
તેમનું નામ શારદા રાવ. કામ પણ આખી જિંદગી એ જ કર્યું. આપણી માતા સરસ્વતી હાથમાં વીણા લઈને બેસે એવું ચિત્ર, એવી મૂર્તિ આપણા માનસપટ પર છે તો આ શારદાબહેનને પણ ત્રણ પેઢીએ હાથમાં તંબૂર લઈને ગાતાં, ગાયનમાં લીન થઈ જતાં, ડૂબી જતાં જોયા છે અને એ ડૂબવું, એ નિમજ્જન ભાવકોએ પણ અનુભવ્યું છે. ગુજરાતમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના જે કેટલાક વરિષ્ઠ સંગીત ગુરુઓ છે તે પૈકીના આ શારદાબહેન એક છે. ૧૪ જુલાઈ, ૧૯૩૮ના રોજ એમનો જન્મ. નાનપણથી જ સંગીત માટે લગાવ, તે વધતી વયની સાથે વધતો રહ્યો અને તેઓ અખિલ ભારતીય ગાંર્ધવ મહાવિદ્યાલય જેવી માતબર સંગીત સંસ્થામાંથી સંગીત વિશારદ થયાં. માસ્ટર નવરંગ નાગપુરકરનાં શિષ્યા તરીકે જે સંસ્કાર તેમને મળ્યા તે તેમણે પછીથી પોતાના શિષ્યોને પણ આપ્યા.
સંગીતને સિમાડા નડે નહીં તો સંગીતજ્ઞને કયાંથી નડે? મુંબઈમાં જે વિદ્યા પ્રાપ્ત કરી તે ગુજરાતના મીઠાપુરમાં વિદ્યાર્થીઓને આપી. અખિલ ભારતીય ગાંર્ધવ મહાવિદ્યાલયના કેન્દ્રમાં તેમણે ચારસો વિદ્યાર્થીઓને વિના મૂલ્યે મૂલ્યવાન સંગીતના પાઠ શીખવ્યાં. ર૦૦૦ના વર્ષમાં અમદાવાદ ખાતે તેમણે સંગીત નાટય અકાદમીના ઉપક્રમે આપેલું લેકચર–ડેમોન્સ્ટ્રેશન ઘણું વખણાયું હતું એટલું જ નહીં તેના પરથી અનેક લોકોએ પોતાના અભ્યાસ માટેનું આચમન મેળવ્યું હતું.
મંચ પરથી શારદા રાવનું નામ અને સ્વર બંને ગુંજતા રહ્યાં છે તો ઑલ ઇન્ડિયા રેડિયોના વિવિધ કેન્દ્રો પરથી તેમનું કંઠ કૌશલ્ય પાંચ દાયકાઓથી શ્રોતાઓએ ઝીલ્યું છે. ૧૯પરથી તેઓ આકાશવાણી–ઑલ ઇન્ડિયા રેડિયોના 'એ’ ગે્રડના કલાકાર તરીકે સ્થાન પામ્યાં છે. અત્યંત કઠિન અને જવલ્લે પ્રસ્તુત થતા રાગો તેમણે શ્રોતાઓને સંભળાવ્યાં છે. ગ્વાલિયર ઘરાનાના ગાયિકા શારદા રાવે પોતાના ગળાને આ ઘરાનાનું ઘર બનાવ્યું છે જાણે આકાશવાણી પરથી પ્રસારિત થતાં સંગીતના રાષ્ટ્રીય કાર્યક્રમો, અને મંગળવારની સંગીત સભામાં પણ શારદા રાવના કંઠનો જાદુ લોકોએ માણ્યો છે.
ગુજરાતમાં દર વર્ષે યોજાતા 'તાનારીરી’ મહોત્સવ, બૈજુ બાવરા સંગીત સમારોહમાં પણ શારદા રાવ રજૂઆત કરી ચુકયાં છે. દેશમાં વિવિધ સ્થળે અને વિવિધ સ્તરે યોજાતા યુવક મહોત્સવો, સંગીત સ્પર્ધાઓમાં શારદા રાવે નિર્ણાયક તરીકેની ભૂમિકા પણ સુપેરે ભજવી છે. જેમાં રાજકોટના પુજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના કાર્યક્રમથી માંડીને ઓમકારનાથ ઠાકુર સ્પર્ધા સહિતની સ્પર્ધાઓનો સમાવેશ છે. તેમની બે કેસેટ પણ ભાવકો સુધી પહોંચી છે.
