અમે દસ દસ મણ અગ્નિ લખી કાઢ્યું છે કાગળમાં જી,
છાતીના ઝગડામાં લાગણી ડૂબતી અતલ સાગરમાં જી.
હું પ્રથમ અમસ્તો માત્ર જોતો રહ્યો વાત કંઈ પણ ન હતી,
કોરો કાગળ ફાટી આંખ, સળગી ઉઠ્યા હાથ મુઠ્ઠીમાં જી.
મીરાં નામની નદી ઉપડી પાંપણે; લોચન મારાં ઝાલી,
જીવન જ્વાળા મહીં ઈંધણ, નિર્દોષ અબોલા આંખોમાં જી
પત્ર હું લાખ લખું એવા, હૃદયની ઉર્મિઓ ખાલી કરી નાખું,
નિહાળું ઝલક પ્રણય ગોઠડીની, જીવનની કહાણીમાં જી.
પ્રેમની વાતો, હૃદયની લાગણીઓ એકાંતમાં દિલ ડંખે છે,
લાગણીના ભારથી લચકાતી શાયરી પત્રના પાલવમાં જી.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


અંગ્રેજી સલ્તનતનો ભારતમાં પાયો નખાયો ત્યારે થોડાં વર્ષ સુધી તો પ્રજાએ ગુલામી વેઠી લીધી, પણ પછી જુલમો વધવા માંડ્યા તેમ તેમ અહીંની પ્રજાએ પણ માથું ઊંચકવા માંડ્યું. દેખીતું છે કે તે અંગ્રેજી વાઇસરોયોને માફક ન જ આવે. એ માથાં કચડવા તે વખતના જજ જેમ્સ સ્ટીફને 1870માં ઇંડિયન પિનલ કોડ(આઇ.પી.સી.)ની કલમમાં 124-એ નામની એક કલમ રાજદ્રોહને નામે ઉમેરી. ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ભારતના નેતાઓ સામે એ કલમનો ઉપયોગ થયો. આ કલમ હેઠળ ભગત સિંહ, લોકમાન્ય તિલક, ગાંધી, નહેરુ જેવાઓ સામે કામ ચલાવવામાં આવ્યું. જો કોઈ વ્યક્તિ સરકાર વિરુદ્ધ લખે કે બોલે ને એ દ્વારા સરકાર વિરુદ્ધ ઉશ્કેરણી કરે કે એમ કરવાનો પ્રયત્ન કરે તો તે આ કલમ હેઠળ દોષિત ઠરે છે. આ બિનજામીન પાત્ર ગુનો છે ને તેને માટે 3 વર્ષની જેલથી તે આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. આમાં દંડની જોગવાઈ પણ છે. આ કાયદો અંગ્રેજોના વખતમાં હતો ને સરકારનો કોઈ વિરોધ ન કરે એટલે અમલમાં આવ્યો હતો.