Opinion Magazine
Number of visits: 9447219
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોના વચ્ચે નાગરિકલક્ષી પત્રકારત્વના પડકાર

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|14 April 2020

મહામારી વખતની આવશ્યક સેવાઓમાં પત્રકારત્વનો સમાવેશ થાય છે, એટલી હજુ સરકારની દયા છે. બાકી સરકારની મનોવૃત્તિ તો એવી છે કે તમારે સ્વતંત્ર રીતે સમાચારની શી જરૂર છે? અમે રોજ સોશિયલ મીડિયા પર જે કહેવાનું છે તે કહી દઈશું (અને અમારાથી જે સીધું કહેવાય એમ નથી તેના માટે સાયબર સૅલ તો છે જ).

હા, વૈશ્વિક મહામારી વચ્ચે પણ સરકારની મૂળભૂત મનોદશા બદલાઈ નથી. આવા પ્રસંગે ‘સરકાર’ની વાત કરીએ, તો તેમાં મુખ્ય બે ભાગ પડેઃ વાઇરસની સામે કામ કરતું સરકારી તંત્ર અને બીજું, હેડલાઇન મેનેજમેન્ટ કરતું એટલે કે સરકારની છબી-સરકારના પક્ષીય એજૅન્ડાનું ધ્યાન રાખતું તંત્ર. સરકારો એવું માનતી લાગે છે કે આવા કપરા વખતમાં સુઆયોજિત રીતે કોમવાદ-કોમવાદ રમાય અને ધ્રુવીકરણનો એજેન્ડા ફેલાતો રહે તે ચાલે, પણ નાગરિકોએ તેની વાત નહીં કરવાની. એ એજેન્ડા ફેલાવવામાં સહકાર આપી શકાય તો ચાલે, પણ એની સામે આંગળી ચીંધીને વિરોધ કરનારને ઠપકો મળે, ‘આવા વખતમાં પણ તમને રાજકારણ સૂઝે છે?’

પત્રકારો માટે પણ આ સમય પડકારરૂપ છે. આરોગ્યનો પડકાર તો ખરો જ, પણ કયા સમાચાર લખવા અને ખાસ તો કયા સમાચાર ન લખવા — તેમાં જવાબદારીના બહાને તેમની પર લદાયેલા અને જાહેરમાં જેની ચર્ચા થતી નથી એવા અંકુશોનો પાર નથી. સરકારની માળખાગત અને તે કરતાં પણ વધારે તો ઇરાદાગત મર્યાદાઓ ચીંધવાનું મુખ્ય ધારાના પત્રકારો માટે વધુ ને વધુ અઘરું બની રહ્યું છે. ભયપ્રેરિત કે લાલચપ્રેરિત પ્રેમથી માલિકોની અને સરકારની એક ધરી થઈ જાય, ત્યારે સરકારો ફાયદામાં રહે છે અને નાગરિકો નુકસાનમાં. સામાન્ય સંજોગોમાં પૂરબહારમાં ચાલતો આ ખેલ મહામારી વખતે પણ અટક્યો નથી, એવું સાંભળવા મળે ત્યારે સરકારી મર્યાદા અને ખાસ તો ઇરાદા વિશેની ટીકાટિપ્પણી ઓર જરૂરી બની જાય છે. એવે વખતે પૉઝિટિવ થિંકિંગની વાતોનો મતલબ છે નાગરિકહિતવિરોધી પ્રચારમાં જાણે-અજાણે સંડોવાવું, નાગરિકલક્ષી પત્રકારત્વનું ગળું દબાવવું. એ કામ નાગરિકો જાતે જ કરતા હોય, તો સરકારોને બીજું શું જોઈએ?

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 13 ઍપ્રિલ 2020

Loading

14 April 2020 admin
← કોરોનાસંકટમાં વિકેન્દ્રિત વ્યવસ્થાનું દર્શન
ધાડ ફિલ્મ ખરેખરા કચ્છનું છેલ્લું દસ્તાવેજીકરણ છે →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved