પ્રતિકાવ્ય
ગમતાનો કરીએ ગુલાલ!
ડોનાલ્ડ ટ્રંપ તો તેને રે કહીએ
જે પીડ પરાઇ માણે રે
પર દુ:ખે ઉપહાસ કરે તો યે
લાજ શરમ નવ જાણે રે
સકળ લોકમાં સહુને નિંદે
ચિંતા ન કરે કેની રે
વાચ કાજ મન ચંચળ રાખે
લાજે જનની તેની રે
કમ દ્રષ્ટિ ને તૃષ્ણા ભારી
હર પરસ્ત્રી જે ઝંખે રે
જિહ્વા થકી કદી સત્ય ન બોલે
પરધન માટે ડંખે રે
મોહ માયા છાંડે નહીં જેને
કામ ક્રોધ જેના મનમાં રે
ટ્રંપ નામ શું તાળી રે લાગી
સકળ નરક તેના તનમાં રે
મહા લોભી ને કપટ ભરીત છે
દયા ધરમ તો નિવાર્યા રે
ભણે કિશોરિયો તેના દરશન કરતાં,
કુળ ઇકોતેર બાળ્યા રે
પ્રેષક : ભારતીબહેન મલ્લિક
![]()





ગુજરાતની અસ્મિતાની વ્યાપક ભાવનાને કારણે જ ૧૯૨૬માં મુનશીએ અમદાવાદની ગુજરાતી સાહિત્ય પરિષદનું આઠમું અધિવેશન મુંબઈમાં યોજવાનું આમંત્રણ પોતાની સાહિત્ય સંસદ દ્વારા આપ્યું. ત્યાં સુધીમાં મુંબઈમાં મુનશીનો વિરોધ કરનારાં જૂથો સક્રીય થઈ ચૂક્યાં હતાં. મુનશીએ જેમાં નવલકથાલેખનની શરૂઆત કરેલી તે ‘ગુજરાતી’ સાપ્તાહિક અને ગોવર્ધનરામ ત્રિપાઠીના દીકરા રમણીયરામ જેના મોભી હતા તે ‘સમાલોચક’ સામયિક મુનશીની સતત ટીકા જ નહિ, અંગત નિંદા પણ કરતાં હતાં. મુનશીને ભીડાવવા માટે વિરોધીઓએ આ અધિવેશનના પ્રમુખપદે ગાંધીજીનું નામ આગળ કર્યું. મુનશી રમણભાઈ નીલકંઠની તરફેણ કરતા હતા. મુનશી સીધા ગાંધીજીને જઈને મળ્યા, પોતાની વાત સમજાવી, અને પોતે પ્રમુખ થવા ઇચ્છતા નથી એવી મતલબનો કાગળ ગાંધીજી પાસેથી લઈ આવ્યા. અધિવેશનના પ્રમુખપદ અંગેનો નિર્ણય લેવા જ્યારે મિટિંગ મળી અને ગાંધીજીના નામની દરખાસ્ત રજૂ થઈ ત્યારે કશું બોલ્યા વગર મુનશીએ ખિસ્સામાંથી કાઢીને એ કાગળ ધરી દીધો. ૧૯૨૮માં રમણભાઈ નીલકંઠનું અવસાન થયું તે પછી ગુજરાતી સાહિત્ય પરિષદ લગભગ નોધારી થઈ ગઈ હતી ત્યારે મુનશી તેને મુંબઈ લઈ આવ્યા. તેના દ્વારા અનેક નવાં કામો કર્યાં અને કરાવ્યાં. પરિષદના ખોળિયામાં નવું ચેતન પૂર્યું. પણ આઝાદી પછી ગુજરાતી સાહિત્યની સંસ્થા મુંબઈમાં હોય તે ગુજરાતના કેટલાક લેખકોને ખૂંચવા લાગ્યું. મુનશી પર લોકશાહીવિરોધી અને એકહથ્થુ સત્તાનો આરોપ મૂકવામાં આવ્યો. અગાઉ ૧૯૩૬માં આ અંગે પરિષદના પ્રમુખસ્થાનેથી ખુદ ગાંધીજીએ કહ્યું હતું: ‘મને તો ખબર જ છે કે ક્યાં ડેમોક્રસી ચાલે ને ક્યાં ન ચાલે. અને એથી જ કહું છુ કે સાહિત્ય પરિષદમાં ડેમોક્રસીના બધા નિયમો નહિ હોય. હું ડેમોક્રેટ છું છતાં કહું છું કે આવી પરિષદો ડેમોક્રસીનાં ધોરણે ન જ ચાલી શકે. એમાં ડેમોક્રસીનું તત્ત્વ હશે, પણ નિયમો નહિ હોય.’
