (ગો)ડાઉન? →

Search by

Opinion

  • સોક્રેટિસ ઉવાચ – ૧૧
  • પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?
  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved