Opinion Magazine
Number of visits: 9450140
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોના-કટોકટી મારગ ચીંધે છે

પાર્થ, પાર્થ|Opinion - Opinion|21 April 2020

કોરોનાનો ફેલાવો વધ્યો અને જાણે સમગ્ર વિશ્વ ધીમું પડી ગયું અથવા કંઈક કેટલું ય જાણે થંભી ગયું. કોરોનાને કારણે લોકો ઘરની બહાર નીકળતા નથી, પોતાના ઘરમાં પુરાયેલા છે. લોકોની ગાડીઓ પાર્કિંગમાં છે, વાહનો ચાલતાં નથી એટલે રસ્તાઓ પણ સૂમસામ બન્યા છે. વિમાનો એરપોર્ટ પર હેન્ગરોમાં પડ્યાં છે અને ઘણી ફૅક્ટરીઓ ધુમાડા ઓકતી બંધ થઈ ગઈ છે. જાણે કે શહેરોની ગતિ અથવા કહીએ કે જીવનની ગતિ ધીમી પડી ગઈ છે.

મનુષ્ય માટે ઘણી રીતે ઘાતક આ પરિસ્થિતિમાં માનવતા સામે ચોક્કસ પડકારો સર્જાયા છે. પરંતુ આ બધા વચ્ચે પણ ધરતીનાં બીજાં જીવો પોતાની ઈચ્છાઓ પૂરી કરી રહ્યાં છે, મુક્ત રીતે હરીફરી રહ્યાં છે. પ્રકૃતિ અને પર્યાવરણ જાણે ફરી શ્વાસ ન લઇ રહ્યું હોય તેવી ઘટનાઓ બની રહી છે.

• બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રથમ વખત હવા આટલી શુદ્ધ થઈ રહી છે. આ પહેલાં ૨૦૦૮માં મહામંદી સમયે હવાની ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો હતો. અત્યારની હવા છેલ્લાં ૭૫ વર્ષમાંની સૌથી વધુ શુદ્ધ હવા છે.

• દુનિયાભરનાં શહેરોમાં ૩૦ ટકા કે તેથી વધુ ટ્રાફિકમાં ઘટાડો નોંધાયો છે, જેના પરિણામસ્વરૂપ શહેરોની હવા પાંચ ટકાથી ૩૦ ટકા જેટલી શુદ્ધ બની છે.

• હવામાંથી હાનિકારક વાયુઓનું પ્રમાણ ઘટતાં આકાશ ચોખ્ખું દેખાવા લાગ્યું છે. રાત્રે નરી આંખે દેખાતા તારાની સંખ્યામાં વધારો થયો છે.

• દિલ્હીમાં ગત વર્ષના માર્ચ મહિનામાં હવાની ગુણવત્તાનો આંક ૧૫૬ હતો, તે આ વર્ષે ઘટીને ૭૭ રહ્યો છે.

• ભારતમાં, લૉક ડાઉનને કારણે ગંગા નદીના પાણીની ગુણવત્તામાં સુધારો થવા લાગ્યો. આઇ.આઇ.ટી., બનારસના કૅમિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર ડૉ. પી.કે. મિશ્રાના જણાવ્યા અનુસાર. ગંગાના પાણીમાં ૪૦-૫૦ ટકાનો સુધારો થયો છે.

• વન્ય પ્રાણી શહેરમાં ફરતાં હોય તેવા કિસ્સાઓ ભારત સહિત અન્ય કેટલાક દેશોમાં બની રહ્યાં છે. ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં હાથી ફરતો જોવા મળ્યો હતો. રાજ્યના શહેરી વિસ્તારોમાં વાઘ અને હરણ ફરતાં હોય તેવા સમાચાર મળી રહ્યા છે.

• દિલ્હી અને કાઠમંડુ જેવા મહાનગરોમાં લાંબા સમય પછી આવી શુદ્ધ હવા જોવા મળી છે. ભારતના જલંધર શહેરમાંથી હિમાલયની પર્વતમાળા વર્ષો પછી નરી આંખે જોઈ શકાય છે.

• હજી વધુ કેટલાક દિવસ આવી જ પરિસ્થિતિ ચાલશે તો જર્મની ૨૦૨૦માં પ્રદૂષણ ઘટાડવાનું પોતાનું લક્ષ્ય સિદ્ધ કરી લેશે.

• ઇટાલીના પ્રખ્યાત શહેર વેનિસમાં સામાન્ય દિવસોમાં લાખો પ્રવાસીઓ મુલાકાત લે છે. શહેરની સુંદરતાની સાથે, ગંદા પાણી અને જહાજોનું પ્રદૂષણ વેનિસની જાણે ઓળખ બની ગયું હતું. પરંતુ લૉક ડાઉનને કારણે વેનિસની નહેરોમાં પાણી સ્વચ્છ થયું છે. એટલું ચોખ્ખું કે નહેરનું તળિયું સ્પષ્ટ રીતે જોઈ શકાય અને તેમાં તરતી માછલીઓ પણ.

• થાઇલેન્ડના લોપબૂરીમાં આ દિવસોમાં વાંદરાં તોફાન કરી રહ્યાં છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, આજકાલ પ્રવાસીઓ આવતા નથી, તેથી વાંદરાંને પૂરતો ખોરાક મળતો નથી. આથી વાંદરાંઓનાં ટોળાં ખોરાક માટે એકબીજાં સાથે સતત ઝઘડતાં હોય છે.


યાદી હજી લાંબી થઇ શકે, પરંતુ આ ટૂંકા ગાળાની રાહતો છે. થોડી છૂટછાટ થશે કે ઉદ્યોગો ધમધમતા થઈ જશે. શહેરોના રસ્તા વાહનોના ઘોંઘાટથી ઉભરાઈ જશે. આપણે પણ પોતાનું જીવન પહેલાંની જેમ જ ગોઠવવામાં લાગી જઈશું અથવા વધુ ઉપભોગ માટેની દોટમાં પડી જઈશું.

જેમ માણસે પોતાના અને કુદરતના સંબંધ વિશે વિચારવાનું છે તે જ રીતે માણસ-માણસ વચ્ચેના સંબંધો અંગે પણ વિચારવું રહ્યું. કોરોના-કટોકટીના આ સમયમાં ડોક્ટરો, આરોગ્ય કર્મચારીઓ અને પોલીસની ભૂમિકા અને જવાબદારી અત્યંત મહત્ત્વની છે. તેમના વિશે ઘણું કહેવાયું પણ છે. પરંતુ તે સાથે લગભગ ૧૩૫ કરોડની વસ્તીવાળા ભારતમાં, કે જ્યાં માનવસંસાધનોની છત છે, આપણા માટે પાયાનાં કામ કરતાતી વ્યક્તિની મહેનતનું મૂલ્ય નજીવું છે અથવા નથી. મહેનત કરનારને સમાજમાં પૂરતું મહત્ત્વ પણ આપવામાં આવતું નથી. આપણી આસપાસ કેટકેટલી વ્યક્તિઓ નાનાં-નાનાં અને કેટલીક વખત કહેવાતાં ‘હલકાં’ કામો પણ કરે છે. જેથી આપણું જીવન સુખરૂપ ચાલે. પછી ભલે તે ઘરનાં કામમાં મદદરૂપ થતી વ્યક્તિઓ હોય ખાસ કરીને મહિલાઓ, કચરો ઉપાડતા કે સફાઈ કરતા કર્મચારી હોય, ડિલિવરી બૉય કે જે ઘરે ચીજ-વસ્તુઓ પહોંચાડે છે. આપણને જે સાધનોનો ઉપયોગ કરવાની ટેવ પડી ગઈ છે તે ચીજ-વસ્તુઓ કે સાધનો બગડે તેને બનાવનારા, રીપેર કરી આપનારા કારીગરો હોય. કંઈ કેટલી જરૂરિયાતો પૂરી કરતાં લારી-ગલ્લાંવાળાઓ કે નાના દુકાનદારો હોય, આપણા ખોરાકનું ઉત્પાદન કરતો ખેડૂત કે આપણા પરિવારની સ્ત્રીઓ હોય. આ બધાનાં પાયાનાં, અતિ મહત્ત્વનાં કામને આપણે સહજ માની લીધાં છે. વળી તેમની સામે રૂપિયાનું જોર બતાવવાનું આપણે ચૂકતાં નથી.

પરંતુ કોરોના કટોકટીના આ સમયમાં, ઘણાં લોકો (દરેક નહીં) તેમનું મહત્ત્વ સમજતા થયા છે. જાતે કામ કરીને કામનું મહત્ત્વ તો સમજાયું જ છે, સાથે નિયમિત રીતે (મજબૂરીમાં તો નહીં જ) તે કરવું કેટલું અઘરું છે તે સમજાઈ રહ્યું છે. આપણામાંના ઘણા લોકોએ આપણું જીવન સરળ બનાવતાં લોકો માટે ભૂતકાળમાં વિચાર્યું હશે કે? કોરોનાના જોખમ વચ્ચે પણ એવા લોકો હશે, જે જે સવાર-સાંજ પાણીનો પુરવઠો પહોંચે તે સુનિશ્ચિત કરતા હશે, શાકભાજી-ફળ ઘર સુધી પહોંચાડે છે, કચરો લેવા નિયમિત આવતા હશે.  આપણે માત્ર સ્વાર્થવૃતિ છોડીને પરસ્પરના સંબંધ અને જરૂરિયાત અંગે વિચારવું રહ્યું. વસ્તુ કે સેવાનું માત્ર નાણાંકીય મૂલ્ય ન આંકીને, તેનું જીવનમૂલ્ય સમજીને આગળ વધવાની જરૂર લાગતી નથી? સ્વસ્થ પર્યાવરણ અને સ્વસ્થ સમાજમાં આપણે સૌને જીવવું છે. પરંતુ આ અંગે બદલાવ આપણાથી શરૂ થશે. કોરોનાથી આપણી મર્યાદાઓ અને આપણી સામેના પડકારો સામે આવ્યાં છે. સમય મળ્યો છે વિચાર અને મંથન કરવાનો. બીજો કોઈ કોરોના આવે તે પહેલાં આપણે વધુ સારું પર્યાવરણ અને વધુ સારો સમાજ બનાવવાની દિશામાં નાનાં પણ ડગ માંડીશું? આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવી શકીશું કે નહીં?                        

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 21 ઍપ્રિલ 2020

Loading

21 April 2020 admin
← પી.એમ. કૅર્સ ફંડ અને વડા પ્રધાન રાષ્ટ્રીય રાહતફંડ : બંને ખાનગી અને અપારદર્શક
મુશ્કેલ સમયમાં… →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved