Opinion Magazine
Number of visits: 9446258
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોના પછીની દુનિયા : એકહથ્થુ જાપ્તો કે નાગરિક સશક્તિકરણ?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 April 2020

કોરોના વાઈરસ માત્ર સ્વાસ્થ્યને લગતી જ બીમારી નથી, પરંતુ આપણે ભવિષ્યમાં કેવી રીતે જીવીશું અને આપણી સામાજિક અને રાજકીય વ્યવસ્થાઓ કેવી રીતે કામ કરશે, તે પણ આ મહામારી નક્કી કરશે. આપણે આ મહામારીનો સામનો કરી લઈશું, આપણે તેની સારવારને પણ શોધી લઈશું, પરંતુ આજથી એક દાયકા પછી, આપણી દુનિયા એ નહીં હોય, જે આજે છે. કોરોના વાઇરસે દુનિયાના મૂળભૂત માળખામાં બુનિયાદી પરિવર્તનો લાવી દીધાં હશે. વ્યક્તિગત સ્તરે આજે આપણી પ્રાથમિકતા આપણાં સ્વાસ્થ્ય માટેની છે, તે સમજી શકાય તેમ છે, પરંતુ સામૂહિક કે વૈશ્વિક સ્તરે તેની શું અસર પડશે, તે જાણવું પણ એટલું જ અગત્યનું છે.

બેસ્ટ સેલર પુસ્તક 'હોમો સેપિયન્સ: માનવજાતિનો સંક્ષિપ્ત ઈતિહાસ'ના લેખક અને ઇઝરાયેલી ઈતિહાસકાર યુવલ નોઆ હરારીએ, લંડનના ‘ફાયનાન્સિયલ ટાઈમ્સ’ સમાચારપત્રમાં, કોરોના વાઈરસ પછીના ભવિષ્યની કલ્પના કરી છે. અહીં તેમના થોડા વિચારો રજૂ કર્યા છે, જે તમને કોરોના વાઈરસની બીમારીને વ્યાપક દ્રષ્ટિકોણ જોવામાં મદદ કરશે.

તેઓ કહે છે કે આ વૈશ્વિક કટોકટીમાં લોકો અને સરકારો નજીકના ભવિષ્યમાં કેવાં પગલાં ભરે છે, તેના પર આવતીકાલની અર્થવ્યવસ્થા, રાજકીય અને સામાજિક સ્થિતિ આધાર રાખે છે. આપણે ઝડપથી પગલાં ભરવાં પડશે, પરંતુ તેના લાંબાગાળાનાં પરિણામોની પણ ચિંતા કરવી પડશે. આપણે જે પગલાં ભરીશું, તેનાથી મહામારીમાંથી ઉભરવામાં મદદ મળશે, પરંતુ એમાં જમ ઘર ભાળી જાય, તેવી શકયતા પણ છે.

હરારી કહે છે કે કટોકટીમાં લેવામાં આવેલાં ટૂંકા ગાળાનાં પગલાં કાયમ માટે રહી જાય, તેનો એક ઇતિહાસ છે. કટોકટીની પરિસ્થિતિઓની લાક્ષણિકતા છે કે સામાન્ય સંજોગોમાં જે નિર્ણય લાગુ કરતાં વર્ષો લાગે, તે કટોકટીનાં નામે કલાકોમાં અમલી બની શકે છે. સામાન્ય સંજોગોમાં આઘી રાખવામાં આવેલી ખતરનાક ટેકનોલોજીઓ કટોકટીના સમયમાં બહુ સરળતાથી સક્રિય કરી શકાય છે, કારણ કે તેની સામે કોઈ વિરોધ થતો નથી અને લોકો પણ સહજ રીતે તેનું સમર્થન કરે છે. આખાને આખા દેશો મોટા પાયે સામાજિક-પ્રયોગો માટે બલીના બકરા બની જાય છે. લોકો ઘરેથી કામ કરતા થાય અને દૂરથી જ વાત કરતા થાય, તો શું થાય? તમામ સ્કૂલો અને યુનિવર્સિટીઓ ઓન-લાઈન કામ કરતી થાય, તો શું થાય? સામાન્ય સંજોગોમાં, સરકારો, ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ આવો પ્રયોગ ના કરવા દે, પણ સંજોગો સામાન્ય નથી.

હરારી કહે છે કે વિશ્વ સામે બે નોંધપાત્ર વિકલ્પો મ્હોં ફાડીને ઊભા છે; એક વિકલ્પ એકહથ્થુ જાપ્તો (ટોટેલિટેરીઅન સર્વેલન્સ) અને નાગરિક સશક્તિકરણ (સિટિઝન એમ્પાવરમેન્ટ) વચ્ચે છે, અને બીજો વિકલ્પ રાષ્ટ્રવાદી અળગાપણું (નેશનાલિસ્ટિક આઈસોલેશન) અને વૈશ્વિક એકતા વચ્ચે છે. આપણે આમાંથી શું પસંદ કરીએ છીએ, તેના પર આપણા ભાવિનો આધાર છે.

કઠોર જાપ્તાવાળી વ્યવસ્થા :

મહામારીને રોકવા માટે થઈને, આખી વસ્તીએ અમુક પ્રકારના નિયમો પાળવા જરૂરી બની જાય છે. એ માટેના બે રસ્તા છે; એક રસ્તો એ છે કે સરકાર લોકો પર જાપ્તો રાખે અને જે લોકો નિયમ તોડે, તેને સજા કરે. આજે આપણી પાસે એવી ટેકનોલોજી છે કે સરકારો દરેક લોક પર હર સમય નિગરાની રાખી શકે. હરારી સોવિયત સંઘનું ઉદાહરણ આપીને કહે છે કે પચાસ વર્ષ પહેલાં, (સોવિયત ગુપ્તચર સંસ્થા) કે.જી.બી. પાસે ના તો એવી તાકાત હતી કે ૨૪ કરોડ લોકોની પાછળ-પાછળ ફરી શકે કે ના તો એટલા બધા લોકોની માહિતીઓનું વિશ્લેષણ કરી શકે. ત્યારે કે.જી.બી. એજન્ટો અને વિશ્લેષકો પર આધાર રાખતું હતું. આજે સરકારો કોટ-પેન્ટ અને ચશ્માં પહેરેલા એજન્ટોને બદલે સાધારણ લાગતાં સેન્સર્સ અને શક્તિશાળી અલગોરિધમની મદદથી આ કામ કરી શકે છે.

હરારી લખે છે કે કોરોના વાઈરસ સામેની લડાઈમાં ઘણી સરકારોએ નવા પ્રકારનાં જાસૂસી યંત્રો ગોઠવ્યાં છે. એમાં નોંધપાત્ર ચીન છે. લોકોના સ્માર્ટફોન પર નિગરાની રાખીને, ચહેરાઓ પહેચાનતા લાખો કેમેરાઓ ગોઠવીને તથા લોકોને તેમના બોડી ટેમ્પરેચર અને મેડિકલ પરિસ્થિતિની જાંચ કરાવવાની ફરજ પાડીને ચાઇનીઝ સત્તાવાળાઓ બહુ ઝડપથી કોરોના વાઇરસ ધરાવતા શંકાસ્પદ લોકોને ઓળખી કાઢે છે એટલું જ નહીં, તે લોકોની તમામ ગતિવિધિ પર નજર રાખીને તે કોના સંપર્કમાં આવ્યા હતા, તેની માહિતી પણ એકઠી કરે છે. ચીનમાં એવી અનેક મોબાઇલ એપ્લીકેશન્સ છે, જે નાગરિકોને શંકાસ્પદ રોગીઓથી દૂર રહેવાની ખબર આપે છે.

આ પ્રકારની ટેકનોલોજી ઇઝરાયેલમાં આતંકવાદી સામે લડવા માટે પણ છે, પરંતુ પ્રધાનમંત્રી નેતન્યાહુએ કોરોનાના દર્દીઓઓ પર નજર રાખવા માટે તેનો ઉપયોગ કરવાની છૂટ આપી છે. કોઈ તેવી દલીલ કરી શકે કે આવી મહામારીથી બચવા માટે આકરાં પગલાં જરૂરી હોય છે, પરંતુ આ પ્રકારની નિગરાનીમાં એક મહત્ત્વનો ફર્ક એ આવ્યો છે કે અગાઉ તમે તમારા મોબાઇલના સ્ક્રીન પર કોઈ લીંક પર ક્લિક કરો, તો સરકારને એ જાણવામાં રસ હતો કે તમે શું ખોલીને વાંચ્યું છે. કોરોના વાઈરસમાં સરકારને જે તમારી આંગળીમાં કેટલું ટેમ્પરેચર અને કેટલું બ્લડ-પ્રેસર છે, તે જાણવામાં રસ છે. મતલબ કે અગાઉ શરીરની બહાર જાપ્તો રાખવામાં આવતો હતો, હવે શરીરની અંદર રાખવામાં આવે છે.

ટેકનોલોજીઓ અત્યંત તેજ ગતિએ વિકસી રહી છે. હું ક્યા સમાચાર વાંચું છું અને મારા રાજકીય વિચારો કેવા છે, હું કોઈ વીડિઓ જોઉં તો મારા બોડી ટેમ્પરેચરમાં, બ્લડ પ્રેસરમાં અને હૃદયના ધબકારામાં શું ફેરફાર થાય છે, હું ક્યારે હસું છું, ક્યારે ગુસ્સો કરું છું અને ક્યારે દુઃખી થાઉં છું, તે જાણવામાં સરકારોને રસ છે. મને તાવ આવે કે ખાંસી આવે, તેવી જ રીતે મને સુખમાં હસવાનું અને દુઃખમાં રડવાનું પણ આવે. સરકારને માત્ર મારી ખાંસીમાં જ રસ હશે, એવું માનવું ભૂલ ભરેલું છે. મારા વ્યક્તિત્વને જાણવામાં સરકારો અને કોર્પોરેશનોને રસ પડે છે. આખા દેશની પ્રજાનો આવો ડેટા સરકારો માટે બહુ કામનો છે. તે વિરોધીઓને ઓળખી શકે અને તેમને ‘સીધા’ કરવા માટે પગલાં ભરી શકે. બાયોમેટ્રિક પદ્ધતિથી એ પણ જાણી શકાય કે પ્રેસિડેન્ટ-પ્રાઈમ મિનિસ્ટરનું ભાષણ સાંભળીને મને મજા પડી કે આક્રોશ આવ્યો. ગુસ્સો આવ્યો હોય તેવી સરકારને ખબર પડે, તો વાત ગઈ.

કોરોના વાઈરસને પકડવા માટે ગોઠવવામાં આવેલા આવા બાયોમેટ્રિક જાપ્તાઓ કહેવા માટે કામચલાઉ હોય છે, પરંતુ એકવાર મહામારી દૂર થઇ જાય, પછી સરકારો ગોઠવાયેલી વ્યવસ્થાઓને હટાવતી નથી. હરારી કહે છે કે ઇઝરાયેલમાં ૧૯૪૮ના સ્વતંત્રતા યુદ્ધવેળા જાહેર કરવામાં આવેલાં કટોકટીનાં ઘણાં પગલાં આજે પણ અમલમાં છે. માણસોની પ્રાઈવસીને લઈને એક મોટો ઝઘડો ચાલે છે અને કોરોના વાઈરસના સમયમાં સરકારો ‘સ્વાસ્થ્ય-કટોકટી’ ઘોષિત કરીને માણસોની પ્રાઈવસીમાં ઘૂસ મારશે. લોકોને તમે પ્રાઈવસી કે સ્વાસ્થ્ય? એવી ચોઈસ આપો, તો સ્વાભાવિક રીતે જ લોકો સ્વાસ્થ્ય પસંદ કરશે અને પ્રાઈવસી જતી કરશે.

હરારી કહે છે કે આ ગલત ચોઈસ છે. આપણે પ્રાઈવસી અને સ્વાસ્થ્ય બંનેના આનંદ લઇ શકવા જોઈએ. તેના માટે નાગરિક સશક્તિકરણનો બીજો રસ્તો છે. દક્ષિણ કોરિયા, તાઈવાન અને સિંગાપોર જેવા દેશોએ લોકોની ઓછામાં ઓછી જાસૂસી કરીને અને કોરોના વાઈરસનું વધુને વધુ ટેસ્ટીંગ, રિપોર્ટીંગ અને લોક-જાગૃતિ કરીને મહામારીને કાબૂમાં રાખી છે.

ઉપર બેઠેલી સરકાર બધા લોકો પર જાપ્તો રાખે અને આકરો દંડ કરે, એ એક જ ઉપાય નથી. લોકોને વૈજ્ઞાનિક તથ્યો આપવામાં આવે અને લોકોને વિશ્વાસ હોય કે સત્તાધારીઓ તેમને સત્ય કહી રહ્યા છે, તો લોકો જોર-જબરદસ્તી વગર યોગ્ય રીતે જ વર્તે છે. જાપ્તા હેઠળની અજ્ઞાની પ્રજાની સરખામણીમાં જાતે જ સભાન અને જાણકાર પ્રજા વધુ સશક્ત અને અસરકારક હોય છે.

(પ્રગટ : ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 05 ઍપ્રિલ 2010)

Loading

6 April 2020 admin
← લૉકડાઉન-થાક
કટોકટીની ક્ષણો →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved