કાયા કંતાન થઈ ગઈ
એની ય
એમને ખબર પડવા ના દીધી.
એવા એ લોકો
જબરા જાદુગર !
એમના કિલ્લાની બહાર
એ લોકો જઈ શક્યા હોત
પણ
એમની જાદુગરીએ જ
એમને જકડી રાખ્યા !
અંતે
કડડભૂસ કિલ્લો થયો
ને એ જાદુગરો ય
અદૃશ્ય થઈ ગયા –
ને એ લોકે
માથે આકાશ જોયું
ને સૂરજ ઝળહળતો જોયો,
ત્યારે જ એમને થયું
કે લ્યા ! આટલું આયખું
આમ જ કાઢ્યું ?
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2021; પૃ. 11
![]()


સંસદના સત્ર દરમ્યાન કૃષિબિલના રાષ્ટ્રપતિના સંબોધન પછી, વિપક્ષે ઉઠાવેલા મુદ્દાઓનો જવાબ આપવાના બદલે કોઈ ચૂંટણીની સભાને સંબોધતા હોય એમ પ્રધાન મંત્રીએ જબરજસ્ત ભાષણ ઠપકાર્યું. એમની શબ્દરમતની શૈલીમાં હળાહળ જૂઠાણું હોય છે – એ નાનું છોકરું ય જાણતું થઈ ગયું છે, જેમ કે એમણે કિસાન આંદોલનની હવા કાઢી નાખતાં હોય એમ કહ્યું એમ.એસ.પી. હતો, છે અને રહેશે. અરે સાહેબ! હાલમાં જ તમે સુપ્રીમ કોર્ટમાં ઍફિડેવિટ કરી છે કે એમ.એસ.પી. આપી શકાય તેમ નથી! તમે કહો છો કે કૃષિકાનૂન પાછા ન ખેંચી શકાય. પણ આંદોલન થતાં સત્તર સુધારા કરવાની ફરજ કેમ પડી? એવી ઉતાવળે ધ્વનિમતથી બિલ પાસ કેમ કર્યું? તમે હંમેશાં કાચું કાપો છો, અને પછી એનું તર્કશાસ્ત્ર ઊભું કરો છો! નોટબંધી એનું સર્વોત્તમ ઉદાહરણ છે. વિપક્ષ તો ઠીક પણ પક્ષનું ય નહીં સાંભળવું અમને વિભીષણની યાદ આપે છે. હાલમાં કેટકેટલા સાંસદો, ધારાસભ્યોએ જાહેરમાં અને ખાનગીમાં તો એથી વિશેષ કૃષિબિલનો વિરોધ કર્યો છે. જે તમારા કે તમારા સાથીપક્ષના ઉમેદવારો છે.