ગુજરાતમાં તથા રાજય બહાર પણ અનેક સ્થળોએ તેમણે રજૂઆત કરી છે. તો 'ૠતુ’ નૃત્યનાટિકાનું નિર્દેશન તેમની સંગીત યાત્રાનો મહત્ત્વનો પડાવ છે. ગુરુના આર્શીવાદ, શ્રોતાઓની તાળી અને ભાવકોની સરાહનાએ તો શારદા રાવની કળાને સતત ગાતાં રહેવા પ્રેર્યાં છે, પરંતુ સમયાંતરે થયેલા યથોચિત સન્માન, ઍવોર્ડ પણ તેમની કળાની વિવિધ સંસ્થાઓએ કરેલી યોગ્ય કદર છે. શારદા રાવને ર૦૦૧માં રાજ્યપાલના હસ્તે ગુજરાત ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો તે પહેલાં ભારતીય 'હુઝ હુ’માં શાસ્ત્રીય સંગીત ક્ષેત્રમાં તેમનું નામ સામેલ થયું હતું અને રાજકોટની સરગમ કલબ, અર્જુનલાલ હિરાણી સોસાયટી ઑફ પરફોર્મિંગ આર્ટ્સ તરફથી પણ તેમનું સન્માન થયેલું છે. 'ફુલછાબ’ દૈનિક દ્વારા અપાતા એર્વોડમાં શારદા રાવનો સમાવેશ 'જ્વેલ ઓફ કલાસિકલ મ્યુઝિક ઓફ રાજકોટ'માં કરાયો હતો.
શારદા રાવનું ર૧ ફેબુ્રઆરીના રોજ રાજકોટમાં અવસાન થયું. ભારતીય શાસ્ત્રીય સંગીતનાં એક વરિષ્ઠ ગાયકની શ્રોતાઓને ખોટ પડી.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2022; પૃ. 15 તેમ જ 12
![]()


ક્રીશ્ચિયાનિટીનો પ્રાથમિક અભ્યાસ કર્યા બાદ ગાંધીજીને પ્રતીતિ થઇ કે માત્ર જીસસ પરમ પિતા પરમેશ્વરનો પુત્ર છે એ માનવું મુશ્કેલ છે. જો ઈશ્વરને પુત્રો હોય તો આપણે બધા તેના પુત્રો – સંતાનો છીએ. તેમનું તાર્કિક દિમાગ એ માનવાને રાજી નહોતું કે જીસસે પોતાના વધ અને રક્તથી દુનિયાને પાપમાંથી મુક્તિ અપાવી. વળી ખ્રિસ્તી ધર્મની માન્યતા પ્રમાણે માત્ર માનવીમાં જ આત્મા વસે છે અને બીજા કોઈ જીવોમાં આત્મા નથી હોતો અને તેથી એ જીવો માટે મૃત્યુ એ જીવનનો સદંતર અંત હોય છે, જ્યારે ગાંધીજીની માન્યતા અલગ હતી. અલબત્ત, ગાંધીજી જીસસને એક શહીદ, બલિદાનની મૂર્તિ અને એક દૈવી ગુરુ તરીકે જરૂર સ્વીકારતા હતા. પરંતુ કદી ન જન્મ્યા હોય તેવા પૂર્ણ પુરુષ નહોતા સ્વીકાર્ય. જીસસનો શૂળી પર ચડાવીને વધ કરવામાં આવ્યો એ દુનિયા માટે બલિદાનનું એક અપૂર્વ ઉદાહરણ હતું, પણ તેમાં કોઈ ચમત્કાર કે ગૂઢ રહસ્ય હોય એ તેમનું હૃદય સ્વીકારતું નહીં. ખ્રિસ્તી ધર્મને અનુસરનારા પવિત્ર પુરુષોનાં જીવન અન્ય ધર્માનુરાગી જેવાં જ પાવન હોવાની તેમની માન્યતા હતી. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ મૂલવતા તેમને ક્રીશ્ચિયાનિટીના સિદ્ધાંતોમાં કશું અસાધારણ ન લાગ્યું. બલિદાન આપવાના દૃષ્ટાંતો હિન્દુ ધર્મમાં અનેક મળી આવે છે. તેમના મતે ક્રીશ્ચિયાનિટી સંપૂર્ણ અને બીજા ધર્મો કરતાં ચડિયાતો છે એ સ્વીકારવું શક્ય નહોતું.
હાઇડેગરના દર્શનનો પ્રારમ્ભ ઍરિસ્ટોટલના એમણે કરેલા અધ્યયનથી થાય છે. ’ધ મૅટાફિઝિક્સ’-માં ઍરિસ્ટોટલે એક આગ્રહ વ્યક્ત કર્યો છે. કહે છે, એ તત્ત્વને જાણવું જરૂરી છે જે હોવાપણાની, એટલે કે સત અથવા બીઇન્ગની, શક્ય બધી જ અવસ્થાઓને જોડી આપતું હોય. એ તત્ત્વને ‘is-ness’ કહ્યું છે.